આ સાત રીતે ભારતીય ખેતીને આધુનિક અને સ્માર્ટ બનાવાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી સંપૂર્ણ માહિતી
વડાપ્રધાને કહ્યું કે ભારતનું કોઓપરેટીવ ક્ષેત્ર ખૂબ જ ગતિશીલ છે. ખાંડની મિલો હોય, ખાતરના કારખાના હોય, ડેરી હોય, લોનની વ્યવસ્થા હોય, અનાજની ખરીદી હોય. કોઓપરેટીવ ક્ષેત્રની ભાગીદારી વિશાળ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ કહ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં અમે બીજથી લઈને માર્કેટ સુધી આવી ઘણી નવી સિસ્ટમ તૈયાર કરી છે, જેનાથી કૃષિ ક્ષેત્રને ઘણો ફાયદો થશે. જૂની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. માત્ર 6 વર્ષમાં કૃષિ બજેટ (Agriculture Budget)માં અનેકગણો વધારો થયો છે, ખેડૂતો માટે કૃષિ લોનમાં પણ 7 વર્ષમાં અઢી ગણો વધારો કરવામાં આવ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સાથે જોડવામાં આવ્યા છે.
સૂક્ષ્મ સિંચાઈથી નાના ખેડૂતોને મદદ મળી રહી છે. વડાપ્રધાને ગુરુવારે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતી, હાઈટેક એગ્રીકલ્ચર, બાજરીના મહત્વ, સ્માર્ટ એગ્રીકલ્ચર અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ મુખ્યત્વે કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવા માટે સાત રસ્તાઓ સૂચવ્યા હતા.
અગાઉ તેમણે કેન્દ્રીય બજેટ 2022-23ની જોગવાઈઓ અને સકારાત્મક અસરો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2023 બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ (International Year of Millets) છે. આમાં આપણું કોર્પોરેટ જગત પણ આગળ આવી અને ભારતના બરછટ અનાજને બ્રાન્ડિંગ કરી પ્રોત્સાહન આપવું જોઈએ.
અન્ય દેશોમાં આપણા જે મોટા મિશન્સ છે, તેઓએ પણ તેમના દેશોમાં મોટા સેમિનારો યોજવા જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ કે ભારતનું બરછટ અનાજ કેટલું સારું છે. ટેસ્ટના દૃષ્ટિકોણથી તે કેટલું મહત્વપૂર્ણ છે. આયાતકાર અને નિકાસકાર વચ્ચે આપણે બાજરી વિશે વાત કરી શકીએ છીએ. ભારતમાં બાજરીનું પોષણ મૂલ્ય કેટલું ઊંચું છે. તેના પર આપણે ભાર મૂકી શકીએ છીએ.
ખેતીને આધુનિક બનાવવાનો માર્ગ
- ગંગાના બંને કિનારે 5 કિમીની ત્રિજ્યામાં કુદરતી ખેતી (Natural Farming) કરવાનું લક્ષ્ય છે. હર્બલ, ઔષધીય વનસ્પતિઓ અને ફળો અને ફૂલો પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
- કૃષિ અને બાગાયતમાં આધુનિક ટેકનોલોજી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ખાદ્યતેલની આયાત ઘટાડવા માટે અમે મિશન ઓઈલ પામ તેમજ તેલીબિયાં પર જેટલું બળ આપી શકીએ અને શક્ય તેટલું મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
- ચોથો ધ્યેય એ છે કે પીએમ ગતિશક્તિ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે લોજિસ્ટિક્સની નવી સિસ્ટમ બનાવવામાં આવશે.
- પાંચમો ઉપાય એ છે કે એગ્રી-વેસ્ટ મેનેજમેન્ટ વધુ સંગઠિત થશે. વેસ્ટ ટુ એનર્જીનાં પગલાંથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
- દેશની દોઢ લાખથી વધુ પોસ્ટ ઓફિસોને નિયમિત બેંકો જેવી સુવિધાઓ મળશે, જેથી ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.
- કૃષિ સંશોધન અને શિક્ષણને લગતા અભ્યાસક્રમમાં કૌશલ્ય વિકાસ, માનવ સંસાધન વિકાસને આજના આધુનિક સમય અનુસાર બદલવામાં આવશે.
વડાપ્રધાને બીજું શું કહ્યું?
વડાપ્રધાને કહ્યું કે ભારતનું કોઓપરેટીવ ક્ષેત્ર ખૂબ જ ગતિશીલ છે. ખાંડની મિલો હોય, ખાતરના કારખાના હોય, ડેરી હોય, લોનની વ્યવસ્થા હોય, અનાજની ખરીદી હોય. કોઓપરેટીવ ક્ષેત્રની ભાગીદારી વિશાળ છે. અમારી સરકારે તેનાથી સંબંધિત એક નવું મંત્રાલય પણ બનાવ્યું છે.
કૃષિ અવશેષ (Agri-Residue)કે જે સ્ટબલ તરીકે પણ ઓળખાય છે તેનું સંચાલન કરવું પણ એટલું જ મહત્વનું છે. આ માટે આ બજેટમાં કેટલાક નવા પગલા લેવામાં આવ્યા છે, જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે અને ખેડૂતોને આવક પણ થશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 21મી સદીમાં ખેતી અને ખેતી સંબંધિત વેપારને સંપૂર્ણપણે બદલી નાખશે.
કિસાન ડ્રોનને દેશની ખેતીમાં મહત્તમ ઉપયોગની પહેલ આ પરિવર્તનનો એક ભાગ છે. ડ્રોન ટેક્નોલોજી ત્યારે જ ઉપલબ્ધ થશે, જ્યારે અમે એગ્રી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપીશું. પ્રતિ ડ્રોપ મોર ક્રોપ (Per Drop More Crop) પર સરકારનો ઘણો ભાર છે અને આ સમયની જરૂરિયાત પણ છે. વ્યાપાર જગત માટે આમાં ઘણી સંભાવનાઓ પણ છે.
આ પણ વાંચો: Tech News: હાઈકોર્ટનો મોટો નિર્ણય, WhatsApp ગ્રુપમાં વાંધાજનક મેસેજ માટે એડમિન જવાબદાર રહેશે નહીં