AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCF 2023 Draft : બદલાઈ જશે આખી Education System, જાણો કેવા થશે ફેરફાર

NCF Draft : નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક (NCF) ના ડ્રાફ્ટમાં શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની માહિતી આપવામાં આવી છે. જેમાં ફર્સ્ટ ક્લાસથી લઈને 12મા ધોરણમાં મોટા ફેરફારો કરવા સૂચનો આપવામાં આવ્યા છે.

NCF 2023 Draft : બદલાઈ જશે આખી Education System, જાણો કેવા થશે ફેરફાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 1:08 PM
Share

NCF Draft : ભારતમાં શાળા શિક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે બદલાવાની છે. ટૂંક સમયમાં તમને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ જોવા મળશે, જ્યારે ધોરણ 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે સાયન્સ, હ્યુમેનિટીજ અને કોમર્સના વિષયોનો એકસાથે અભ્યાસ કરવાનો વિકલ્પ હશે. હકીકતમાં આ બાબતો શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક (NCF) ના ડ્રાફ્ટમાં આપવામાં આવી છે. એનસીએફ ડ્રાફ્ટ પર લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે.

આ પણ વાંચો : NCF Draft : વાહ ! આટલા ધોરણ સુધીના ભૂલકાંઓને ‘મોટી રાહત’, નહીં આપવી પડે પરીક્ષા ! તો કેવી રીતે થશે ‘ટેસ્ટ’

2005 પહેલા NCFમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો

સૌથી પહેલા તો NCF શું છે, ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ. ખરેખર, NCF એ મુખ્ય ડોક્યુમેન્ટ્સ છે, જેના આધારે પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. તેમાં છેલ્લે 2005માં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર દરમિયાન ફેરફાર કરવામાં આવ્યો હતો. આમ હાલમાં તમામ NCERT પુસ્તકો NCF 2005 પર આધારિત છે. 2005 પહેલા NCFમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે વર્તમાન NCF તૈયાર કરવા માટે સપ્ટેમ્બર 2021 થી કામ ચાલી રહ્યું હતું.

સેકન્ડરી સ્ટેજમાં શું થશે ફેરફારો?

NCFમાં સૌથી મોટો ફેરફાર ધોરણ-9માંથી 12માં ધોરણમાં જોવા મળશે. ધોરણ-9 અને 10 માં, વિદ્યાર્થીઓએ આઠ કરિકુલર એરિયા હેઠળ વર્ગીકૃત થયેલા 16 અભ્યાસક્રમોનો અભ્યાસ કરવો પડશે. સૂચિત કરિકુલર એરિયા હ્યુમેનિટિજ (જેમાં ભાષાઓનો સમાવેશ થાય છે), ગણિત અને કોમ્પ્યુટિંગ, વોકેશનલ એજ્યુકેશન, શારીરિક શિક્ષણ, આર્ટ્સ, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ઈન્ટર ડિસિપ્લિનરી છે. વિદ્યાર્થીઓએ દર વર્ષેની એમ કુલ આઠ બોર્ડની પરીક્ષા આપશે. 10માં અંતિમ પ્રમાણપત્ર માટે બે વર્ષની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવશે.

ધોરણ 11 અને 12માં NCFમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે. 12માં વિદ્યાર્થીઓએ સેમેસ્ટર સિસ્ટમમાંથી પસાર થવું પડશે. વિદ્યાર્થીઓ પાસે આઠ અભ્યાસક્રમ ક્ષેત્રોમાંથી 16 અભ્યાસક્રમો પસંદ કરવાનો વિકલ્પ પણ હશે. હાલમાં ધોરણ 12માં પાંચ વિષય છે. આ કારણે, અન્ય ઘણા પ્રવાહોના વિષયોનો અભ્યાસ કરવાનો કોઈ વિકલ્પ નથી. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પાસે આર્ટસ વિષયનો અભ્યાસ કરવાનો વિકલ્પ નથી પરંતુ નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્રની સાથે ઇતિહાસનો અભ્યાસ કરવાની તક મળશે.

પ્રી-પ્રાઈમરી લેવલે પર શું થશે ફેરફારો?

ફાઉન્ડેશન લેવલ પર એટલે કે 3 થી 8 વર્ષના બાળકોને ભણાવવા માટે, રમત આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. આ બાળકોને પ્રિસ્કુલ અને સેકન્ડ ક્લાસ સુધી આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે. બાળકોને શીખવવા માટે રમકડાં, કોયડા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવશે. ત્રીજા, ચોથા અને પાંચમા ધોરણના બાળકોને ભણાવવા માટે ભાષા, ગણિતના પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવશે. આ વર્ગો માટે પણ, પ્રવૃત્તિ અને શોધ આધારિત શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવશે. મધ્યમ તબક્કામાં ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે સોશિયલ સાયન્સ દાખલ કરવામાં આવશે.

નવી શિક્ષણ વ્યવસ્થા ક્યારે અમલમાં આવશે?

સરકારે તાજેતરમાં બદલાયેલા એનસીએફના આધારે પુસ્તકોની જાહેરાત કરી છે. આ પુસ્તકોમાંથી અભ્યાસ શૈક્ષણિક સત્ર 2024-25માં શરૂ કરવામાં આવશે. જો કે હજુ સુધી પરીક્ષાની પેટર્ન, મૂલ્યાંકન અને વિષયની રચનામાં ફેરફાર અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો….

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">