Exclusive : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું- આ એ જ સપા છે, જેનાથી સૌ ખફા છે

અનુરાગ ઠાકુરે TV9 ને કહ્યું કે યોગી આદિત્યનાથની સરકારે ગુનાખોરી, ગુંડાઓ અને માફિયાઓ ચલાવનારાઓ પર હુમલો કર્યો છે. આ જ કારણ છે કે આજે બહેન, દિકરી અને પુત્રવધૂ સલામતી અનુભવી રહી છે.

Exclusive : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું- આ એ જ સપા છે, જેનાથી સૌ ખફા છે
Union Minister Anurag Thakur (Photo: Anurag Thakur/Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 5:07 PM

કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા અનુરાગ ઠાકુરે (Anurag Thakur) રવિવારે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે આ એ જ સપા છે જેનાથી સૌ ખફા છે અને 10 માર્ચે અખિલેશ જી (Akhilesh Yadav) કહેશે કે EVM બેવફા છે. ચૂંટણી પ્રચાર માટે લખનઉ પહોંચેલા અનુરાગ ઠાકુરે TV9 સાથે વાત કરતા કહ્યું કે આખો દેશ જાણે છે કે સમાજવાદી પાર્ટીની (Samajwadi Party) સરકારમાં રોજ રમખાણો અને ગુનાહિત ઘટનાઓ થતી હતી અને મુખ્યમંત્રી ત્યારે ઊંઘતા હતા. તેમણે કહ્યું કે સપા ગઠબંધનની યાદીમાં તે લોકોના નામ છે, જેમાં એક જેલમાં છે અને એક જામીન પર છે.

મહિને 300 કલાક વીજળી ના આપનાર આજે 300 યુનિટ મફત વીજળીની વાતો કરે છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અનુરાગ ઠાકુરે આગળ કહ્યું, “આજે તમે પોલીસ સ્ટેશન જાવ તો પોલીસ સ્ટેશનવાળા કહે છે કે તેમના (સમાજવાદી પાર્ટી) ગઠબંધનની યાદી કરતાં વધુ તો ચાર્જશીટના ખાતા જેવું લાગે છે. અખિલેશ યાદવ (Akhilesh Yadav) તેમના શાસન દરમિયાન મહિનામાં 300 કલાક વીજળી આપી શક્યા ન હતા અને આજે 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરે છે. સપાના શાસનમાં, ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કપડાં સૂકવવા માટે કરાતો હતો, કારણ કે વાયરમાં વીજળી બિલકુલ આવતી નહોતી.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં લોકોને સુરક્ષા મળી છે. તેમણે કહ્યું, “ઉત્તર પ્રદેશમાં લોકોના મનમાં સુરક્ષાની ભાવના છે અને યોગી આદિત્યનાથ સરકારના કારણે આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથની સરકારે અપરાધ, ગુંડાઓ અને માફિયાઓને ચલાવનારાઓ પર જોરદાર પ્રહારો કર્યા છે. આ જ કારણ છે કે આજે બહેન, દિકરી અને વહુ આજે સલામતી અનુભવી રહી છે.

સપાના શાસનમાં આઈ.ટી. એટલે કે ‘ ઈન્કમ ફ્રોમ ટેરર’ કહેવાતુ

અનુરાગ ઠાકુર ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના સહ-પ્રભારી પણ છે. આ પહેલા શનિવારે પણ તેમણે અખિલેશ યાદવના આઈટી સેક્ટરમાં રોજગાર આપવાના નિવેદન પર પલટવાર કરતા આરોપ લગાવ્યો હતો કે યાદવના ‘આઈ.ટી. એટલે કે ‘ ઈન્કમ ફ્રોમ ટેરર’ (આતંક વડે આવક) અને મુખ્તાર અંસારી, અતીક અહેમદ અને નાહીદ હસન જેવા માફિયા તેમના બ્રાન્ડ એમ્બેસેડર હતા.

અખિલેશ યાદવે IT સેક્ટરમાં 22 લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે

અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે, “તે તેમનો આતંક હતો કે અસલી આઈટી એટલે કે ‘ઈન્ફોર્મેશન ટેક્નોલોજી’ સેક્ટરની કંપનીઓ સપાના શાસન દરમિયાન ઉત્તર પ્રદેશમાં ના આવી.” તેમણે દાવો કર્યો હતો કે યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકારમા છેલ્લા પાંચ વર્ષમાં લાખો યુવાનોને આઈટી ક્ષેત્રમાં ભેદભાવ વિના નોકરીઓ મળી છે અને ઉત્તર પ્રદેશને આઈટી હબ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

શનિવારે અખિલેશ યાદવે લખનૌમાં કહ્યું હતું કે વર્ષ 2022માં સપા સાઇકલના નારાને સાકાર કરવાનો સંકલ્પ લે છે. તેમણે કહ્યું, “આઈટી ક્ષેત્રમાં 22 લાખ યુવાનોને નોકરી આપવાનો સંકલ્પ લઈએ છીએ, આ માટે સરકાર કામ કરશે. જે સરકાર 18 લાખ લેપટોપ આપી શકે છે, તે સરકાર આ દિશામાં મોડું નહીં કરે. આઈટી સેક્ટરના લોકોને આ ક્ષેત્રે નોકરી મળશે.

આ પણ વાંચોઃ

UP Election 2022: ઓપિનિયન પોલ દર્શાવવો એ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન, એસપીએ ECને પ્રતિબંધ મૂકવાની કરી માગ

આ પણ વાંચોઃ

UP Assembly Elections 2022: આ વ્યક્તિ 94 વખત ચૂંટણી હારી ચૂક્યો છે, આ વખતે યુપીની બે સીટ પરથી ચૂંટણી લડશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">