AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ મતદાન, જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન નોંધાયુ

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠક માટેની ચૂંટણી 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. 5 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરની કુલ 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થયું ત્યાં સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 58.32 ટકા નોંધાયું.

Gujarat Election 2022 : બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ મતદાન, જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન નોંધાયુ
બીજા તબક્કામાં અમદાવાદમાં મતદાનImage Credit source: પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 7:41 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મતદાન બાદ હવે ગુજરાતની જનતાની નજર 8 ડિસેમ્બરે આવનારા પરિણામ પર છે.  પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકાથી વધુ મતદાન થયું છે.  અમદાવાદ સહિત રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને અમદાવાદ જિલ્લા અને શહેરની 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. 5 વાગ્યા સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 58.32 ટકા નોંધાયું. જેમાં સૌથી વધુ 68.22 ટકા મતદાન સાણંદમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું નરોડામાં 52.29 ટકા મતદાન નોંધાયું છે.

કઇ બેઠક પર કેટલુ મતદાન ?

  • અમરાઈવાડી – 53.44 %
  • અસારવા – 56.59 %
  • બાપુનગર – 57.21 %
  • દાણીલીમડા – 56.00 %
  • દરિયાપુર – 58.01 %
  • દસક્રોઈ – 64.44 %
  • ધંધુકા – 59.92 %
  • ધોળકા – 66.57 %
  • એલિસબ્રિજ – 54.66 %
  • ઘાટલોડિયા – 59.62 %
  • જમાલપુર-ખાડિયા – 58.29%
  • મણીનગર – 55.35 %
  • નારણપુરા – 56.53 %
  • નરોડા – 52.29 %
  • નિકોલ – 58.00 %
  • સાબરમતી – 55.71 %
  • સાણંદ – 68.22 %
  • ઠક્કરબાપાનગર – 54.69%
  • વટવા – 55.31 %
  • વેજલપુર – 57.55 %
  • વિરમગામ – 63.95 %

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં જ મતદાન કર્યુ હતુ. વડાપ્રધાને સવારે અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ.જ્યાં હાજર લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મતદાન કરવા માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે પીએમ મોદી કતારમાં ઉભા રહ્યા હતા. વારો આવતાં જ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલામાંથી બહાર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. આ સિવાય પણ અમદાવાદમાં ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યુ હતુ.

અમદાવાદની 21 બેઠક પર મતદાનોને આકર્ષવા વડાપ્રધાન મોદીએ બે દિવસ રોડ શો કર્યા હતા. તેમ છતા અમદાવાદમાં પ્રમાણમાં મતદાન ઓછુ નોંધાયુ છે. ત્યારે હવે ત્રણેય પક્ષોના ફાળે કેટલા મત આવ્યા છે તે 8 ડિસેમ્બરના રોજ જાણવા મળશે.

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">