AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Election 2022: કેજરીવાલે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાનના પુત્રને પાર્ટીમાં જોડાવાની કરી ઓફર, જાણો શું છે સમગ્ર મામલો

અરવિંદ કેજરીવાલે ઉત્પલ પર્રિકરને ગોવાની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાની ઓફર કરી છે.

Goa Election 2022: કેજરીવાલે ગોવાના પૂર્વ મુખ્યપ્રધાનના પુત્રને પાર્ટીમાં જોડાવાની કરી ઓફર, જાણો શું છે સમગ્ર મામલો
Kejriwal give offer to Utpal parrikar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 4:39 PM
Share

Goa Election 2022: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ગુરુવારે પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને (Utpal Parrikar) AAPમાં જોડાઈને ચૂંટણી લડવા જણાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે જાહેરમાં આ ઓફર કરી છે. તેણે એક ખાનગી ચેનલનો વીડિયો ટ્વીટ કરીને પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાજપ ઉત્પલને તેમના પિતાના મતવિસ્તાર પણજીથી ચૂંટણી લડવા દેતા નથી.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, ‘ગોવાના લોકો ખૂબ જ દુઃખી છે કે ભાજપે પર્રિકર પરિવાર સાથે પણ Use and Through નીતિ અપનાવી છે. મેં હંમેશા મનોહર પર્રિકર જીનું સન્માન કર્યું છે. AAPની ટિકિટ પર ચૂંટણી લડવા માટે ઉત્પલ જીનું સ્વાગત છે. તમને જણાવી દઈએ કે મનોહર પર્રિકરનું 2019માં નિધન થયું હતું.

શિવસનાએ ઉત્પલને ટેકો આપ્યો

થોડા દિવસો પહેલા જ ભાજપના હરીફ શિવસેનાએ ઉત્પલ પર્રિકરને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના સંજય રાઉતે ટ્વીટ કર્યું હતુ કે, “જો ઉત્પલ પર્રિકર પણજી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડે છે તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી સહિત તમામ બિન-ભાજપ પક્ષો તેમની ઉમેદવારીનું સમર્થન કરવું જોઈએ. મનોહરભાઈને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. હાલમાં ઉત્પલ પર્રિકરને લઈને ગોવામાં રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે.

ભાજપે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી

તમને જણાવી દઈએ કે ભાજપે ગુરુવારે આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને સંકલિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે પાર્ટીએ છ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. પક્ષ દ્વારા નામાંકિત 34 ઉમેદવારોમાંથી નવ ખ્રિસ્તી સમુદાયના છે, જ્યારે ત્રણ સામાન્ય બેઠકો પર અનુસૂચિત જનજાતિના નેતાઓનુ નામાંકન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">