AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Meeting: અમે અમારા ક્ષેત્રમાં બેઠકો કરવા માટે સ્વતંત્ર છીએ, G20 પર ભારતે ચીનની કરી ટીકા

Sri Nagar G20 Meet: શ્રીનગરમાં G20 બેઠકનો વિરોધ કરતા ચીનને ભારતે હવે જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે અમે અમારા ક્ષેત્રમાં ક્યાંય પણ બેઠક યોજવા માટે સ્વતંત્ર છીએ.

G20 Meeting: અમે અમારા ક્ષેત્રમાં બેઠકો કરવા માટે સ્વતંત્ર છીએ, G20 પર ભારતે ચીનની કરી ટીકા
G20 meeting in Srinagar today, triple security, anti-drone security set up in Valley
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 4:40 PM
Share

G20 Meet In Sri Nagar: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં G20 બેઠકનો વિરોધ કરી રહેલા ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે અમે અમારા ક્ષેત્રમાં ક્યાંય પણ બેઠક યોજવા માટે સ્વતંત્ર છીએ. ચીને અહીં શ્રીનગરમાં G20 ટુરિઝમ ગ્રુપની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે આવી કોઈપણ બેઠકનો ભાગ બનશે નહીં.

એનડીટીવીના અહેવાલ મુજબ, ભારતે સ્પષ્ટ કર્યું કે અમે અમારા ક્ષેત્રમાં ક્યાંય પણ બેઠક યોજી શકીએ છીએ. અમે આમ કરવા માટે સ્વતંત્ર છીએ. ભારતે એમ પણ કહ્યું કે સરહદ પર શાંતિ પછી જ ચીન સાથેના સંબંધો સામાન્ય થઈ શકશે. ચીન અરુણાચલ પ્રદેશ અને લદ્દાખને પણ વિવાદિત વિસ્તાર માને છે અને અહીં યોજાયેલી બેઠકોનો પણ ચીને બહિષ્કાર કર્યો હતો.

OICના સભ્ય દેશો આ બેઠકનો વિરોધ કરી રહ્યા છે

ચીન ઉપરાંત સાઉદી અરેબિયા અને તુર્કી પણ તે દેશોમાં સામેલ છે જેમણે પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈજિપ્ત પણ શ્રીનગર બેઠકથી દૂર રહી શકે છે. આ તમામ દેશો ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના સભ્ય છે, જેઓ જમ્મુ અને કાશ્મીર પર ભારતની ટીકા કરતા રહ્યા છે. સમાચાર લખવાના સમયે અન્ય OIC સભ્ય દેશો ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ઓમાન, સંયુક્ત આરબ અમીરાતે બેઠકમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો :ચીનની અવળચંડાઇ, શ્રીનગરમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેવાનો કર્યો ઇનકાર

જી-20 બેઠક પહેલા શ્રીનગરમાં સુરક્ષા સઘન કરવામાં આવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક દેશોના નેતાઓ આ બેઠકમાં ભાગ નહીં લે, પરંતુ તેઓ તેમના રાજદ્વારીઓને મોકલી શકે છે. ઈન્ડોનેશિયાએ પણ દિલ્હીમાં હાજર પોતાના રાજદ્વારીને બેઠકમાં મોકલવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેટલાક દેશોએ સુરક્ષાના કારણોસર બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. હાઈ-પ્રોફાઈલ મીટિંગ પહેલા અહીં સુરક્ષાના અનેક સ્તરો તૈયાર કરવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રના અધિકારીને ભારતનો જવાબ

લઘુમતીઓ પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ફર્નાન્ડ ડી વેરેનેસે ભારત દ્વારા શ્રીનગરમાં યોજાયેલી બેઠકનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત શ્રીનગરમાં એક બેઠકનું આયોજન કરી રહ્યું છે જેથી કરીને અહીં માનવાધિકાર ઉલ્લંઘનને સામાન્ય બનાવી શકાય. તેમણે લોકતાંત્રિક મૂલ્યો અને અન્ય અધિકારોના ઉલ્લંઘનનો પણ દાવો કર્યો હતો. આના પર ભારતે મામલાને રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">