AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022 : શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.વધુમાં પવારે કહ્યુ કે, તેમણે શાહુ મહારાજ, જ્યોતિબા ફુલે અને આંબેડકરના વિચારોને આગળ લઈ જવાના છે, તેથી ઘણા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે.

UP Election 2022 :  શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
NCP Chief Sharad Pawar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 4:13 PM
Share

UP Election 2022 : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ઉતર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election 2022) લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શરદ પવારે કહ્યુ કે, અમારી પાર્ટી દ્વારા શાહુ મહારાજ, જ્યોતિબા ફુલે અને આંબેડકરના વિચારોને આગળ લઈ જવાના છે, તેથી ઘણા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા શરદ પવારે (Sharad Pawar) કહ્યુ કે, ભાજપ કઈક અલગ વિચાર સાથે આગળ વધી રહી છે. તેઓ સત્તામાં છે, પરંતુ તેમના વિચારો રાષ્ટ્ર માટે સારા નથી.

ભાજપ સામાન્ય માણસ વિશે વિચારે છે કે નહીં ?

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને શરદ પવારે કહ્યુ કે, યુપીમાં ભાજપનો ખેલ ખતમ થઈ ગયો છે, તે હવે છેલ્લી જોડી સાથે રમી રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે BJP ના નેતાઓ અન્ય પાર્ટીઓમાં જોડાઈ રહ્યા હોવાથી આ એક બદલાયેલો માહોલ છે. પવારે કહ્યુ કે, યુપી સિવાય ગોવા અને અન્ય રાજ્યોમાં પણ આવું જ થઈ રહ્યુ છે. મને ક્યારેક લાગે છે કે સત્તામાં રહેલી ભાજપ સામાન્ય માણસ વિશે વિચારે છે કે નહીં ?

NCP યુપીમાં અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે ચૂંટણી લડશે

મહારાષ્ટ્ર કેબિનેટના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે જાહેરાત કરી હતી કે, એનસીપી યુપી વિધાનસભાની ચૂંટણી ભાજપ સામે સપાના વડા અખિલેશ યાદવના નેતૃત્વમાં લડશે. નવાબ મલિકે કહ્યું કે, યુપીમાં દરરોજ ઘણા બીજેપી નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ દર્શાવે છે કે યોગી સરકાર કેટલી અહંકારી હતી. મલિકે વધુમાં કહ્યું કે કેવી રીતે ભાજપ સરકારે એક ખાસ વર્ગ સાથે અન્યાય કર્યો. યુપીના લોકોને સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે બીજેપી જઈ રહી છે, તેથી તેના નેતાઓ છોડીને અન્ય પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે.

શિવસેનાને લઈને નવાબ મલિકે શું કહ્યુ ?

મલિકે કહ્યું કે અખિલેશે અમને સીટ આપી છે અને કેટલીક સીટો પર ચર્ચા ચાલી રહી છે. અમે અખિલેશની સાથે છીએ અને ભાજપને હરાવવા માટે તેમનું સમર્થન કરીશું. શિવસેના યુપીમાં ચૂંટણી લડી રહી છે તેના પર નવાબ મલિકે કહ્યુ કે તેમની પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આપણે તે વિસ્તારમાં બિન-ભાજપ મજબૂત પાર્ટી સાથે હાથ મિલાવવો જોઈએ. જો શિવસેના યુપીમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે તો તે તેમનો પોતાનો નિર્ણય છે પરંતુ અમે સમાજવાદી પાર્ટી સાથે જવાનો નિર્ણય કર્યો છે અને અમે અખિલેશ યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.

આ પણ વાંચો: UP Assembly Election: રાજીનામાનો સિલસિલો આજે પણ ચાલુ ! અત્યાર સુધીમાં 7 ધારાસભ્ય ભાજપ છોડી ચૂક્યા છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">