આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે Children’s Day, જાણો શું છે તેનું મહત્વ

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં આજે દેશભરમાં Children's Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.

આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે Children’s Day, જાણો શું છે તેનું મહત્વ
Happy Childrens Day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 9:03 AM

દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં Children’s Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો. તેમનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પૂર્વ વડાપ્રધાન Pandit Jawaharlal Nehruને ‘ચાચા નેહરુ’ કહેવામાં આવતા હતા. કારણ કે તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ બાળકોને દેશની ભાવિ સંપત્તિ માનતા હતા. તેઓ માનતા હતા કે દેશના બાળકો માટે શિક્ષણ સૌથી મહત્વની બાબત છે. આ જ કારણ છે કે આઝાદી પછી દેશની બાગડોર સંભાળતી વખતે તેમણે ઘણી જાણીતી સંસ્થાઓનું નિર્માણ કરવાનો આગ્રહ રાખ્યો હતો.

IIT, IIM જેવી સંસ્થાઓ બનાવવા પર આપ્યું ભાર

જવાહરલાલ નેહરુએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (NIT) જેવી અગ્રણી સંસ્થાઓ પર આગ્રહ રાખ્યો હતો. પૂર્વ PMએ કહ્યું હતું કે, ‘આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે. અમે તેમને જે રીતે ઉછેરશું તે દેશનું ભવિષ્ય નક્કી કરશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અગાઉ બાળ દિવસ 20 નવેમ્બરે આવતો હતો

14 નવેમ્બરને ભારતમાં ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1956થી જ શરૂ થયો હતો. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્ર હેઠળ, 20 નવેમ્બરને Universal Childrens Day તરીકે ઉજવવામાં આવે છે. જોકે, 1964માં પંડિત નેહરુનું અવસાન થયું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, તેમની જન્મજયંતિના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

ભારતીય સંસદે, એક ઠરાવ પસાર કરતી વખતે, દેશના પ્રથમ વડા પ્રધાનની જન્મજયંતિને બાળ દિવસ તરીકે નિયુક્ત કરી. આ જ કારણ છે કે ત્યારથી લઈને આજ સુધી દેશમાં 14 નવેમ્બરને Bal Diwas તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ સમયે, ઘણી જગ્યાએ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકો આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">