5000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકનાર બાયજુએ ગ્લોબલ સ્ટાર લિયોનેલ મેસીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરી નિમણૂક

BYJU News : બાયજુ અને લિયોનેલ મેસ્સી વચ્ચેના કરાર સાથે આ કંપની વિદેશ સુધી ઓળખ બનશે, કારણ કે ફૂટબોલ સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે. કારણ કે વિશ્વભરમાં ફૂટબોલના લગભગ 3.5 અબજ ચાહકો છે.

5000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકનાર બાયજુએ ગ્લોબલ સ્ટાર લિયોનેલ મેસીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરી નિમણૂક
BYJU Lionel Messi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 8:40 AM

એડટેક કંપની બાયજુએ પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસીને તેના સામાજિક પ્રભાવ એકમ ‘એજ્યુકેશન ફોર ઓલ’ માટે પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. BYJUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેરિસ સેન્ટ-જર્મેન અને આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમ માટે ક્લબ ફૂટબોલના કેપ્ટન મેસ્સીએ BYJU સાથે શિક્ષણમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બાયજુ દ્વારા મેસીને એવા સમયે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, જ્યારે કંપનીએ તાજેતરમાં 5000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

દિવ્યા ગોકુલનાથે કહી આ વાત

દિવ્યા ગોકુલનાથે, સહ-સ્થાપક, BYJUએ જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લિયોનેલ મેસ્સીને મળવા માટે ઉત્સાહિત અને સન્માનિત છીએ. તે ગ્રાસરૂટ લેવલથી સૌથી સફળ ખેલાડીઓમાંનો એક પણ બની ગયો છે. બાયજુ એજ્યુકેશન ફોર ઓલ (EFA) લગભગ 5.5 મિલિયન બાળકોને સમાન તક પૂરી પાડવા માંગે છે. મેસ્સી કરતાં વધુ સારી રીતે માનવ ક્ષમતાની શક્તિનું કોણ પ્રદર્શન કરી શકે છે.

મેસીએ શું કહ્યું?

બાયજુ અને મેસ્સી વચ્ચેના કરારથી કંપનીને વિદેશમાં ઓળખ મળશે, કારણ કે વિશ્વભરમાં ફૂટબોલના લગભગ 3.5 અબજ ચાહકો છે. તે જ સમયે, લિયોનેલ મેસીના સોશિયલ મીડિયા પર લગભગ 450 મિલિયન ફોલોઅર્સ છે. “ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ જીવનને બદલી નાખે છે અને બાયજુએ વિશ્વભરના લાખો વિદ્યાર્થીઓની કારકિર્દીનો માર્ગ બદલી નાખ્યો છે,” મેસ્સીએ કહ્યું. હું યુવાનોને પ્રેરણા આપવાની આશા રાખું છું. અગાઉ, બાયજુ કતારમાં યોજાનારા ફિફા વર્લ્ડ કપ 2022 માટે ઓફિશિયલી સ્પોન્સર બન્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કંપનીને 4.5 હજાર કરોડનું નુકસાન થયું હતું

અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે મેસીને બાયજુ દ્વારા એવા સમયે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે જ્યારે કંપનીએ તેના પાંચ ટકા કર્મચારીઓની છટણી કરી છે. બાયજુમાં 50,000 કર્મચારીઓ કામ કરતા હતા અને કંપનીએ લગભગ 2500 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. કંપનીએ કહ્યું કે નુકસાન ઘટાડવા અને નફો મેળવવા માટે આવું કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીને 4,589 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.

જો કે હજુ સુધી કંપની દ્વારા એ નથી જણાવવામાં આવ્યું કે, મેસીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે કેટલા પૈસા આપવામાં આવ્યા હતા પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે કંપનીએ પ્રમોશન અને બ્રાન્ડ એમ્બેસેડર માટે કોઈ મોટા નામ સાથે કરાર કર્યા હોય. અગાઉ 2017માં કંપનીએ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.

(ભાષા ઇનપુટ સાથે)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">