AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Election : PM મોદીની આજે હરિદ્વારમાં વર્ચ્યુઅલ રેલી , ભાજપે ચૂંટણી પ્રચારમાં તાકાત લગાવી

રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ચૂંટણીને આડે આઠ દિવસ બાકી છે. ચૂંટણી પ્રચારની અંતિમ ક્ષણે પાર્ટીના ઉમેદવારો પીએમ મોદી દ્વારા પ્રચાર કરવાની માંગ કરી રહ્યા છે.

Uttarakhand Election : PM મોદીની આજે હરિદ્વારમાં વર્ચ્યુઅલ રેલી , ભાજપે ચૂંટણી પ્રચારમાં તાકાત લગાવી
PM Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:31 AM
Share

Uttarakhand Election: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારક PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ને મેદાનમાં ઉતાર્યા છે. યુપી બાદ પીએમ મોદી હવે ઉત્તરાખંડમાં પ્રચાર કરશે. પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રેલી દ્વારા હરિદ્વાર લોકસભા સીટ પર પાર્ટી માટે પ્રચાર કરશે. આ સાથે તેઓ ગઢવાલ અને કુમાઉ વિસ્તારમાં વર્ચ્યુઅલ રેલી પણ કરશે.

રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ચૂંટણીને આડે આઠ દિવસ બાકી છે. રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી રાજ્યમાં સ્ટાર પ્રચારક હતા. જે બાદ ભાજપે રાજ્યમાં 57 સીટો પર જીત મેળવી હતી. તેથી જ ભાજપના ઉમેદવારો દ્વારા પીએમ મોદીની માંગણી કરવામાં આવી રહી છે. ભાજપે રાજ્યની તમામ પાંચ લોકસભા બેઠકોમાં મોદીના વર્ચ્યુઅલ જન ચૌપાલ કાર્યક્રમને ફરીથી શેડ્યૂલ કર્યો છે અને તે અંતર્ગત આજે પીએમ મોદી હરિદ્વાર લોકસભા બેઠક પર વર્ચ્યુઅલ રેલી કરશે.

રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે

રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને તેમાં માત્ર આઠ દિવસ બાકી છે. તેથી ભાજપ પક્ષની તરફેણમાં પવન ફૂંકવા માટે તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે અને તેઓ આજે રાજ્યમાં પ્રચાર કરશે. જ્યારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ચાર દિવસના પ્રવાસ પર છે.

પીએમ મોદીનું શેડ્યુલ નક્કી

પાર્ટીએ હરિદ્વાર, નૈનીતાલ, ટિહરી, અલ્મોડા અને પૌરી લોકસભા સીટ પર પીએમ મોદીની વર્ચ્યુઅલ રેલીઓનો કાર્યક્રમ નક્કી કર્યો છે. આ અંતર્ગત પીએમ મોદી 7 ફેબ્રુઆરીએ હરિદ્વાર, 8મી ફેબ્રુઆરીએ નૈનીતાલ, 9મીએ ટિહરી, 10મીએ અલ્મોડા, 11મી ફેબ્રુઆરીએ પૌડી લોકસભા સીટ પર વર્ચ્યુઅલ રેલી દ્વારા જનતાને સંબોધિત કરશે. વર્ચ્યુઅલ રેલી માટે દરેક વિધાનસભા મતવિસ્તારમાં ચાર જગ્યાએ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે અને જ્યાં પાર્ટીના એક હજાર કાર્યકરો પીએમ મોદીનું ભાષણ સાંભળશે. સાથે જ પીએમ મોદીની રેલીને પણ સોશિયલ મીડિયા દ્વારા લાઈવ બતાવવામાં આવશે.

આ પણ વાંચો : UP Election 2022: ભાજપે 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિ દયાશંકરને બલિયાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">