Surendranagarમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, 200થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં સામેલ

દર વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણમાં પક્ષપલટાની મૌસમ ચાલતી જ હોય છે. જો કે આ વખતે કોંગ્રેસને ઘણા ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી અગાઉ જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઇ ગયા છે તો દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:21 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ પક્ષપલટાની મૌસમ પણ શરુ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર (Surendranagar) કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોંગ્રેસના (Congress) આગેવાનો સહિત 200થી વધારે લોકો આજે ભાજપમાં (Bjp)જોડાયા છે.  ગાંધીનગર કમલમમાં કેસરિયો ધારણ કરીને આ 200 કાર્યકરો સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં આ મોટું ભંગાણ પડ્યું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત 200થી વધારે લોકો કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ પરમાર, લખતર APMCના ચેરમેન પ્રહલાદસિંહ રાણા, APMCના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણા ભાજપમાં જોડાયા છે. જેમની સાથે લખતર તાલુકા પંચાયતના બે સભ્ય, સુરસાગર ડેરીના ડિરેક્ટર અને કેટલાક વર્તમાન અને પૂર્વ સરપંચ સહિતના આગેવાનોએ પણ પંજો છોડીને કમળને પકડ્યું છે.

દર વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણમાં પક્ષપલટાની મૌસમ ચાલતી જ હોય છે. જો કે આ વખતે કોંગ્રેસને ઘણા ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી અગાઉ જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે તો દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આ સિવાય મહેસાણામાંથી પણ અનેક કોંગ્રેસ કાર્યકર ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારે હવે સુરેન્દ્રનગરમાંથી પણ કોંગ્રેસને ઝટકો મળ્યો છે.

આ પણ વાંચો-

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ UPના CM યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજરી આપશે , 25 માર્ચે જશે ઉત્તર પ્રદેશ

આ પણ વાંચો-

Rajkot: નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાયુ, સારવાર પહેલા જ બાળકનું મોત

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">