AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે Children’s Day, જાણો શું છે તેનું મહત્વ

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં આજે દેશભરમાં Children's Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો.

આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે Children’s Day, જાણો શું છે તેનું મહત્વ
Happy Childrens Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 9:03 AM
Share

દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ દેશની વિવિધ શાળાઓમાં Children’s Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો. તેમનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પૂર્વ વડાપ્રધાન Pandit Jawaharlal Nehruને ‘ચાચા નેહરુ’ કહેવામાં આવતા હતા. કારણ કે તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓ બાળકોને દેશની ભાવિ સંપત્તિ માનતા હતા. તેઓ માનતા હતા કે દેશના બાળકો માટે શિક્ષણ સૌથી મહત્વની બાબત છે. આ જ કારણ છે કે આઝાદી પછી દેશની બાગડોર સંભાળતી વખતે તેમણે ઘણી જાણીતી સંસ્થાઓનું નિર્માણ કરવાનો આગ્રહ રાખ્યો હતો.

IIT, IIM જેવી સંસ્થાઓ બનાવવા પર આપ્યું ભાર

જવાહરલાલ નેહરુએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (NIT) જેવી અગ્રણી સંસ્થાઓ પર આગ્રહ રાખ્યો હતો. પૂર્વ PMએ કહ્યું હતું કે, ‘આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે. અમે તેમને જે રીતે ઉછેરશું તે દેશનું ભવિષ્ય નક્કી કરશે.

અગાઉ બાળ દિવસ 20 નવેમ્બરે આવતો હતો

14 નવેમ્બરને ભારતમાં ‘બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1956થી જ શરૂ થયો હતો. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્ર હેઠળ, 20 નવેમ્બરને Universal Childrens Day તરીકે ઉજવવામાં આવે છે. જોકે, 1964માં પંડિત નેહરુનું અવસાન થયું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, તેમની જન્મજયંતિના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

ભારતીય સંસદે, એક ઠરાવ પસાર કરતી વખતે, દેશના પ્રથમ વડા પ્રધાનની જન્મજયંતિને બાળ દિવસ તરીકે નિયુક્ત કરી. આ જ કારણ છે કે ત્યારથી લઈને આજ સુધી દેશમાં 14 નવેમ્બરને Bal Diwas તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ સમયે, ઘણી જગ્યાએ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકો આ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે છે.

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">