AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી

Kisan Credit Card: તમે જે બેંકમાંથી KCC લેવા માંગો છો તેની અધિકૃત વેબસાઇટ પર અરજી કરી શકો છો અથવા તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-kisan Scheme)ના અધિકૃત પોર્ટલ દ્વારા અરજી કરીને લાભો મેળવી શકો છો.

મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી
Kisan Credit Card (TV9 Digital)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 8:10 AM
Share

જો તમે ખેડૂત છો અને ખેતી માટે પૈસાની જરૂર હોય, તો તમે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-Kisan Credit Card)ની મદદ લઈ શકો છો. અહીં તમને સૌથી સસ્તા દરે પૈસા મળશે. આ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. આ માટે ખેડૂત ભાઈઓ-બહેનો બે રીતે ઓનલાઈન અરજી કરી શકે છે. તમે જે બેંકમાંથી KCC લેવા માંગો છો તેની અધિકૃત વેબસાઇટ પર અરજી કરી શકો છો અથવા તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-kisan Scheme)ના અધિકૃત પોર્ટલ દ્વારા અરજી કરીને લાભો મેળવી શકો છો. PM કિસાન યોજના દ્વારા KCC બનાવવું ખૂબ જ સરળ છે. તમને તેની વેબસાઇટ પર KCC એપ્લિકેશન ફોર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

KCC એ અરજી પૂર્ણ થયાની અને સબમિટ કર્યાની તારીખથી 14 દિવસની અંદર મંજૂર કરવાની રહેશે. નહિંતર, તમે બેંક મેનેજર સામે ફરિયાદ કરી શકો છો. બેંકો સામાન્ય રીતે કિસાન ક્રેડિટ કાર્ડ સરળતાથી બનાવતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ક્રેડિટ કાર્ડ યોજનાને પીએમ કિસાન યોજના સાથે જોડી દીધી છે. હકીકતમાં પીએમ કિસાન યોજનામાં દેશના લગભગ 12 કરોડ ખેડૂતોની સંપૂર્ણ વિગતો સરકાર પાસે આવી છે. જેમાં આધાર કાર્ડ, રેવન્યુ રેકોર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સામેલ છે.

પીએમ કિસાન યોજનાએ કામ સરળ બનાવ્યું છે

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનો સંપૂર્ણ ડેટા એપ્રુવ્ડ છે. ત્યાર બાદ જ પૈસા મળી રહ્યા છે. તેથી, જો PM કિસાન યોજનાનો લાભાર્થી KCC માટે અરજી કરે છે, તો બેંક તેના રેકોર્ડ અંગે કોઈ પ્રશ્ન ઉઠાવી શકશે નહીં. તે ફિઝિકલ વેરિફિકેશન કરશે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના 1998 માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે. ખેડૂત તેનો ઉપયોગ બિયારણ, ખાતર, જંતુનાશકો જેવી કૃષિ સામગ્રી ખરીદવા માટે કરી શકે છે.

કેવી રીતે અરજી કરવી?

PM કિસાન યોજનાની વેબસાઈટ પર જમણી બાજુએ ફાર્મર કોર્નરમાં કેસીસી ફોર્મ ડાઉનલોડ(Download KCC Form)કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેની પ્રિન્ટ કાઢીને ભરો. ફોર્મમાં દાખલ કરેલ તમામ માહિતી આપો. દસ્તાવેજો જોડો અને તમારું જે પણ બેંકમાં ખાતું હોય તે બેંકમાં જઈને તમારું અરજીપત્રક સબમિટ કરો. SBI, PNB, HDFC અને ICICI સહિતની તમામ બેંકો આ સુવિધા પૂરી પાડે છે.

KCC નિયમોમાં શું ફેરફાર આવ્યો

  1. મોદી સરકારે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પર સર્વિસ ટેક્સ, પ્રોસેસિંગ ફી, ઇન્સ્પેક્શન અને લેજર ફોલિયો ચાર્જ નાબૂદ કર્યા છે. આ રીતે, આ બધાને જોડીને, હવે ખેડૂતોને અરજી કરતી વખતે જ પાંચ હજાર રૂપિયા સુધીની બચત થાય છે. કોઈપણ બેંક કોઈપણ KCC અરજદાર પાસેથી આ બધા પૈસા વસૂલ કરી શકશે નહીં.
  2. KCC યોજના હેઠળ ખેડૂતોને ખેતી માટે ગેરંટી વગર માત્ર 1 લાખ રૂપિયા મળતા હતા. હવે તે રકમ વધારીને 1.60 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર વધુ પૈસા મળી શકશે.
  3. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે ઓળખ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જમીનનો રેકોર્ડ અને ફોટો આપવાનો રહેશે. મોદી સરકારે બેંકોને કડક શબ્દોમાં કહ્યું છે કે અરજી સ્વીકાર્યાના બે સપ્તાહની અંદર KCC બનાવવાની આપવાનું જ રહેશે.

કેટલા વ્યાજદર પર લોન ઉપલબ્ધ છે

જો કે, KCC પર લોનનો વ્યાજ દર 9% છે. પરંતુ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર આમાં 2% સબસિડી આપે છે. જો તમે સમયસર બેંકને વ્યાજ સાથે પૈસા પરત કરો છો, તો 3% વધુ રિબેટ મળે છે. આ રીતે માત્ર 4 ટકા વ્યાજ લેવામાં આવે છે.

આ પણ વાંચો: ખેડૂતોના લાભ માટે મોદી સરકાર પાંચ દિવસ સુધી ચલાવશે વિશેષ અભિયાન

આ પણ વાંચો: Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">