AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Election: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Punjab Assembly Election 2022: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડી છે. જેમાં 34 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

Punjab Election: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
BJP announces first list of candidates for Punjab Assembly elections (symbolic photo-photo PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:02 PM
Share

ભાજપે (BJP) પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ પ્રસંગે પંજાબ ભાજપના પ્રભારી દુષ્યંત ગૌતમ (Dushyant Gautam), કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી (Hardeep Puri) અને બીજેપી નેતા તરુણ ચુગ (Tarun Chugh) હાજર રહ્યા હતા. પંજાબમાં આ વખતે ભાજપનું કેપ્ટન અમરિંદર સિંહની (Amrinder Singh) લોક કોંગ્રેસ પાર્ટી (Lok Congress Party) અને શિરોમણિ અકાલી દળ સાથે સંયુક્ત ગઠબંધન છે.

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલી ઉમેદવારીનો યાદીમાં ખેડૂત પરિવારના 12 ઉમેદવારો, અનુસૂચિત જાતિ સમુદાયના 8 લોકોને અને 13 શીખોને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં ડોકટરો, વકીલો, રમતવીર, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને પૂર્વ IAS છે. ભાજપના પ્રભારી દુષ્યંત ગૌતમે કહ્યું, ભાજપ ચૂંટણી પંચનો આભાર માનવા માંગે છે કે પંજાબના રવિદાસિય સમુદાયને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખ 14 ફેબ્રુઆરીથી વધારીને 20 ફેબ્રુઆરી કરવામાં આવી છે.

પંજાબમાં ડ્રગ્સ અને ભ્રષ્ટાચારની સમસ્યા યથાવત છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગૌતમે કહ્યું કે, પંજાબના લોકો કુશાસનથી પીડિત છે. પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી નશાની વ્યસન, ભ્રષ્ટાચાર અને બીજી ઘણી સમસ્યાઓ રહી છે, કમનસીબે આજે પણ તે સમસ્યાઓ એવી જ છે. પંજાબ આવી સમસ્યાથી ત્રસ્ત છે. અગાઉની સરકારમાં પંજાબમાં કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે કહ્યું કે, પંજાબમાં કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા છે. તેમની જ વિધાનસભા ક્ષેત્રમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે. આનાથી સાબિત થઈ રહ્યું છે કે તેના રાજ્યના રેતી માફિયાઓ સાથે નજીકના સંબંધો છે.

દુષ્યંત ગૌતમે કહ્યું કે પંજાબની રાજ્ય સરકારે દેશના વડાપ્રધાન પદની ગરિમાનું પણ ધ્યાન રાખ્યું નથી. 5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં બનેલી ઘટના દર્શાવે છે કે તેમના માટે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા મહત્વની નથી.

આ પણ વાંચોઃ

Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર

આ પણ વાંચોઃ

UP Assembly Election 2022 : Congressનું યુવાનો માટે Youth Manifesto, 20 લાખ નોકરીઓની ખાતરી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">