AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આમિર ખાને કન્ફોર્મ કર્યુ, ‘3 ઇડિયટ્સ ‘ની સિક્વલ પર ચાલી રહ્યું છે કામ

3 Idiots 2: ચાહકો રાજુ, રાંચો અને ફરહાનની જોડીને જોવા ચાહકો આતુરતા છે. "3 ઇડિયટ્સ" ની સિક્વલ વિશે અપડેટ્સ આવી રહી છે ત્યારથી, ચાહકો ખૂબ જ ખુશ છે. પરંતુ હવે, આમિર ખાને આખરે "3 ઇડિયટ્સ 2" ની પુષ્ટિ કરી છે અને ફિલ્મના પ્લોટ પર એક મજબૂત અપડેટ પણ આપી છે. જાણો તેમણે શું કહ્યું

Breaking News :  આમિર ખાને કન્ફોર્મ કર્યુ, '3 ઇડિયટ્સ 'ની સિક્વલ પર ચાલી રહ્યું છે કામ
| Updated on: Apr 28, 2026 | 4:43 PM
Share

ચાહકો રાજુ, રાંચો અને ફરહાનને સાથે જોવા માટે આતુર છે. જ્યારથી 3 ઈડિયટસની સિકવલ બનાવવાની અપટેડ સામે આવી છે. ત્યારથી પાર્ટ 2ની ખુબ ચર્ચા થઈ રહી છે. હવે ફાઈનલી કન્ફોર્મ થઈ ચૂક્યું છે. કે, આમિર ખાન, શરમન જોશી અને આર. માધવન એકસાથે મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. આજે પણ, આ ફિલ્મ દરેકના દિલની નજીક છે, અને રાજકુમાર હિરાણીએ આ સ્ટોરીને જે રીતે લોકો સમક્ષ રજૂ કરી તેના વખાણ કરવા પણ ઓછા છે. આમિર ખાને પોતે ભાગ 2 ની પુષ્ટિ કરી છે.સ્ટોરીને 10 વર્ષના લીપ બતાવવાનો અર્થ શું છે તે જાણો.

3 ઇડિયટ્સ 2009માં રિલીઝ થઈ હતી, જેનું દિગ્દર્શન રાજકુમાર હિરાણીએ કર્યું હતું. વિધુ વિનોદ ચોપરાએ પણ આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી ઉપરાંત, આ ફિલ્મમાં કરીના કપૂર, બોમન ઈરાની અને મોના સિંહ પણ હતા, જેમની ભૂમિકાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી. 55 કરોડમાં બનેલી આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી. જોકે, ચાહકો લાંબા સમયથી સિક્વલની માંગ કરી રહ્યા હતા. હવે, એક અપડેટ જાહેર કરવામાં આવ્યું છે.

આમિર ખાન ‘3 ઇડિયટ્સ 2’ ની પુષ્ટિ કરી

આમિર ખાન હાલમાં તેમના પુત્ર જુનૈદની ફિલ્મ ‘એક દિન’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, જે 1 મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન, તેમણે દાદાસાહેબ ફાળકે બાયોપિક અને ‘3 ઇડિયટ્સ’ ની સિક્વલ વિશે ચર્ચા કરી. તે કહે છે કે, “રાજકુમાર હિરાણી હાલમાં ‘3 ઇડિયટ્સ 2’ પર કામ કરી રહ્યા છે, મને લાગે છે. હા, મેં વાર્તા સાંભળી છે, અને તે ખૂબ જ સારી છે. સિક્વલમાં મૂળ ફિલ્મનો જાદુ જાળવી રાખવામાં આવ્યો છે, સાથે સાથે કંઈક નવું પણ ઉમેરવામાં આવ્યું છે.”

સિક્વલમાં કોણ હશે?

આમિરે ખુલાસો કર્યો કે આ સિક્વલમાં 2009 ની બ્લોકબસ્ટર ફિલ્મના પાત્રો ફરી જોવા મળશે. જોકે, તે તેમના જીવનને એક નવા તબક્કામાં દર્શાવશે, એટલે કે પાત્રો એ જ હશે, પરંતુ 10 વર્ષ પછી.

દાદાસાહેબ ફાળકે ફિલ્મ

આમિર ખાને તેમની બીજી ફિલ્મ વિશે પણ અપડેટ આપ્યું. તે કહે છે કે, “દાદાસાહેબ ફાળકેની સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયક છે. રાજુ તેના પર કામ કરી રહ્યો હતો. તેણે લગભગ ત્રણ ડ્રાફ્ટ બનાવ્યા હતા, પરંતુ તે હજુ પણ સ્ક્રિપ્ટથી ખુશ નથી.

2 વખત થયા છે છુટાછેડા, હવે અભિનેતાએ ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">