AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, DAP ખાતરની સબસીડીમાં વધારો કરાયો

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી (fertilizer) ખાતરનો અંદાજે 5 લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. 850/- કરોડની સબસીડીનો ફાયદો થશે.

કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, DAP ખાતરની સબસીડીમાં વધારો કરાયો
DAP Fertilizer
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 10:09 PM
Share

કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel)જણાવ્યું છે કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI)  માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના (fertilizer) ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવેલ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયેલ છે. જેના પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખુબ વધારો થવા પામ્યો હતો.

  • ડી.એ.પી ખાતરની સબસીડીમાં રૂપિયા ૮૫૦નો વધારો કરાયો: રાજ્યના ખેડૂતોને લાભ
  • રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ

આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી રૂ. 1650/- પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી રૂ. 2501 /- પ્રતિ બેગ કરવામાં આવેલ છે. આમ, પ્રતિ બેગ રૂ. 850/- ની માતબર સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજયના ખેડૂતોને પણ થશે. આ માટે રાજયના ખેડૂતો વતી મુખ્પમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રાસાયણ ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યકત કર્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે 5 લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. 850/- કરોડની સબસીડીનો ફાયદો થશે.

સરકારનો પ્રયાસ છે કે કાચા માલના ભાવ વધારાનો બોજ ખેડૂતો પર ના પડે. તેથી જ તે સબસિડીનો વધુ બોજ ઉઠાવવાની તૈયારી કરી રહી છે.રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરોના કાચા માલની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. કારણ કે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરોના પુરવઠાને અસર થઈ રહી છે. ખાતર કંપનીઓના જણાવ્યા અનુસાર કાચો માલ ઘણો મોંઘો થઈ ગયો છે. ખાતરનો કાચો માલ કેનેડા, ચીન, જોર્ડન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને અમેરિકાથી પણ આવે છે.

આ પણ વાંચો :ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ડુંગળીની ખરીદી પેટે કિલોએ બે રૂપિયા સરકાર ચૂકવશે

આ પણ વાંચો :GT vs SRH, IPL 2022: ગુજરાત સામે અભિષેક અને માર્કરમની અડધી સદીની રમત વડે હૈદરાબાદે 195 રનનો સ્કોર ખડક્યો, શામીની 3 વિકેટ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">