Gaurav Akanksha Divorce : છૂટાછેડાની અફવાઓ વચ્ચે ગૌરવ ખન્નાની પહેલી પ્રતિક્રિયા, કેમેરા સામે કહી મોટી વાત
Anuj Sachdeva On Gaurav Akanksha Divorce : ગૌરવ કપૂર અને આકાંક્ષા ચમોલા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ ખુલાસો હાલમાં આકાંક્ષાએ લોકઅપ 2ના પ્રીમિયર પર કર્યો હતો. જેના પર ગૌરવના ફ્રેન્ડે કહ્યું કે, આકાંક્ષાએ આ રીતે રિયાલિટી શોમાં લગ્ન તૂટવાના સમાચાર બતાવ્યા જેના વિશે ગૌરવને અંદાજો પણ ન હતો.

રિયાલિટી શો લોકઅપ 2ના પ્રીમિયર દરમિયાન ચાહકોને એક મોટો ઝટકો ત્યારે લાગ્યો હતો. જ્યારે આકાંક્ષા ચમોલાએ કહ્યું કે, તે પોતાના પતિ ગૌરવ ખન્ના સાથે રહેતી નથી. બંને છુટાછેડા લઈ રહ્યા છે. આ સમાચારે ગૌરવ અને આકાંક્ષાના તમામ ચાહકોને પરેશાન કરી દીધા છે. હવે ગૌરવના નજીકના મિત્રો સચદેવાએ આકાંક્ષાના ખુલાસા પર રિએક્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, ગૌરવ આ વાતથી અજાણ હતો કે, આકાંક્ષા રિયાલિટી શોમાં તેના લગ્ન તુટવાના સમાચાર બતાવવા જઈ રહી છે.
પત્રકાર વિકી લાલવાની સાથે વાત કરતા યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અભિનેતા અનુજે કહ્યું કે, ગૌરવ ખન્નાને આ વાતનો જરા પણ અંદાજો ન તો કે, આકાંક્ષા લગ્નને સ્ટેટસ પબ્લિક કરવા માટે એક રિયાલિટી શોના સહારો લઈ શકે છે. તેમણે આ દરમિયાન જણાવ્યું કે, તેને ખબર નથી કે, ગૌરવ ખન્ના ગત્ત છેલ્લા 9 મહિનાથી અલગ રહેતો હતો.
ગૌરવ પર્સનલ વાતને પબ્લિક કરતો નથી
અનુજ સચદેવા જણાવે છે કે, જ્યારે સમાચાર સામે આવ્યા તો મે ગૌરવ સાથે વાત કરી હતી. ગૌરવે એ જાણતો ન હતો કે, આકાંક્ષા લોકઅપમાં જઈ તેના લગ્ન તુટવા વિશે વાત કરવાની છે. હું એ જરુર કહીશ કે, ગૌરવ પર્સનલ વાત આવી રીતે પબ્લિક માં કરતો નથી.
શોમાં આકાંક્ષા ચમોલાએ કહ્યું કે,તે આઝાદી એન્જોય કરવા માંગે છે. જેના પર અનુજે કહ્યું બિલકુલ પણ નહી. ગૌરવ ખરેખર તેને ખુબ પ્રેમ કરતો હતો. તેમને બધું આપ્યું છે. આકાંક્ષાએ આના વિશે પબ્લિકમાં કાંઈ કહ્યું નથી. એવું તો નથી કે, શોમાં લાઈમલાઈટમાં રહેવા માટે આવું કરે છે.
ગૌરવે શું કહ્યું?
આકાંક્ષાના ખુલાસા બાદ હાલમાં ગૌરવ એક પ્રોફેશનલ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. તેમણે પત્નીને સપોર્ટ કર્યો હતો. જ્યારે તેને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું જે પહેલાહતું તે હાલમાં પણ છે. પ્રેમ એટલો જ છે. સપોર્ટ પણ એટલો જ છે. હું હંમેશા સપોર્ટ કરીશ આકાંક્ષા મારી પત્ની છે. પ્રેમ કર્યો તો પાછળ કેમ હટું, ઓલ ધ વેરી બેસ્ટ આકાંક્ષા, આખી જિંદગીમાં આકાંક્ષાની સાથે ઉભું છું. તેને સપોર્ટ કરી રહ્યોછું.
