ત્રીજી લહેરના ભણકારા ! રાજધાની સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના તેમજ ઓમિક્રોનની સ્થિતિ

ગુજરાતમાં એક બાજું કોરોના વાયરસના નવા કેસો વધી રહ્યાં છે, તો બીજી બાજું કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.

ત્રીજી લહેરના ભણકારા ! રાજધાની સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના તેમજ ઓમિક્રોનની સ્થિતિ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 3:06 PM

દેશમાં સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે દેશમાં કોરોનાના કેસ અને તેમાં પણ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ તો ત્રીજી લહેરનું ચિત્ર સ્પષ્ટ કરે છે. ત્યારે મુંબઈમાં ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છે. અને તેમા પણ ઓમિક્રોનના કેસ તો ખરા જ, સ્થિતિ ફરીથી લોકડાઉન તરફ લઈ જતી હોય તેવા સંકેત છે. ગુજરાતની વાત કરીએ તો કેસમાં તો રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

મુંબઈમાં કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMCએ (Bombay Municipal Corporation) ખાનગી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. BMCએ તમામ ખાનગી હોસ્પિટલોને(Private Hospital) મહત્તમ બેડની સમાન ક્ષમતાને ફરીથી સક્રિય કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ સાથે જ જો એસિમ્પ્ટોમેટિક દર્દીઓ કોમોર્બિડ હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા અને જો તેઓ પહેલેથી જ દાખલ છે તો તેમની સ્થિતિ જોયા બાદ તેમને 3 દિવસમાં રજા આપવા નિર્દશ કર્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મુંબઈમાં ડોક્ટરો કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાની સ્થિતિ(Corona in Mumbai) ગંભીર બની રહી છે. બુધવારે અહીં કોરોનાના નવા કેસ 15 હજારને પાર કરી ગયા છે. તે જ સમયે, છેલ્લા ત્રણ દિવસમાં, વિવિધ હોસ્પિટલોના કુલ 230 રેસિડેન્ટ ડોક્ટર્સ કોરોના સંક્રમિત (Resident Doctors Corona Positive) મળી આવ્યા છે. તે જ સમયે, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ના 60 કર્મચારીઓ પછી, વધુ 6 કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા છે.

બુધવારે મુંબઈમાં 15 હજાર 166 નવા કેસ નોંધાયા છે. મંગળવારે 10 હજાર 860 કેસ નોંધાયા હતા. એટલે કે મુંબઈમાં એક જ દિવસમાં 5000 કેસ વધ્યા. આ સિવાય બુધવારે મુંબઈમાં પણ કોરોનાને કારણે 3 લોકોના મોત થયા છે. તે જ સમયે, મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ગણેશ સોલંકેએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં મુંબઈની વિવિધ હોસ્પિટલોના કુલ 230 રેસિડેન્ટ ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

દિલ્હીમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. 5 જાન્યુઆરીએ દિલ્હીમાં અંદાજે 5500 કેસ નોંધાયા હતા. ત્યારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, દિલ્હીમાં આજે એટલે કે 6 જાન્યુઆરીએ કોરોનાના અંદાજે 10 હજાર નવા કેસ નોંધાવાની શક્યતા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાત આજે સવારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

વધુમાં તેઓએ કહ્યું હતું કે સતત કેસ આવવા એ સ્પષ્ટ કરી રહ્યું છે કે, દેશમાં ત્રીજી લહેર આવી ગઈ છે જ્યારે દિલ્હીમાં પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં 28 ડિસેમ્બરથી કોરોના કેસના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં ઓમિક્રોનના કેસ

ગુજરાતમાં એક બાજું કોરોના વાયરસના નવા કેસો વધી રહ્યાં છે, તો બીજી બાજું કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 5 જાન્યુઆરીને બુધવારે ઓમિક્રોન વેરિઅન્ટના 50 નવા કેસ નોંધાયા હતા, જે રાજ્યમાં આવા કેસોની સંખ્યા 204 થઇ ગઈ છે.

બીજી તરફ, આ કોરોના વાયરસના આ વેરિઅન્ટના 16 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેનાથી ઓમિક્રોન સંક્રમણનો કુલ રિકવરીનો આંકડો 112 પર પહોંચી ગયો હતો. આજે 50 નવા કેસોમાંથી એકલા અમદાવાદ શહેરમાં 34 કેસ નોંધાયા છે, જેનાથી અમદાવાદમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 93 થઈ ગઈ છે. તેની સામે શહેરમાં અત્યાર સુધીમાં આવા 41 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આજે વડોદરા શહેરમાં ઓમિક્રોનના 5 નવા કેસ, ખેડા જિલ્લામાં 4, આણંદ અને સુરતમાં ત3-3 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રોન વેરીએન્ટના નવા 50 કેસ સાથે આવા કેસની કુલ સંખ્યા 204 થઇ છે, જેમાંથી અત્યાર સુધીમાં 112 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત એક પણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 4 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 2265 કેસો નોંધાયા હતા, તો આજે 5 જાન્યુઆરીએ 3350 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 11 હજાર નજીક એટલે કે 10,994 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1637 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 630, વડોદરા શહેરમાં 150 કેસ, રાજકોટ શહેરમાં 141 અને આણંદમાં 114 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં અમરેલીમાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,126 થયો છે.

ગભરાવવાની જરૂર નથી, સાવચેત રહો

કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron Variant) સમગ્ર દેશમાં દહેશત જોવા મળી રહી છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે, રાજ્યના આરોગ્ય વિભાગનું (Health Department) કહેવું છે કે સોમવાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત 578 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત 578 લોકોમાંથી 436માં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા, જ્યારે 133માં હળવા લક્ષણો હતા.

તમને જણાવવુ રહ્યુ કે,દેશમાં સૌથી વધુ ઓમિક્રોનથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Omicron Cases in Mahrashtra) છે. અહીં મંગળવારે વધુ 75 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ હતી, જેનાથી હાલ તંત્રની ચિંતા પણ વધી છે. બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનુ કહેવુ છે કે, આ વેરિઅન્ટથી ગભરાવવાની જરૂર નથી,પરંતુ સાવચેત રહેવાની જરૂર છે, હાલ આ વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધીમાં હળવા લક્ષણો જ જોવા મળ્યા છે.

શું કહ્યું આરોગ્ય મંત્રાલયે ?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ અને ગુજરાત ચિંતાનો વિષય છે, જ્યાં કોવિડ -19 કેસમાં વધારો થયો છે.

દેશમાં કોરોના વાઈરસ (Corona Virus)ના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron)નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે (Dr Balram Bhargava) જણાવ્યું હતું કે Omicron ડિટેક્ટિંગ RT-PCR કિટ Tata MD અને ICMR સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે અને તેને DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ટેસ્ટ કીટ 4 કલાકમાં પરિણામ આપશે.

ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું છે કે દેશના શહેરોમાં ઓમિક્રોન પ્રિડોમિનેંટ સર્કુલેટિંગ સ્ટ્રેન (ઝડપથી ફેલાતો પ્રકાર) છે. આ ફેલાવાની ઝડપ ઘટાડવા માટે સામૂહિક મેળાવડા ટાળવા જોઈએ. ભાર્ગવે કહ્યું કે મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ઓમિક્રોનના 2,135 કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે અને દિલ્હી પછી છે.

આ પણ વાંચો: વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ

આ પણ વાંચો: કોરોનાની રફ્તાર યથાવત : મુંબઈમાં 71 પોલીસકર્મી અને શિવસેના સાંસદ થયા કોરોના સંક્રમિત

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">