AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ Dara Singh Chauhanનો મોટો આરોપ, કહ્યું ‘5 વર્ષમાં દલિતો, બેરોજગારોને નથી મળ્યો ન્યાય’

સ્વામી પ્રસાદ મૌર્યના (Swami Prasad Maurya) રાજીનામા બાદ યોગી કેબિનેટમાંથી દારા સિંહ ચૌહાણે (Dara Singh Chauhan) પણ રાજીનામું આપી દીધું છે અને હવે એવી અટકળો ચાલે છે કે તેઓ સપામાં જોડાઈ શકે છે.

UP Election 2022: યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ Dara Singh Chauhanનો મોટો આરોપ, કહ્યું '5 વર્ષમાં દલિતો, બેરોજગારોને નથી મળ્યો ન્યાય'
Dara Singh Chauhan resigns from Yogi Cabinet
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:48 PM
Share

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022)ની જાહેરાત સાથે પક્ષપલટો શરૂ થઈ ગયો છે. મંગળવારે રાજ્ય સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ (Swami Prasad Maurya) રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રી દારા સિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે. દારા સિંહ ચૌહાણ (Dara Singh Chauhan) યોગી સરકારમાં પર્યાવરણ અને પ્રાણી ઉદ્યાનના મંત્રી હતા.

સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાથી એવી અટકળો ચાલી રહી હતી કે દારા સિંહ ચૌહાણ પણ રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં(SP) જોડાઈ શકે છે. સ્વામી પ્રસાદ મૌર્યની સાથે ધારાસભ્યોના રાજીનામાં બાદ ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયું હતું અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી સોંપી હતી.

રાજ્યપાલને મોકલવામાં આવેલા તેમના રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું કે “મેં કેબિનેટમાં વન, પર્યાવરણ અને જંતુ ઉદ્યાન મંત્રી તરીકે પૂરા દિલથી કામ કર્યું. પરંતુ પછાત, દલિત, ખેડૂતો અને બેરોજગાર યુવાનો પ્રત્યે સરકારના ઘોર ઉપેક્ષિત વલણ તેમજ પછાત અને દલિત વર્ગના અનામત સાથે છે છેડછાડ થઈ રહી છે તે બાદ દુઃખી થઈને હું મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.

કેશવ મૌર્યએ સમજાવવાની કોશિશ શરૂ કરી

બે દિવસમાં બે મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. જે બાદ ભાજપે (BJP) આ મંત્રીઓને મનાવવાનું શરૂ કરી દીધું છે. દારા સિંહ ચૌહાણના રાજીનામા પછી તરત જ ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય (Dy CM Keshav Prasad Maurya) તેમને સમજાવવા આગળ આવ્યા અને તેમને નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું.

તેમણે ટ્વીટ કર્યું, “જો પરિવારનો કોઈ સભ્ય ભટકી જાય છે તો દૂર જતા આદરણીય મહાનુભાવોને વિનંતી કરતા દુઃખ થાય છે કે ડૂબતી હોડી પર સવારી કરીને નુકસાન તેમનું થશે. મોટા ભાઈ શ્રી દારા સિંહજી, તમારે તમારા નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.”

આ પહેલા મંગળવારે પણ સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ કેશવ મૌર્ય જ તેમને મનાવવા આવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “મને ખબર નથી કે આદરણીય સ્વામી પ્રસાદ મૌર્યએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે, હું તેમને બેસીને વાત કરવાની અપીલ કરું છું, ઉતાવળા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.”

સપાએ મહાગઠબંધનના નેતાઓ સાથે બેઠક યોજી હતી

સપા (Samajwadi Party) સતત ભાજપમાં તોડફોડ કરી રહી છે. આ સાથે તે જલ્દીથી જલ્દી ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. સપા પ્રમુખ (SP Chief) અખિલેશ યાદવે (Akhilesh Yadav) બુધવારે મહાગઠબંધનના (Mahagathbandhan) નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સીટ વહેંચણી અંગે સમજૂતી થઈ છે.

આ પણ વાંચો : Uttar Pradesh: યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા સ્વામી પ્રસાદ મોર્યની વિરૂદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :UP Assembly Election 2022: આવી ગયો 403 બેઠકનો મહાઓપિનિયન પોલ, જાણો કયા પક્ષને મળી શકે છે કેટલી બેઠક

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">