Balasinor Election Result 2022 Live Updates : બાલાસિનોર વિધાનસભા બેઠક પર ભાજપના માનસિંહ ચૌહાણની 51 હજારથી વધુ મતથી જીત
Balasinor MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati: બાલાસિનોરના વોટ શેરની જો વાત કરીએ તો ભાજપના માનસિંહ કોહ્યાભાઈ ચૌહાણને 74,018 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના અજિતસિંહ પર્વતસિંહ ચૌહાણને 84,620 મત મળ્યા હતા. બાલાસિનોર વિધાનસભા બેઠક પર ભાજપના માનસિંહ ચૌહાણની 51 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણની હાર થઈ છે.
ગુજરાતની બાલાસિનોર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 બાલાસિનોર વિધાનસભા બેઠક પર ભાજપના માનસિંહ ચૌહાણની 51 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણની હાર થઈ છે. ગુજરાતની મહિસાગર જિલ્લાની બાલાસિનોર બેઠક પર ભાજપે માનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમણે બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 5,19,621 છે. જ્યારે કોંગ્રેસે અજીતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમણે બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 33,82,350ની જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઉદયસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમણે બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 29,06,590ની જંગમ મિલકત છે.
આ બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે હતી. કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા માનસિંહ કોહ્યાભાઈ ચૌહાણ 2007ની ચૂંટણીમાં અને 2012ની ચૂંટણીમાં જીત્યા હતા. પરંતુ 2017માં માનસિંહ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપ વતી ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને ભાજપમાંથી પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2017માં કોને કેટલા વોટ મળ્યા
બાલાસિનોરના વોટ શેરની જો વાત કરીએ તો ભાજપના માનસિંહ કોહ્યાભાઈ ચૌહાણને 74,018 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના અજિતસિંહ પર્વતસિંહ ચૌહાણને 84,620 મત મળ્યા હતા. ભાજપના માનસિંહને 10602 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના અજિતસિંહવને 43.25 ટકા મત મળ્યા હતા.
વર્ષ 2012ની જો વાત કરીએ તો માનસિંહ કોહ્યાભાઈ ચૌહાણે કોંગ્રેસમાંથી લડ્યા હતા. ત્યારે તેમને 87,088 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રાજેશ પાઠક ઉર્ફે પપ્પુભાઈ ગજાનનને 69,917 વોટ મળ્યા હતા.
2002 બાદ ત્રણ ટર્મ બાદ બાલાસિનોર બેઠક પર ભાજપની જીત
મહિસાગર જિલ્લાની બાલાસિનોર બેઠક પર ત્રણ ટર્મથી કોંગ્રેસનો દબદબો હતો. છેલ્લે 2002માં ભાજપના રાજેશ પાઠક ઉર્ફે પપ્પુ પાઠકે અહીં જીત મેળવી હતી. ત્યારબાદ 2007માં કોંગ્રેસના માનસિંહ કોહ્યાભાઈ ચૌહાણ જીત્યા હતા. વર્ષ 2012માં પણ કોંગ્રેસે અહીંથી માનસિંહને લડાવ્યા હતા અને માનસિંહે જીત નોંધાવી હતી. વર્ષ 2017માં માનસિંહે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા અને હાર્યા હતા. જ્યારે કોંગ્રેસના અજિતસિંહ જીત્યા હતા.
બાલાસિનોર બેઠક પર જાતિગત સમીકરણ
એક સમયે બાલાસિનોર નવાબોનુ શહેર ગણાતુ હતુ. બાલાસિનોરમાં OBC મતદારો વધુ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માનસિંહ ચૌહાણ ઠાકોર સમાજમાંથી આવે છે. જ્યારે કોંગ્રેસના અજિતસિંહ ચૌહાણ પણ ઠાકોર સમાજમાંથી આવે છે. તેઓ અહીંથી 5 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યુ છે. આ સાથે જ આ વર્ષે ભાજપ ત્યાં કમળ ખીલવવામાં સફળ રહી છે. આ બેઠક પર કુલ 2 લાખ 88 હજાર 142 મતદારો છે. જેમા 1 લાખ 47 હજાર 737 પુરુષ મતદારો છે જ્યારે 1 લાખ 40 હજાર 399 સ્ત્રી મતદારો છે.
આ પણ વાંચો: