UP Election 2022: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક સાથે, યુપીમાં કહ્યું- ‘અમે ત્રણેય અલગ-અલગ છીએ’

મહારાષ્ટ્રમાં 'હમ સાથ સાથ હૈ'ના રસ્તે ચાલતી આ પાર્ટીઓ ઉત્તર પ્રદેશના રણમાં 'આપ કૌન'ના રસ્તે ચાલી રહી છે.

UP Election 2022: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક સાથે, યુપીમાં કહ્યું- 'અમે ત્રણેય અલગ-અલગ છીએ'
Sharad Pawar - Uddhav Thackeray - Sonia Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 5:34 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને (Uttar Pradesh Assembly Election 2022) લઈને તમામ પક્ષો વચ્ચે ગઠબંધનને લઈને રાજનીતિ તેજ બની રહી છે. તે જ સમયે, કેટલીક પાર્ટીઓ યુપીમાં અલગ અને અન્ય રાજ્યોમાં અલગ રંગ બતાવી રહી છે. મહારાષ્ટ્રના મહા અઘાડી ગઠબંધનની વાત કરીએ તો અહીં શિવસેના (Shivsena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે, જ્યારે યુપીમાં ત્રણેય પક્ષોએ અલગ-અલગ રસ્તો અપનાવ્યો છે. મહારાષ્ટ્રમાં ‘હમ સાથ સાથ હૈ’ના રસ્તે ચાલતી આ પાર્ટીઓ ઉત્તર પ્રદેશના રણમાં ‘આપ કૌન’ના રસ્તે ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસે શરૂઆતથી જ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

યુપીની લડાઈમાં પહેલીવાર પ્રવેશવાની જાહેરાત કરનારી શિવસેનાએ પણ એકલા હાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની ત્રીજી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો, પાર્ટીએ અહીં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

NCP અખિલેશ યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડશે

એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે તેઓએ શાહુ મહારાજ, જ્યોતિબા ફૂલે અને આંબેડકરના વિચારોને આગળ લઈ જવાના છે, તેથી ઘણા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. તે જ સમયે, પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે જાહેરાત કરી હતી કે એનસીપી સપાના વડા અખિલેશ યાદવના નેતૃત્વમાં ભાજપ વિરુદ્ધ યુપી વિધાનસભાની ચૂંટણી લડશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સમાજવાદી પાર્ટી સાથે અમારો વૈચારિક મતભેદ છેઃ શિવસેના

અહીં શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું છે કે શિવસેના યુપીમાં કોઈપણ ગઠબંધનનો ભાગ નહીં બને. સમાજવાદી પાર્ટી સાથે અમારો વૈચારિક મતભેદ છે. પરંતુ અમે રાજ્યમાં પરિવર્તન ઈચ્છીએ છીએ. અમે યુપીમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ. પરંતુ ભાજપને નુકસાન કરવા માંગતા ન હોવાથી ચૂંટણી લડી ન હતી.

અહીં એકલા હાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસે પણ આજે 125 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. યાદીમાં 40 ટકા મહિલાઓ અને 40 ટકા યુવાનોને તક આપવામાં આવી છે. 25 ઉમેદવારોમાંથી 50 મહિલાઓ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારા ઉન્નાવના ઉમેદવાર ઉન્નાવ ગેંગ રેપ પીડિતાની માતા છે. અમે તેમને તેમનો સંઘર્ષ ચાલુ રાખવાનો મોકો આપ્યો છે. જે સત્તા દ્વારા તેમની દીકરી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, તેનો પરિવાર બરબાદ થયો, તે જ સત્તા તેમને મળવી જોઈએ.

આ પણ વાંચો : UP Election 2022: ટિકિટ વિતરણ પર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં સીટ વહેંચણીની થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચો : UP Election 2022 : શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">