AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: ટિકિટ વિતરણ પર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં સીટ વહેંચણીની થઈ શકે છે જાહેરાત

બેઠક બાદ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ માહિતી આપતા કહ્યું કે, બેઠકમાં 172 વિધાનસભા સીટો પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે જે રીતે ભાજપે 2017ની ચૂંટણીમાં રાજ્યમાં જીત મેળવી હતી તે જ રીતે 2022માં તેને ભવ્ય જીત મળશે.

UP Election 2022: ટિકિટ વિતરણ પર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં સીટ વહેંચણીની થઈ શકે છે જાહેરાત
BJP Central Election Committee Meeting - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 5:14 PM
Share

યુપી વિધાનસભા ચૂંટણી 2022ને (UP Assembly Election 2022) લઈને આજે મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકની અધ્યક્ષતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી હતી. બેઠક બાદ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ (Keshav Prasad Maurya) માહિતી આપતા કહ્યું કે, બેઠકમાં 172 વિધાનસભા સીટો પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે આ વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી કે જે રીતે ભાજપે 2017ની ચૂંટણીમાં રાજ્યમાં જીત મેળવી હતી તે જ રીતે 2022માં તેને ભવ્ય જીત મળશે. ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને આજે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી સહિત ઘણા મોટા નેતાઓ ભાજપ કાર્યાલયમાં જોડાયા હતા.

આ બેઠકમાં ઉમેદવારોને ફાઇનલ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ભાજપ કોર કમિટીની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. આજે બેઠકમાં 2017ની જીત કરતાં પણ વધુ જીત મેળવવાની રણનીતિ બનાવવામાં આવી હતી. આ પહેલા બુધવારે આ બેઠક લગભગ 14 કલાક સુધી ચાલી હતી.

સીટ વહેંચણીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

બુધવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સહયોગી પક્ષો સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમાચાર અનુસાર, કોર કમિટીની બેઠકમાં અપના દળના વડા અનુપ્રિયા પટેલ, નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ કાર્યાલયમાં ચાલી રહેલી બેઠક હવે પૂરી થઈ ગઈ છે. સીટ વહેંચણી અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે બુધવારે પ્રથમ ત્રણ તબક્કામાં ઉપસ્થિત ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા હતા. સીટ વહેંચણીની ફોર્મ્યુલા આજે જાહેર થઈ શકે છે.

‘172 વિધાનસભા બેઠકો પર ચર્ચા થઈ’

ANI અનુસાર, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે બેઠકમાં 172 વિધાનસભા સીટો પર ચર્ચા કરવામાં આવી. આ સાથે જ બમ્પર જીતની રણનીતિ બનાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે યુપીમાં 10 ફેબ્રુઆરીથી વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે. 7 તબક્કામાં યોજાનારી ચૂંટણી 7 માર્ચ સુધી ચાલશે. મતગણતરી 10 માર્ચે થશે.

ભાજપે પણ ચૂંટણી જીતવા માટે પુરી તાકાત લગાવી દીધી છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. બેઠકમાં ઉમેદવારોને ફાઈનલ કરવાની સાથે સીટ શેરિંગ ફોર્મ્યુલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : UP Election 2022 : શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો : Goa Election : પૂર્વ CM મનોહર પર્રીકરના પુત્રએ પણજી બેઠક પરથી માંગી ટિકિટ, ભાજપે કહ્યું- નેતાના પુત્રને જ ટિકિટ નહીં મળે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">