સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના એક મહિના બાદ શહેનાઝ ગિલ ફરી રહી છે કામ પર પરત
શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ની પંજાબી ફિલ્મ હોસલા રખ (Honsla Rakh) દશેરાના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.
અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ 2 સપ્ટેમ્બરના રોજ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. સિદ્ધાર્થના મૃત્યુ બાદ તેમની ખાસ મિત્ર શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ખરાબ રીતે તૂટી ગઈ હતી. તે આઘાતમાં ચાલી ગઈ હતી. તેમની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી.
પરંતુ હવે શહનાઝ પોતાની સંભાળ રાખી રહી છે અને કામ પર પરત ફરવા જઈ રહી છે. શહનાઝની પંજાબી ફિલ્મ હોસલા રખ 15 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. હવે શહનાઝ આ ફિલ્મ માટે કામ પર પરત ફરવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતાએ પુષ્ટિ કરી છે કે તે કામ પર પરત ફરી રહી છે.
7 ઓક્ટોબરથી પરત આવશે
શહેનાઝ ગિલે તેમની આગામી ફિલ્મ માટે પ્રમોશનલ ગીત શૂટ કરવાનું છે. અગાઉ આ ગીત 15 સપ્ટેમ્બરે શૂટ થવાનું હતું, પરંતુ શહેનાઝની હાલત જોતા તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહનાઝે ફિલ્મના ટ્રેલરને પણ પ્રમોટ કર્યું નથી. હવે નિર્માતાએ શહનાઝને ગીત શૂટ કરવા માટે મનાવી છે. તે 7 ઓક્ટોબરથી શૂટિંગ શરૂ કરશે.
એક અંગ્રેજી અખબાર સાથેની ખાસ વાતચીતમાં નિર્માતા દિલજીત થિન્ડે કહ્યું છે કે હું સતત શહનાઝની ટીમ સાથે જોડાયેલો છું. તે દરરોજ મને તેના વિશે અપડેટ આપતા રહે છે. તે પોતાની પ્રોફેશનને લઈને ખૂબ જ સખ્ત છે અને હું ખુશ છું કે તે પ્રમોશનલ ગીત શૂટ કરવા માટે તૈયાર છે. વિઝા પર આધાર રાખે છે કે આ ગીત યુકેમાં શૂટ થશે કે ભારતમાં.
દિલજીતે શહનાઝની માનસિક સ્થિતિ વિશે જણાવ્યું કે તે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમણે પોતાની પ્રોફેશનલ પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે તૈયાર થવામાં ઘણી હિંમત લીધી હશે. તે અમારા માટે પરિવારની જેમ છે અને અમે તેના પર કંઈપણ લાદવા માંગતા નથી. હું ઈચ્છું છું કે તે તેના નોર્મલ વર્ક શેડ્યુલમાં પાછી આવે.
ફિલ્મ હોસલા રખની વાત કરીએ તો શહનાઝ ગિલ સાથે દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને સોનમ બાજવા (Sonam Bajwa) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પંજાબી અભિનેતા ગિપ્પી ગ્રેવાલનો પુત્ર પણ આ ફિલ્મમાં જોવા મળશે.
આ પણ વાંચો:- Aryan Khan Drug Case: ડ્રગ્સ કેસ 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી આર્યન ખાન અને તેના મિત્રોની રિમાન્ડ, NCB કરશે પૂછપરછ