Goa Election : મનોહર પર્રિકરના પુત્રને ભાજપે ટિકિટ નહી આપતા, ઉત્પલ પર્રિકરે અપક્ષ તરીકે લડવાની કરી જાહેરાત

Goa Election 2022: ઉત્પલ પર્રિકરે (Utpal Parrikar) જાહેરાત કરી છે કે તેઓ પણજી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે.

Goa Election : મનોહર પર્રિકરના પુત્રને ભાજપે ટિકિટ નહી આપતા, ઉત્પલ પર્રિકરે અપક્ષ તરીકે લડવાની કરી જાહેરાત
Utpal Parrikar ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:58 PM

ગોવાના (Goa) પૂર્વ મુખ્યમંત્રી સ્વ. મનોહર પર્રિકરના (Manohar Parrikar) પુત્ર ઉત્પલ પર્રિકરે (Utpal Parrikar) જાહેરાત કરી છે કે તેઓ પણજી મતવિસ્તારમાંથી (Panaji constituency) અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ભાજપે તેમને આ બેઠક પરથી ટિકિટ આપી ન હતી. ઉલ્લેખનીય છે કે ગોવાના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય રાજનીતિમાં શાલીનતા અને સાદગીના ઉદાહરણ એવા મનોહર પર્રિકર પણજી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ગોવા વિધાનસભામાં (Goa Assembly Election) પ્રતિનિધિત્વ ચાલુ રાખ્યું હતું.

મનોહર પર્રિકરના અવસાન બાદ પણજી બેઠક માટે સૌથી મોટા દાવેદાર તેમના પુત્ર ઉત્પલ પર્રિકર હતા. જોકે, મનોહર પર્રિકરના નિધન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ઉત્પલને ટિકિટ આપી ન હતી. આવી સ્થિતિમાં ઉત્પલે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. શિવસેનાના નેતા સંજય રાઉતે હાલમાં જ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે જો ઉત્પલ પણજી વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડે છે, તો કોઈપણ પક્ષે તેમની સામે ઉમેદવાર ન ઉભા રાખવો જોઈએ અને સ્વર્ગસ્થ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ. તેમની આ અપીલ કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી જેવા વિરોધ પક્ષોને હતી.

કેજરીવાલે AAPમાં જોડાવાની ઓફર કરી હતી સંજય રાઉતની (Sanjay Raut) અપીલ બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ઉત્પલ પર્રિકરને પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. એક પ્રશ્નના જવાબમાં કેજરીવાલે પત્રકારોને કહ્યું કે, હું મનોહર પર્રિકરનું સન્માન કરું છું. જો તેમના પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાવા ઈચ્છતા હોય, તો તેઓનું ખૂબ સ્વાગત છે.” જ્યારે પણજીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાલ્મીકી નાઈકે પણ ઉત્પલ માટે તેમની ઉમેદવારી પરત ખેંચવાની ઓફર કરી છે. પણજી વિધાનસભા બેઠક હાલમાં ભાજપના કબજામાં છે અને અતાનાસિયો મોન્સેરેટ આ બેઠક પરથી ધારાસભ્ય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તાજેતરમાં જ બીજેપીના ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે ઉત્પલ પર્રિકર પર નિશાન સાધતા કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ માત્ર એટલા માટે ભાજપની ટિકિટ મેળવવા માટે લાયક નથી બની જતો કે તે મનોહર પર્રિકર અથવા અન્ય કોઈ નેતાનો પુત્ર છે. 40 સભ્યોની ગોવા વિધાનસભા માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 10 માર્ચે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવશે.

આ પણ વાંચોઃ

Goa Assembly Election 2022: કોંગ્રેસે ગોવા માટે વધુ 5 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો રાજધાની પણજીમાં કોને મળી ટીકીટ

આ પણ વાંચોઃ

Goa Election 2022: કેજરીવાલે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાનના પુત્રને પાર્ટીમાં જોડાવાની કરી ઓફર, જાણો શું છે સમગ્ર મામલો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">