ચૂંટણી રેલી અને રોડ શો કરવા માટે પરિસ્થિતિ યોગ્ય નથી’, નીતિ આયોગના વીકે પોલે ECને કહી મોટી વાત
Elections in 5 states : નીતિ આયોગના સભ્ય વીકે પોલે ચૂંટણી પંચને કહ્યું છે કે દેશમાં કોવિડ ના વધતા જતા કેસને કારણે, ચૂંટણી જાહેર સભા, રેલી અને રોડ શો યોજવા સુરક્ષિત નથી.
નીતિ આયોગના (NITI Aayog) સભ્ય અને ભારતના કોવિડ ટાસ્ક ફોર્સના (Covid Task Force) વડા વીકે પોલે (VK Paul) ચૂંટણી પંચને જણાવ્યું છે કે દેશમાં વર્તમાન કોવિડની (Covid 19) સ્થિતિને કારણે મોટી રેલીઓ (Rally) અને રોડ શો (Road show) યોજવા યોગ્ય નથી. તેમણે કહ્યું કે આવા આયોજનો ના થવા જોઈએ. જો કે, ચૂંટણી પંચનું (Election Commission) માનવું છે કે રાજકીય પક્ષોએ (Political parties) આટલી મોટી રેલીઓ અને રોડ શો તેમની જાતે જ બંધ કરવા જોઈએ.
રસીકરણ પર ભાર ચૂંટણી પંચે સરકારને પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે સારી તૈયારી કરવા અને રસીકરણની કામગીરીને વધુને વધુ માત્રામાં કરવા જણાવ્યું હતું. પરંતુ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટે આ સમયે ચૂંટણી યોજવા અંગે ચિંતા વધારી છે. ચૂંટણી પંચે તાજેતરમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સાથે મુલાકાત કરી હતી અને દેશમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
બંગાળની ચૂંટણી દરમિયાન પંચ દ્વારા આવા લેવાયા હતા પગલાં ચૂંટણી પંચે નોંધ્યું કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપ્યાની ટકાવારી હજુ પણ ઓછી છે, જ્યારે ઉત્તરાખંડ અને ગોવામાં તે 100 ટકાની નજીક છે. ગયા વર્ષે એપ્રિલમાં, જ્યારે કોવિડ રોગચાળાની બીજી લહેર ભારતમાં તબાહી મચાવી રહી હતી, ત્યારે ચૂંટણી પંચે બંગાળમાં દરેક રાજકીય રેલી માટે 500 લોકોને જ હાજર રહેવાની મંજૂરી આપી હતી. બાદમાં, વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થયા પછી, તેણે તમામ વિજય સરઘસ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પછી, કોલકત્તા હાઇકોર્ટે કોવિડ -19 ની બીજી લહેર દરમિયાન ચૂંટણીઓનું સંચાલન કરવા બદલ ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે ચૂંટણી પંચે ચૂંટણી રેલીઓને સુપર-સ્પ્રેડર ઇવેન્ટ બનતી અટકાવવા માટે કંઈ કર્યું નથી.
આ પણ વાંચોઃ
Kolkata: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે, CM પણ આપશે હાજરી
આ પણ વાંચોઃ