AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malabar Neem Farming: આ ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ, જાણો સંપૂર્ણ વિગત

આજે અમે તમને સૌથી વધુ નફાકારક ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મલબાર લીમડો (Malabar Neem) મેલિયા દબિયા તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી કરીને ખેડૂતો બહુ ઓછા સમયમાં લાખો રૂપિયા કમાય શકે છે.

Malabar Neem Farming: આ ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ, જાણો સંપૂર્ણ વિગત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:06 PM
Share

કહેવાય છે કે સાગની ખેતી (Teak Farming) કરીને ખેડૂતો (Farmers) અમીર બની શકે છે, પરંતુ આજે અમે તમને સૌથી વધુ નફાકારક ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મલબાર લીમડો (Malabar Neem) મેલિયા દબિયા તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી કરીને ખેડૂતો બહુ ઓછા સમયમાં લાખો રૂપિયા કમાય શકે છે. ખેડૂતો માટે આ એક સારો વિચાર છે, જે માત્ર 5 વર્ષમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકે છે. ત્યારે ખેડૂતો મલબાર લીમડાની ખેતી(Malabar Neem Farming)માં નસીબ અજમાવી શકે છે.

મલબાર લીમડાની વિશેષતાઓ

  1. આ વૃક્ષોની સૌથી ખાસ વાત એ છે કે તેની સાથે આંતરપાક પણ વાવી શકાય છે. જેથી તમારે વધારે જમીનની જરૂર નહીં પડે.
  2. તેના છોડને વધુ ખાતર અને પાણીની જરૂર પડતી નથી.
  3. આ છોડ રોપ્યાના 2 વર્ષમાં 40 ફૂટ સુધીની ઉંચાઈના થઈ જાય છે. તેનો છોડ માત્ર 5 વર્ષમાં લાકડું આપવા સક્ષમ બની જાય છે.
  4. આ વૃક્ષના લાકડાનો ઉપયોગ તમામ પ્રકારના ફર્નિચર તેમજ પેકિંગ, છતનાં પાટિયા, ઘર બાંધવા, ખેતીનાં ઓજારો, મેચ બોક્સ, પેન્સિલ અને ચાની પેટીઓ વગેરેમાં થાય છે.
  5. તેના લાકડામાંથી બનેલા ફર્નિચરમાં ક્યારેય ઉધઈ લાગતી નથી.
  6. મલબાર લીમડાનો છોડ પાંચ વર્ષમાં પ્રથમ વખત અને વધુમાં વધુ પાંચ વખત લાકડું આપી શકે છે.

ખેતી માટે કયા પ્રકારની માટીની જરૂર છે?

જૈવિક તત્વોથી ભરપૂર ફળદ્રુપ રેતાળ લોમ જમીન મલબાર લીમડાની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પછી લેટેરાઇટ લાલ માટીનો નંબર આવે છે, જે મલબાર લીમડાની ખેતી માટે સારો વિકલ્પ છે. જ્યારે કાંકરી મિશ્રિત છીછરી જમીન તેની ખેતી માટે સૌથી ખરાબ માનવામાં આવે છે. માર્ચ-એપ્રિલ દરમિયાન તેના બીજ વાવવાનું શ્રેષ્ઠ મનાય છે.

કેટલું અને ક્યારે કમાઈ શકો?

મલબાર લીમડાના 5000 વૃક્ષો વાવવા માટે 4 એકર જમીનની જરૂર છે. મલબાર લીમડાનો એક છોડ પાંચ વર્ષ પછી ખેડૂતને 4 થી 8 હજાર રૂપિયાની આવક આપી શકે છે. 4 એકરમાં ખેતી કરીને તમે સરળતાથી લાખો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. એક ઝાડનું વજન દોઢથી બે ટન જેટલું હોય છે. બજારમાં તેની કિંમત ઓછામાં ઓછી 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આવી સ્થિતિમાં એક છોડ 6 થી 7 હજારમાં વેચાય તો પણ તમે આરામથી ઘરે બેઠા લાખો રૂપિયાનો નફો મેળવી શકો છો.

આ પણ વાંચો: MOP ની સપ્લાય માટે ભારતે ઈઝરાયલ સાથે કરી સમજૂતી, ખેડૂતોને થશે આ ફાયદો

આ પણ વાંચો: Tech News: મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, જાણો શું છે કારણ

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">