AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા

આ વર્ષે ભારત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ નિકાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ભારતીય ઘઉંની કિંમત અન્ય દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રહે છે અને તેથી જ અહીં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે.

ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા
Wheat Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 6:29 PM
Share

આગામી બે મહિનામાં ભારત (India) 20 થી 25 લાખ ટન ઘઉં (Wheat)ની નિકાસ કરશે. આ વર્ષે ભારતમાંથી મોટા પ્રમાણમાં ઘઉંની નિકાસ થઈ રહી છે. એક અંદાજ મુજબ, આ વર્ષે ભારત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ નિકાસ (Export) કરી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ભારતીય ઘઉંની કિંમત અન્ય દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રહે છે અને તેથી જ અહીં ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ની ફોરેન એગ્રીકલ્ચર સર્વિસ (FAS)એ તેના તાજેતરના અહેવાલમાં ભારતની ઘઉંની નિકાસનો અંદાજ 4.5 મિલિયન ટનથી વધારીને 5.25 મિલિયન ટન કર્યો છે. ભારતીય ઘઉંના ભાવ આસપાસના બજારો માટે વાજબી લાગે છે. ભારત વાજબી ભાવે સારી ગુણવત્તા અને પ્રમાણભૂત ઘઉં ઉપલબ્ધ કરે છે. આ કારણોસર નિકાસ માટે નવા સોદા મળી રહ્યા છે.

આ દેશોને કરવામાં આવે છે નિકાસ

યુએસડીએએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ભારતના ઘઉંની નિકાસની કિંમત સરેરાશ 265 ડોલર હતી. ભારત હાલમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, મલેશિયા અને પશ્ચિમ એશિયાના દેશોમાં મોટા પાયે ઘઉં મોકલી રહ્યું છે. ભારત નેપાળ જેવા દેશમાં માત્ર રોડ માર્ગે જ ઘઉંની નિકાસ કરે છે.

બીજી બાજુ, જો આપણે અન્ય દેશોના ઘઉંના નિકાસ ભાવ વિશે વાત કરીએ, તો યુક્રેન અને અન્ય ભૂતપૂર્વ સોવિયત સંઘના સભ્ય દેશોમાં ઉત્પાદિત ઘઉંની કિંમત 358.5 ડોલર છે. ઇન્ટરનેશનલ ગ્રેન્સ કાઉન્સિલ (IGC) અનુસાર, આર્જેન્ટિનાના ઘઉંનું વેચાણ 314 ડોલરમાં થઈ રહ્યું છે.

નિકાસના નવા સોદાઓને કારણે ભાવ વધે છે

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઘઉંની નિકાસ વધીને 2.34 મિલિયન ટન થઈ છે, જેનું મૂલ્ય રૂ. 4,590 કરોડ છે. બાંગ્લાદેશ ભારતીય ઘઉંનો સૌથી મોટો ખરીદદાર છે. આ પછી શ્રીલંકા અને નેપાળ આવે છે.

નિકાસ માટે મળેલા સોદાઓને કારણે ઘઉંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે લણણી સમયે એપ્રિલમાં લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો હતો. લણણી સમયે, ખેડૂતોએ 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં વેચ્યા હતા, પરંતુ હાલમાં તેની કિંમત 1950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જે 1975ના MSP દરની નજીક છે.

આ પણ વાંચો: ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’, ઓર્ગન ડોનેશન શા માટે છે જરૂરી ? રાષ્ટ્રીય અંગદાન દિવસ પર જાણો તેનું મહત્વ

આ પણ વાંચો: શેર બજારમાં કડાકાથી બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના 753 કરોડ રૂપિયા ધોવાયા, ટાટાના આ શેરથી થયું નુકસાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">