દાડમના બગીચાને વધતા તાપમાન અને તડકાથી બચાવવા ખેડૂતે કર્યો દેશી જુગાડ, સર્વત્ર થઈ રહી છે ચર્ચા
Pomegranate Farming: વધતા તાપમાનના કારણે દાડમ (Pomegranate)ના બગીચાને પણ મોટા પાયે અસર થઈ રહી છે. આવા સંજોગોમાં ખેડૂતો બગીચાને બચાવવા માટે દેશી જુગાડ અપનાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના બાગાયતી ખેડૂતો આ દિવસોમાં મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. વધતા તાપમાનના કારણે ફળો પર રોગો અને જીવાતોનો પ્રકોપ વધી રહ્યો છે. માલેગાંવના ખેડૂતો (Farmers)તેમના ફળોના બગીચાને વધતા તાપમાનથી બચાવવા માટે વિવિધ આઈડીયા પર કામ કરી રહ્યા છે. અહીં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને તેની અસર રવિ સિઝનના મુખ્ય પાકો તેમજ ફળફળાદી પર પણ વર્તાવા લાગી છે. વધતા તાપમાનના કારણે દાડમ(Pomegranate)ના બગીચાને પણ મોટા પાયે અસર થઈ રહી છે. આવા સંજોગોમાં ખેડૂતો બગીચાને બચાવવા માટે દેશી જુગાડ અપનાવી રહ્યા છે.
માલેગાંવમાં રહેતા ખેડૂત સુરેશ નિકમે 1 એકરમાં 300 થી વધુ દાડમના વૃક્ષો વાવ્યા છે. તેઓ વધતા તાપમાનથી બગીચાને બચાવવા માટે સાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતે પોતાના આખા બગીચાને સાડીથી ઢાંકી દીધા છે જેથી વૃક્ષો સૂર્યના તાપથી સુરક્ષિત રહે. ખેડૂતના આ જુગાડની જિલ્લાભરમાં ચર્ચા થઈ રહી છે.
આબોહવા પરિવર્તનને કારણે દાડમના બગીચાને સૌથી વધુ નુકસાન થયું છે. આબોહવા પરિવર્તનને કારણે બગીચાઓમાં પિનહોલ બોરરનો પ્રકોપ વધી ગયા બાદ ખેડૂતો પાસે તેમના આખા બગીચાને કાપી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ખેડૂતોનું કહેવું છે કે વધતા તાપમાનના કારણે દાડમના બગીચા હવે જોખમમાં મુકાયા છે. કૃષિ વિભાગ ખેડૂતોને જીવાતથી છુટકારો મેળવવા મદદ કરી રહ્યું છે.
પાક બચાવવા માટે ખેડૂતે દેશી જુગાડ અપનાવ્યો
ખેડૂત સુરેશ નિકમે વૃક્ષોને વધતા તાપમાન અને તડકાથી બચાવવા માટે સ્થાનિક બજારમાંથી જૂની સાડીઓ ખરીદી છે. તેણે આખા દાડમના બગીચાને સાડીથી ઢાંકી દીધા છે. તેઓએ 300 વૃક્ષોને સાડી વડે આવરી લીધા છે. આ કામમાં કુલ 5000 રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ બગીચો સલામત બન્યો છે. તેમણે કહ્યું કે આ જુગાડથી કમસેકમ ફળો તો સૂર્યપ્રકાશથી સુરક્ષિત રહેશે.
દરેક લોકો આ જુગાડની પ્રશંસા કરી રહ્યા છે
સમગ્ર જિલ્લાના ખેડૂતો આ દેશી જુગાડને સમર્થન આપી રહ્યા છે. ત્યારે ગામના અન્ય કેટલાક ખેડૂતો પણ આવા જ જુગાડનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂત સુરેશ નિકમ કહે છે કે જગ્યા ઓછી હતી તેથી તેઓ આવી યોજના બનાવી શક્યા. આ સમયે આપણા પાકને વધતા તાપમાનથી બચાવવા જરૂરી બની ગયું છે. દાડમના બગીચાને બચાવવા માટે અન્ય ખેડૂતો પણ આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. ઓછા ખર્ચે અને દેશી જુગાડથી ઉનાળામાં ફળોને બચાવી શકાય તેવો ખેડૂતોને વિશ્વાસ છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, DAP ખાતરની સબસીડીમાં વધારો કરાયો
આ પણ વાંચો: ગુજરાત સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 1 એપ્રિલથી ખેડૂતોને ડુંગળીની ખરીદી પેટે 2 રૂપિયા વધુ ચુકવવાની જાહેરાત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો