Karnataka Elections 2023: 2018માં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી? જાણો આ વખતે શું રહ્યા ચૂંટણી પરીણામ ?

વર્ષ 2018માં કર્ણાટકના ચૂંટણી મેદાનમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ, ભાજપ અને બસપા સાથે ગઠબંધનમાં લડી રહેલા JDS વચ્ચે હતો. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાનું ડેબ્યુ કર્યું હતું.

Karnataka Elections 2023: 2018માં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી? જાણો આ વખતે શું રહ્યા ચૂંટણી પરીણામ ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 10:23 PM

આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જેમાં કોંગ્રેસને 136, ભાજપને 65 અને જેડીએસને 19 સીટો મળી છે.

આ પણ વાંચો: Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભાની છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામો, જે તમારે જાણવા છે જરૂરી

આ બધાની વચ્ચે અમે તમને 2018ની વિધાનસભા ચૂંટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કયો પક્ષ મેદાનમાં હતો? કયા પક્ષને કેટલી બેઠકો મળી? દરેક પક્ષને કેટલા મત મળ્યા? ચાલો જાણીએ કે વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીની શું સ્થિતિ હતી.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

બે વખત મતદાન થયું હતું

વર્ષ 2018માં, ભારતના ચૂંટણી પંચે 27 માર્ચના રોજ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે મુજબ 12મી મેના રોજ મતદાન થયું હતું અને 15મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 224 વિધાનસભા માટે 222 મતવિસ્તારમાં 12 મેના રોજ મતદાન થયું હતું. બીજી તરફ, જયનગર સીટના આઉટગોઇંગ ધારાસભ્યના મૃત્યુ અને રાજરાજેશ્વરી નગર સીટ પર વોટર આઈડી કૌભાંડના કારણે અહીં 28 મેના રોજ મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં કુલ 72.13% મતદાન થયું હતું. વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) મશીનોનો ઉપયોગ તમામ મતદાન મથકોમાં કરવામાં આવ્યો હતો. રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ 28 મેના રોજ પૂરો થયો હતો.

આ પક્ષો મેદાનમાં હતા, આટલી બધી બેઠકો મળી

વર્ષ 2018 માં, રાજ્યના ચૂંટણી મેદાનમાં મુખ્ય હરીફાઈ સત્તાધારી કોંગ્રેસ, વિપક્ષ ભાજપ અને BSP સાથે ગઠબંધનમાં લડી રહેલા JDS વચ્ચે હતી. કર્ણાટક પ્રજ્ઞાવનાથ જનતા પાર્ટી (KPJP) પણ મેદાનમાં હતી. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની ચૂંટણીમાં જંપલાવ્યું હતું. 15મી મેના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરંતુ, બહુમતીથી આઠ બેઠકો ઓછી રહી હતી. કોંગ્રેસને સૌથી વધુ વોટ ટકાવારી મળી છે. પરંતુ, તે માત્ર 78 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જેડીએસને માત્ર 37 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે ચૂંટણી બાદ ત્રિશંકુ વિધાનસભાની રચના કરવામાં આવી હતી.

વર્ષ 2018માં પક્ષોને કેટલા મત મળ્યા?

ભાજપ

મત- 1,31,85,384

મતની ટકાવારી – 36.2

કોંગ્રેસ

મત- 1,38,24,005

મતની ટકાવારી – 38.0

જેડીએસ

મત- 66,66,307

મતની ટકાવારી – 18.3

બસપા

મત- 1,08,592

મતની ટકાવારી – 0.3

સ્વતંત્ર

મત- 14,37,045

મતની ટકાવારી – 3.9

કેપીજેપી

મત – 74,229

મતની ટકાવારી – 0.2

અન્ય પક્ષો અને ઉમેદવારો

મત- 6,83,632

મતની ટકાવારી – 2.2

NOTA

મત- 3,22,841

મતની ટકાવારી – 0.9

આ વખતે (2023) કોને કેટલો વોટ શેર મળ્યો?

કોંગ્રેસ – 42.9 ટકા ભાજપ – 36 ટકા જેડીએસ – 33.3 ટકા અને અન્ય – 5.8 ટકા

કોને કેટવી બેઠકો મળી

ભાજપ 65

કોંગ્રેસ 136

જેડીએસ 19

અન્ય 4

કોંગ્રેસ-JDSએ ગઠબંધન કર્યું હતું, ભાજપ પર આરોપો લાગ્યા હતા

વર્ષ 2018ની ચૂંટણીમાં, ત્રિશંકુ વિધાનસભાના જનમત પછી ભાજપને સરકાર બનાવતા અટકાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કર્યું હતું. કોંગ્રેસે જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને સીએમ તરીકે સ્વીકાર્યા હતા. આમ છતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. તેમણે પાર્ટીને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. આ પછી, ભાજપના બીએસ યેદિયુરપ્પાએ 17 મેના રોજ રાજ્યના સીએમ તરીકે શપથ લીધા હતા.

આ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસે ભાજપ પર તેમના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના અનેક આરોપો લગાવ્યા હતા. આ અંગે કોંગ્રેસે 6 ઓડિયો જાહેર કર્યા અને ભાજપ પર તેમના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસે યેદિયુરપ્પા પર બીસી પાટીલને તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. જેડીએસના વડા એચડી કુમારસ્વામીએ ભાજપ પર બહુમતી મેળવવા માટે તેમના ધારાસભ્યોને 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો.

જો કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કોંગ્રેસ અને જેડીએસે પણ શપથ ગ્રહણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર એકે સિકરી, એસએ બોબડે અને અશોક ભૂષણની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી કરી હતી અને બાદમાં મુખ્યમંત્રીના શપથગ્રહણ પર પ્રતિબંધ મૂક્યો ન હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">