AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Election: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Punjab Assembly Election 2022: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડી છે. જેમાં 34 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

Punjab Election: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
BJP announces first list of candidates for Punjab Assembly elections (symbolic photo-photo PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:02 PM
Share

ભાજપે (BJP) પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ પ્રસંગે પંજાબ ભાજપના પ્રભારી દુષ્યંત ગૌતમ (Dushyant Gautam), કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી (Hardeep Puri) અને બીજેપી નેતા તરુણ ચુગ (Tarun Chugh) હાજર રહ્યા હતા. પંજાબમાં આ વખતે ભાજપનું કેપ્ટન અમરિંદર સિંહની (Amrinder Singh) લોક કોંગ્રેસ પાર્ટી (Lok Congress Party) અને શિરોમણિ અકાલી દળ સાથે સંયુક્ત ગઠબંધન છે.

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલી ઉમેદવારીનો યાદીમાં ખેડૂત પરિવારના 12 ઉમેદવારો, અનુસૂચિત જાતિ સમુદાયના 8 લોકોને અને 13 શીખોને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં ડોકટરો, વકીલો, રમતવીર, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને પૂર્વ IAS છે. ભાજપના પ્રભારી દુષ્યંત ગૌતમે કહ્યું, ભાજપ ચૂંટણી પંચનો આભાર માનવા માંગે છે કે પંજાબના રવિદાસિય સમુદાયને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખ 14 ફેબ્રુઆરીથી વધારીને 20 ફેબ્રુઆરી કરવામાં આવી છે.

પંજાબમાં ડ્રગ્સ અને ભ્રષ્ટાચારની સમસ્યા યથાવત છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગૌતમે કહ્યું કે, પંજાબના લોકો કુશાસનથી પીડિત છે. પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી નશાની વ્યસન, ભ્રષ્ટાચાર અને બીજી ઘણી સમસ્યાઓ રહી છે, કમનસીબે આજે પણ તે સમસ્યાઓ એવી જ છે. પંજાબ આવી સમસ્યાથી ત્રસ્ત છે. અગાઉની સરકારમાં પંજાબમાં કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે કહ્યું કે, પંજાબમાં કોંગ્રેસના વર્તમાન મુખ્યમંત્રી સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા છે. તેમની જ વિધાનસભા ક્ષેત્રમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે. આનાથી સાબિત થઈ રહ્યું છે કે તેના રાજ્યના રેતી માફિયાઓ સાથે નજીકના સંબંધો છે.

દુષ્યંત ગૌતમે કહ્યું કે પંજાબની રાજ્ય સરકારે દેશના વડાપ્રધાન પદની ગરિમાનું પણ ધ્યાન રાખ્યું નથી. 5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં બનેલી ઘટના દર્શાવે છે કે તેમના માટે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા મહત્વની નથી.

આ પણ વાંચોઃ

Punjab Election 2022: ‘કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરીશ’, ભ્રષ્ટાચાર પર કેજરીવાલના નિવેદન બાદ CM ચન્નીનો પલટવાર

આ પણ વાંચોઃ

UP Assembly Election 2022 : Congressનું યુવાનો માટે Youth Manifesto, 20 લાખ નોકરીઓની ખાતરી

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">