AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળકોને સ્કૂલ બેગના વજનથી થોડી રાહત મળશે, અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’, આ રાજ્યમાં આદેશ જાહેર

No Bag Day Policy: સ્કૂલ બેગનું વજન નક્કી કરવાની સાથે રાજ્ય સરકારે અઠવાડિયામાં એક દિવસ 'નો બેગ ડે' કરવાની પણ સૂચના આપી છે. નિર્દેશ મુજબ, શાળાઓને અઠવાડિયામાં એકવાર, સામાન્ય રીતે શનિવારે 'નો બેગ ડે' મનાવવા માટે કહેવામાં આવ્યું છે.

બાળકોને સ્કૂલ બેગના વજનથી થોડી રાહત મળશે, અઠવાડિયામાં એક દિવસ 'નો બેગ ડે', આ રાજ્યમાં આદેશ જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 11:44 AM
Share

No Bag Day Policy: બાળકો પર સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી સૂચનાઓ અનુસાર હવે બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત વજન કરતાં વધી શકશે નહીં. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’

રાજ્ય સરકારે સ્કૂલ બેગનું વજન નક્કી કરવા ઉપરાંત અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’ મનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. નિર્દેશ મુજબ, શાળાઓને અઠવાડિયામાં એકવાર, સામાન્ય રીતે શનિવારે ‘નો બેગ ડે’ મનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ દિવસે બાળકોએ સ્કુલ બેગ વિના શાળાએ આવવાનું રહેશે અને તેમને પુસ્તકીય અભ્યાસ ઉપરાંત પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવશે.

કમિટી દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો

રાજ્ય સરકારે આ આદેશો ડૉ. વીપી નિરંજનરાધ્યા કમિટીએ આપેલી ભલામણોના આધારે જાહેર કર્યા છે. આ સમિતિની રચના રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ બેગના વજન પર આરોગ્ય પર થતી અસરનો અભ્યાસ કરવા માટે કરવામાં આવી હતી. કમિટીએ 2018-19 દરમિયાન તેનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો, જેના આધારે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જાહેર કરાયેલી સૂચનાઓનો તેમના જિલ્લાઓમાં બ્લોક લેવલના શિક્ષણ અધિકારીઓ દ્વારા કડકપણે અમલ કરવાનો રહેશે.

આ પણ વાંચો : NCERT Book News : પુસ્તકોમાંથી પીરીયોડિક ટેબલ હટાવવામાં આવ્યું નથી, હવે ધોરણ-11ના વિદ્યાર્થીઓ કરશે અભ્યાસ

નોંધનીય છેકે ગત વરસે ફેબ્રુઆરી મહિનામાં તમિલનાડુ સરકારે પણે નો સ્કુલ બેગ ડે મનાવવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ દ્વારા વહન કરવામાં આવતા પુસ્તકોના બોજને ઘટાડવાનો અને શાળાઓને વિદ્યાર્થીઓને અનુભવ દ્વારા જીવન શિક્ષણ આપવા સક્ષમ બનાવવાનો છે.

આ ઉપરાંત, પ્રોજેક્ટનો હેતુ વિદ્યાર્થીઓના તણાવને ઘટાડવા અને ખુશનુમા વાતાવરણ બનાવવા અને તંદુરસ્ત જીવનના આધારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. તે જાણ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે તેમની વ્યક્તિગત પ્રતિભા વ્યક્ત કરવાની, તણાવ મુક્ત વાતાવરણમાં અનુભવો દ્વારા શીખવાની અને શારીરિક, માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓ વિકસાવવાની તક હશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">