AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Export: ભારતીય ચોખાનો સમગ્ર વિશ્વમાં ડંકો, બે વર્ષમાં ત્રણ ગણી થઈ નિકાસ

ડિરેક્ટોરેટ જનરલ ઑફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS) અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2019-20માં 2015 મિલિયન ડોલરની સમકક્ષ ચોખાની નિકાસ (Rice Export) કરી હતી

Rice Export: ભારતીય ચોખાનો સમગ્ર વિશ્વમાં ડંકો, બે વર્ષમાં ત્રણ ગણી થઈ નિકાસ
Rice Export (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 7:30 AM
Share

સમગ્ર વિશ્વમાં ભારતના ચોખાની માગ સતત વધી રહી છે. ચોખાની નિકાસ (Rice Export)માત્ર બે વર્ષમાં ત્રણ ગણી વધી છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS) અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2019-20માં 2015 મિલિયન ડોલરની સમકક્ષ ચોખાની નિકાસ કરી હતી, જે નાણાકીય વર્ષ 2020-21માં વધીને 4799 મિલિયન ડોલર થઈ હતી જ્યારે નાણાકીય વર્ષ 2021-2021માં 2516 મિલિયન ડોલર સુધી પહોંચી હતી. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે વિશ્વના 150 થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2021-22માં 150થી વધુ દેશોમાંથી 76 દેશોમાં 1 મિલિયન ડોલરથી વધુની નિકાસ કરવામાં આવી હતી. તમામ કૃષિ કોમોડિટીઝમાં ચોખા સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાનાર છે.

એક ટ્વિટમાં આ ઐતિહાસિક સિદ્ધિને રેખાંકિત કરતાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે મોદી સરકારની નીતિઓ ખેડૂતોને વૈશ્વિક બજાર સુધી પહોંચવામાં અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરી રહી છે. બીજી તરફ, DGCISએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2013-14માં ચોખાની નિકાસ 2925 મિલિયન ડોલર હતી. ભારતમાં ચોખાના વિક્રમી ઉત્પાદને નિકાસની ક્ષમતામાં વધુ વધારો કર્યો છે. જોકે, બાસમતી ચોખા (Basmati Rice)ની નિકાસમાં લગભગ 12 ટકાનો ઘટાડો થયો છે, જે ખેડૂતો અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે.

ચોખાના ઉત્પાદનમાં રેકોર્ડ સ્થાપવાની અપેક્ષા

ડૉ. એમ અંગમુથુ, ચેરમેન, એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ જણાવ્યું હતું કે, “વિદેશી મિશનના સહયોગથી અમારી પાસે લોજિસ્ટિક ડેવલપમેન્ટ છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ કારણે ચોખાની નિકાસની સંભાવનાઓને વેગ મળ્યો છે.”

દેશના મુખ્ય ચોખા ઉત્પાદક રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, આસામ અને હરિયાણાનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2021-22 માટેના બીજા આગોતરા મૂલ્યાંકન મુજબ, ચોખાનું કુલ ઉત્પાદન 127.93 મિલિયન ટન રેકોર્ડ થવાનો અંદાજ છે, જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ 116.44 મિલિયન ટન ઉત્પાદન કરતાં 11.49 મિલિયન ટન વધુ છે.

કયા દેશોમાં નિકાસ કરવામાં આવી હતી

પશ્ચિમ આફ્રિકન દેશ બેનિન ભારતમાંથી ચોખાના મુખ્ય આયાતકારોમાંનો એક છે. આ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, ચીન, ટોગો, સેનેગલ, ગિની, વિયેતનામ, જીબુટી, મેડાગાસ્કર, કેમરૂન, સોમાલિયા, મલેશિયા, લાઇબેરિયા, સંયુક્ત આરબ અમીરાત વગેરે ભારતીય ચોખાના ચાહકો છે.

નાણાકીય વર્ષ 2020-21માં, ભારતે તિમોર-લેસ્ટે, પ્યુઅર્ટો રિકો, બ્રાઝિલ, પાપુઆ ન્યુ ગિની, ઝિમ્બાબ્વે, બુરુન્ડી, એસ્વાટિની, મ્યાનમાર અને નિકારાગુઆમાં ચોખાની નિકાસ કરી હતી. આમાંથી ઘણી પ્રથમ વખત નિકાસ કરવામાં આવી હતી.

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ

કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ-19 મહામારીને કારણે ઊભા થયેલા લોજિસ્ટિકલ પડકારો છતાં, ભારત આફ્રિકન, એશિયન અને યુરોપિયન યુનિયનના બજારોમાં તેની ચોખાની નિકાસ હાજરીમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે. ચોખાની નિકાસમાં ભારતની વૃદ્ધિને મજબૂત વૈશ્વિક માગ દ્વારા પણ મદદ મળી છે. ચીન પછી ભારત વિશ્વમાં ચોખાનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે માથાના દુખાવા સમાન છે આ પાર્થેનિયમ ઘાસ, જાણો તે ક્યાંથી આવ્યું અને તેને દુર કરવાનો ઉપાય

આ પણ વાંચો: Fertilizer Subsidy: ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડીમાં સુધારો કરવાની તૈયારીમાં સરકાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">