AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fertilizer Subsidy: ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડીમાં સુધારો કરવાની તૈયારીમાં સરકાર

ખાતર વિભાગ વતી, આ રજૂઆત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (Agriculture And Farmer welfare Department) દ્વારા આયોજિત ખરીફ ઝુંબેશ 2022-23 માટે કૃષિ પરની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આપવામાં આવી છે.

Fertilizer Subsidy: ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડીમાં સુધારો કરવાની તૈયારીમાં સરકાર
Fertilizer Subsidy (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:52 AM
Share

ખાતર(Fertilizer)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર આ અંગે એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર ખરીફ સિઝનમાં ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડી (Fertilizer Subsidy)માં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે મંગળવારે ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં આ માહિતી આપવામાં આવી છે. ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટ વતી, આ રજૂઆત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (Agriculture And Farmer welfare Department)દ્વારા આયોજિત ખરીફ ઝુંબેશ 2022-23 માટે કૃષિ પરની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આપવામાં આવી છે. આ સંમેલનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. આ દરમિયાન ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટે ખાતર સબસિડી અંગેના સુધારા અંગે માહિતી આપી છે.

કેબિનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ

અંગ્રેજી અખબાર મિન્ટના અહેવાલ અનુસાર, ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021થી ખાતર અને કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતો સતત વધી રહી છે. ઉપરાંત, પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે આંતર-મંત્રાલય સમિતિએ ખરીફ 2022 માટે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર માટે પોષક તત્ત્વો આધારિત સબસિડીના દરોમાં સુધારો કરવાની ભલામણ કરી છે, જે ફક્ત આ સમય માટે જ હશે. અને આ સબસિડી તેના આધારે નક્કી કરવામાં આવશે. માર્ચ 2022 માં ખાતરની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે નક્કી થશે. મિન્ટના અહેવાલ મુજબ, પ્રેઝન્ટેશનમાં કહેવામાં આવ્યું છે કે ખરીફ 2022 માટે પોષક તત્વ આધારિત સબસિડી દરો પર કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

એપ્રિલમાં DAPની કિંમતમાં થયો રૂપિયા 150નો વધારો

ભારતની અગ્રણી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઈફ્કો (IFFCO) એ 1 એપ્રિલના રોજ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. જે અંતર્ગત ઇફ્કોએ ડાય એમોનિયમ ફોસ્ફેટ (DAP) અને એનપીકેના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં ઇફ્કોએ ડીએપીના ભાવમાં રૂ. 150નો વધારો કર્યો હતો. આ પહેલા પણ ઈફ્કો સહિત અન્ય ખાતર કંપનીઓએ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. આવી સ્થિતિમાં ખેતી ખર્ચમાં વધારો થતા ખેડૂતો ચિંતિત છે. હકીકતમાં હવે ખરીફ સિઝન નજીક છે, આવી સ્થિતિમાં ખાતરના વધેલા ભાવ ખેડૂતોનું ગણિત બગાડી શકે છે.

યુદ્ધને કારણે વૈશ્વિક ખાતરના ભાવ વધે છે

ભૂતકાળમાં ખાતરની કિંમતમાં વધારો થવા પાછળનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ગણાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં રશિયામાંથી ખાતરનો કાચો માલ મોટા પ્રમાણમાં આવે છે, આવી સ્થિતિમાં યુદ્ધને જોતા અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, તો તેની સમગ્ર સપ્લાય ચેઈનને અસર થઈ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: Agriculture Drone : ખેતીમાં ડ્રોનના ઉપયોગને લીલી ઝંડી, હવે CHCમાં અન્ય કૃષિ સાધનો સાથે જોડાશે

આ પણ વાંચો: Russia Ukraine War: અવળચંડાઈ બાદ હવે પુતિન યુદ્ધ ખતમ કરવાની ફિરાકમાં, રશિયાએ યુક્રેનની સેનાને આપી છેલ્લી ચેતવણી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">