તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કૃષિ મંત્રાલય લાવી રહ્યું છે નવી પોલિસી, ઉત્પાદક ખેડૂતોને ફાયદો પહોંચાડવાની થઈ રહી છે તૈયારી

આ યોજના હેઠળ, કૃષિ મંત્રાલય અને તેની સંલગ્ન સંસ્થાઓને તેલીબિયાંનું ઉત્પાદન કરતા ખેડૂતો અને તેની સાથે સંકળાયેલ પ્રોસેસર્સને ફાયદો થશે, જે પ્રોત્સાહન (પ્રોત્સાહક રકમ)ના સ્વરૂપમાં હોઈ શકે છે.

તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કૃષિ મંત્રાલય લાવી રહ્યું છે નવી પોલિસી, ઉત્પાદક ખેડૂતોને ફાયદો પહોંચાડવાની થઈ રહી છે તૈયારી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 3:01 PM

તેલીબિયાંના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે કૃષિ મંત્રાલયે (Agriculture Ministry) તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારનું કૃષિ મંત્રાલય દેશમાં તેલીબિયાં (Oilseed) નું ઉત્પાદન વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે કૃષિ મંત્રાલય એક યોજના (Policy) લાવવા જઈ રહ્યું છે. જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશની ખાદ્ય તેલની વિદેશ પર નિર્ભરતા ઘટાડવાનો છે. આ યોજના હેઠળ, કૃષિ મંત્રાલય અને તેની સંલગ્ન સંસ્થાઓને તેલીબિયાંનું ઉત્પાદન કરતા ખેડૂતો અને તેની સાથે સંકળાયેલ પ્રોસેસર્સને ફાયદો થશે, જે પ્રોત્સાહન (પ્રોત્સાહક રકમ)ના સ્વરૂપમાં હોઈ શકે છે.

કૃષિ મંત્રાલય કેબિનેટ નોટ લાવશે

દેશમાં તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ખેડૂતોને પ્રોત્સાહન આપવાની યોજના લાગુ કરવા માટે, કૃષિ મંત્રાલય ટૂંક સમયમાં કેબિનેટ નોટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. અંગ્રેજી અખબાર ફાઈનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર મંત્રાલય ટૂંક સમયમાં કેબિનેટ નોટ તૈયાર કરશે.

સમાચારના અહેવાલ મુજબ, આ યોજના પાછળનો વિચાર દેશમાં સરસવ, સૂર્યમુખી અને અન્ય તેલીબિયાંના ઉત્પાદન વિસ્તારને વધારવા અને સુધારવાનો છે. ઉપરાંત, આ યોજના હેઠળ ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે ખેડૂતોને ખાદ્ય તેલની પ્રક્રિયા કરતી ખાનગી સંસ્થાઓ સાથે જોડવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સરસવના ઉત્પાદનનો વિસ્તાર વધ્યો તો સૂર્યમુખીના ઉત્પાદનમાં ઘટાડો

તેલીબિયાંના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો ચાલુ છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા એક વર્ષમાં સરસવના ઉત્પાદનનો વ્યાપ વધ્યો છે. ડેટા અનુસાર, 2021-22માં સરસવનું ઉત્પાદન 24 ટકા વધવાની ધારણા છે. ગત વર્ષ સરસવનું ઉત્પાદન 7.3 મિલિયન હેક્ટરમાં થયું હતું જ્યારે આ વર્ષે સરસવનું ઉત્પાદન 9.1 મિલિયન હેક્ટરમાં થયું છે. જો કે, કૃષિ મંત્રાલય આગામી બે વર્ષમાં સરસવના ઉત્પાદન હેઠળના વિસ્તારને 12.2 મિલિયન હેક્ટર સુધી વધારવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે.

તે જ સમયે, મંત્રાલયની યોજના દેશમાં સૂર્યમુખીના ઉત્પાદન વિસ્તારને વધારવાની પણ છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશની અંદર સૂર્યમુખીના ઉત્પાદન વિસ્તારમાં ઘટાડો થયો છે. માહિતી અનુસાર, વર્ષ 1990-95 દરમિયાન દેશની અંદર 2.1 મિલિયન હેક્ટરમાં સૂર્યમુખીનું ઉત્પાદન થયું હતું, જે વર્ષ 2005-06 દરમિયાન ઘટીને 1.4 મિલિયન હેક્ટર થયું હતું.

ત્યારે 2017-18 દરમિયાન, દેશમાં સૂર્યમુખીનું ઉત્પાદન માત્ર 0.26 મિલિયન હેક્ટર રાખવામાં આવ્યું હતું. મંત્રાલયનું માનવું છે કે સૂર્યમુખીના ઉત્પાદનમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વળતરની કિંમતમાં ઘટાડો હતો.

આ પણ વાંચો: Tech Tips: તમારો સ્માર્ટફોન વોટરપ્રુફ છે કે વોટર રેઝિસ્ટન્સ, આ રીતે ઓળખો અને તેનો અર્થ પણ જાણો

આ પણ વાંચો: Malabar Neem Farming: આ ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ, જાણો સંપૂર્ણ વિગત

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">