AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka New CM: એક અઠવાડિયાની અંદર જ થશે કેબિનેટ બેઠક, પ્રથમ 5 વાયદાને કરીશું પુરા: સિદ્ધારમૈયા

Karnataka CM: કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ પાર્ટીના નેતા રાહુલ ગાંધી સતત કહી રહ્યા છે કે કોંગ્રેસ પહેલા પાંચ ગેરંટી પૂરી કરશે. તેમણે શનિવારે પણ ટ્વીટ કરીને આ વાતનું પુનરાવર્તન કર્યું છે.

Karnataka New CM: એક અઠવાડિયાની અંદર જ થશે કેબિનેટ બેઠક, પ્રથમ 5 વાયદાને કરીશું પુરા: સિદ્ધારમૈયા
Karnataka CM Siddaramaiah
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 5:56 PM
Share

કોંગ્રેસ વિધાનસભ્ય પક્ષ (CLP)ના નેતા સિદ્ધારમૈયા (Siddaramaiah) શનિવારે કર્ણાટકના નવા સીએમ તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ તેમણે તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન, તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમની સરકાર પ્રથમ કેબિનેટ બેઠકમાં પાંચ ગેરંટી પૂરી કરશે. આ સાથે જ જૂની સરકાર સીએમ સિદ્ધારમૈયાના નિશાના પર હતી. તેમનું કહેવું છે કે રાજ્યની જૂની સરકાર નકામી હતી. તેઓ અમને અમારા કરનો હિસ્સો યોગ્ય રીતે આપી શક્યા નથી.

કર્ણાટકના નવા સીએમનું કહેવું છે કે નાણાપંચની ભલામણ મુજબ કેન્દ્રએ અમને 5,495 કરોડ રૂપિયા આપવાના છે. અગાઉની સરકારને મળી ન હતી. નિર્મલા સીતારમણ કર્ણાટકના રાજ્યસભાના સાંસદ છે અને તેમના અને પીએમના કારણે કર્ણાટકને નુકસાન થયું છે. તે જ સમયે, સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમના ઘોષણાપત્રમાં પાંચ ગેરંટીનું વચન આપવામાં આવ્યું હતું અને તે પાંચ ગેરંટી લાગુ કરવાનો આદેશ પ્રથમ કેબિનેટ બેઠક પછી આપવામાં આવ્યો હતો. આગામી કેબિનેટ બેઠક બાદ તમામનો અમલ કરવામાં આવશે. આ બેઠક એક સપ્તાહમાં બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: G20 Meeting: અમે અમારા ક્ષેત્રમાં બેઠકો કરવા માટે સ્વતંત્ર છીએ, G20 પર ભારતે ચીનની કરી ટીકા

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ પાર્ટીના નેતા રાહુલ ગાંધી સતત કહી રહ્યા છે કે કોંગ્રેસ પહેલા પાંચ ગેરંટી પૂરી કરશે. તેમણે શનિવારે પણ ટ્વીટ કરીને આ વાતનું પુનરાવર્તન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રગતિશીલ કર્ણાટકના સપનાને સાકાર કરવાનું અમારું કામ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસની 5 ગેરંટી લોકો-કેન્દ્રિત શાસનના યુગની શરૂઆત કરશે.

રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 8 કેબિનેટ મંત્રીઓને પણ શપથ લેવડાવ્યા હતા

કર્ણાટકની નવી સરકારના મંત્રીઓએ પણ શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં એક કલાકથી વધુ સમય સુધી ચાલ્યો. સીએમ ઉપરાંત રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કોંગ્રેસના આઠ વરિષ્ઠ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહના કલાકો પહેલા, કોંગ્રેસ સમર્થકો પક્ષના ધ્વજ અને ટેટૂ સાથે પહોંચ્યા હોવાથી કાંતિરવા સ્ટેડિયમમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. સ્ટેજ પર દરેક નેતાની એન્ટ્રીથી કાર્યકરોનો ઉત્સાહ જામતો હતો. જોકે, સ્ટેડિયમમાં એન્ટ્રી ન મળતા કાર્યકરો પણ નિરાશ જોવા મળ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">