જે.પી મારવિયા ચૂંટણી પરિણામ 2024


જામનગર લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજીવાર પૂનમ માડમને ઉમેદવાર જાહેર કર્યા છે. જેની સામે કોંગ્રેસે પાટીદાર અને યુવા ચહેરા તરીકે જે પી મારવિયા પર પસંદગી ઉતારી છે. જે.પી મારવિયા પાટીદાર સમાજમાંથી આવે છે. કાલાવાડના નિકાવા ગામના વતની છે. હાલ તેઓ નિકાવા બેઠક પરથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે. વ્યવસાયે વકીલ જયંતિલાલ પરસોતમભાઈ મારવીયા (જે.પી. મારવિયા) પાટીદાર સમાજમાંથી આવે છે. જામનગરથી તેમની પસંદગી થતા તેમણે કોંગ્રેસના શિર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો જામનગર અને દ્વારકા જિલ્લાની જનતાના પ્રશ્નોને લઈને જનતા સમક્ષ જશે.
પાટીદાર સમાજમાંથી આવે છે જે પી મારવિયા
જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયા બીકોમ એલએલબી થયેલા છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે. જામનગર જિલ્લા પંચાયતમાં હાલ તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે. જિલ્લા પંચયાચતના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચુક્યા છે. સહકારી ક્ષેત્રે કાલાવાડ એપીએમસીના સદસ્ય રહી ચુક્યા છે. સામાજિક અગ્રણી તેમજ કાલાવડ તાલુકા અને પટેલ સમાજના અગ્રણી રહી ચુક્યા છે. કાલાવડ મતવિસ્તારમાં આવતી નિકાવા બેઠકથી જિલ્લા પંચાયતના સદસ્ય છે.
જામનગરમાં આહિર vs પાટીદાર ઉમેદવાર વચ્ચે જંગ
જામનગરમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો અહીં પાટીદાર અને આહિર સમાજની મોટી વસ્તી છે. આથી કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જાહેર કરી પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ભાજપે સતત ત્રીજીવાર આહિર સમાજમાંથી આવતા પૂનમ માડમ પર પસંદગી ઉતારી છે. આ ચૂંટણીમાં જામનગર બેઠક પર પાટીદાર ઉમેદવાર અને આહિર ઉમેદવાર વચ્ચે સીધો જંગ જોવા મળશે.


લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા : અશ્વિની વૈષ્ણવ
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2024
- 11:48 PM
ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા
વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 23, 2024
- 3:56 PM
અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.
- TV9 Gujarati
- Updated on: Sep 26, 2024
- 8:09 PM
કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી
"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: Sep 18, 2024
- 5:12 PM
વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો
2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Sep 18, 2024
- 5:07 PM
વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો
વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.
- Nirupa Duva
- Updated on: Sep 18, 2024
- 4:04 PM
ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો
ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 17, 2024
- 9:58 PM
ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન
પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,
- krushnapalsinh chudasama
- Updated on: Jul 10, 2024
- 11:44 PM
Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા
ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
- Dhinal Chavda
- Updated on: Jun 26, 2024
- 12:44 PM
"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2024
- 4:14 PM