AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ મતદાન, જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન નોંધાયુ

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠક માટેની ચૂંટણી 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. 5 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરની કુલ 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થયું ત્યાં સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 58.32 ટકા નોંધાયું.

Gujarat Election 2022 : બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ મતદાન, જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન નોંધાયુ
બીજા તબક્કામાં અમદાવાદમાં મતદાનImage Credit source: પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 7:41 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મતદાન બાદ હવે ગુજરાતની જનતાની નજર 8 ડિસેમ્બરે આવનારા પરિણામ પર છે.  પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકાથી વધુ મતદાન થયું છે.  અમદાવાદ સહિત રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને અમદાવાદ જિલ્લા અને શહેરની 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. 5 વાગ્યા સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 58.32 ટકા નોંધાયું. જેમાં સૌથી વધુ 68.22 ટકા મતદાન સાણંદમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું નરોડામાં 52.29 ટકા મતદાન નોંધાયું છે.

કઇ બેઠક પર કેટલુ મતદાન ?

  • અમરાઈવાડી – 53.44 %
  • અસારવા – 56.59 %
  • બાપુનગર – 57.21 %
  • દાણીલીમડા – 56.00 %
  • દરિયાપુર – 58.01 %
  • દસક્રોઈ – 64.44 %
  • ધંધુકા – 59.92 %
  • ધોળકા – 66.57 %
  • એલિસબ્રિજ – 54.66 %
  • ઘાટલોડિયા – 59.62 %
  • જમાલપુર-ખાડિયા – 58.29%
  • મણીનગર – 55.35 %
  • નારણપુરા – 56.53 %
  • નરોડા – 52.29 %
  • નિકોલ – 58.00 %
  • સાબરમતી – 55.71 %
  • સાણંદ – 68.22 %
  • ઠક્કરબાપાનગર – 54.69%
  • વટવા – 55.31 %
  • વેજલપુર – 57.55 %
  • વિરમગામ – 63.95 %

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં જ મતદાન કર્યુ હતુ. વડાપ્રધાને સવારે અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ.જ્યાં હાજર લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મતદાન કરવા માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે પીએમ મોદી કતારમાં ઉભા રહ્યા હતા. વારો આવતાં જ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલામાંથી બહાર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. આ સિવાય પણ અમદાવાદમાં ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યુ હતુ.

અમદાવાદની 21 બેઠક પર મતદાનોને આકર્ષવા વડાપ્રધાન મોદીએ બે દિવસ રોડ શો કર્યા હતા. તેમ છતા અમદાવાદમાં પ્રમાણમાં મતદાન ઓછુ નોંધાયુ છે. ત્યારે હવે ત્રણેય પક્ષોના ફાળે કેટલા મત આવ્યા છે તે 8 ડિસેમ્બરના રોજ જાણવા મળશે.

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">