Gujarat Assembly Election 2022: ભાજપનો માસ્ટર પ્લાન, 12 ઓકટોબરથી શરૂ થતી ગૌરવ યાત્રામાં 145 જાહેર સભાઓ યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને તમામ રાજકીય પક્ષો રાજકીય પ્રવુતિઓમાં વ્યસ્ત છે. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ(BJP)12 ઓક્ટોબરથી 'ગુજરાત ગૌરવ યાત્રા'નું(Gujarat Gaurav Yatra) આયોજન કર્યું છે. આ યાત્રા 12 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબર સુધી ચાલશે

Gujarat Assembly Election 2022: ભાજપનો માસ્ટર પ્લાન, 12 ઓકટોબરથી શરૂ થતી ગૌરવ યાત્રામાં 145 જાહેર સભાઓ યોજાશે
Gujarat BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 8:55 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને તમામ રાજકીય પક્ષો રાજકીય પ્રવુતિઓમાં વ્યસ્ત છે. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ(BJP)12 ઓક્ટોબરથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું(Gujarat Gaurav Yatra) આયોજન કર્યું છે. આ યાત્રા 12 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબર સુધી ચાલશે. 12 અને 13 ઓક્ટોબરે 5 જગ્યાએથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. 12 ઓક્ટોબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે જગ્યાએથી યાત્રા શરૂ કરાવશે. જ્યારે 13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ ત્રણ જગ્યાએથી યાત્રાનો પ્રારંભ કરાવશે.

આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહની ત્રણ યાત્રામાંથી  એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ 9 દિવસોમાં 9 કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં જોડાશે અને આખો દિવસ યાત્રામાં વિતાવશે. આ ક્રમમાં 12 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવે ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે. જ્યારે 13 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન યાત્રામાં સામેલ થશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 14 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 15 ઓક્ટોબરે જોડાશે. 16 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાણ યાત્રામાં જોડાશે. 17મીએ સમગ્ર પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ સામેલ થશે. પ્રહલાદ જોશી 18 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે. 19 ઓક્ટોબરે  કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ યાત્રામાં જોડાશે અને છેલ્લા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે.

5734 કિલોમીટરની યાત્રામાં 144 વિધાનસભા થશે, 145 જાહેરસભા થશે

ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી ગુજરાત મૂળના 5 કેન્દ્રીય મંત્રીઓ પર રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડૉ. મહેન્દ્ર મુંજપરા અને પુરૂષોત્તમ રૂપાલા જવાબદારી નિભાવશે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. આ યાત્રા દરમિયાન કુલ 145 જાહેર સભાઓ યોજાશે. પાંચ યાત્રાઓની શ્રેણીમાં પ્રથમ યાત્રા 12 ઓક્ટોબરથી શરૂ થતા 9 દિવસમાં 9 જિલ્લાની 33 વિધાનસભાઓને આવરી લેતી કુલ 1730 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પ્રથમ યાત્રા 12 ઓક્ટોબરે સવારે 11 કલાકે બહુચરજી માતાના દરબારથી શરૂ થશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જ્યારે આ શ્રેણીની બીજી યાત્રા 13 ઓક્ટોબરથી શરૂ થશે, જે 13 જિલ્લાની 35 વિધાનસભાની મુલાકાત લઈને કુલ 990 કિમીનો પ્રવાસ કરશે. ત્રીજી યાત્રા 14 જિલ્લાના 31 વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ 1068 કિલોમીટરનું અંતર કાપશે.  ચોથી યાત્રા 876 કિલોમીટરની મુસાફરી કરીને 21 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.   પાંચમી અને અંતિમ યાત્રા કુલ 1070 કિમી કવર કરશે અને 9 જિલ્લાની 24 વિધાનસભાઓમાંથી પસાર થશે. આ તમામ મુલાકાતો 20 ઓક્ટોબરે પૂરી થશે અને સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે એક મોટી રેલીને સંબોધિત કરશે. જો કે આ રેલીની સત્તાવાર જાણ કરવામાં આવી નથી, પરંતુ પાર્ટીના સૂત્રો કહે છે કે તે અમદાવાદ અથવા ગાંધીનગરમાં રેલીયોજવામાં આવી શકે છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">