AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે

જે ખેડૂતો આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તેઓ પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો કરતાં વધુ ઉત્પાદન લઈ રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે
Staking Method
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:44 AM
Share

ખેતીને નફાકારક બનાવવા માટે ખેડૂતો (Farmers) ઘણી વખત નવી તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓમાંની એક છે સ્ટેકીંગ પદ્ધતિ (Staking Method). આ પદ્ધતિથી ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે તો તેમાંથી સારો નફો પણ મેળવી શકાય છે. આ પદ્ધતિ ખૂબ જ સફળ છે અને મોટી સંખ્યામાં ખેડૂતો તેને અપનાવી રહ્યા છે.

જે ખેડૂતો આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તેઓ પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો કરતાં વધુ ઉત્પાદન લઈ રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે સ્ટેકીંગ પદ્ધતિ શું છે અને તેમાં શાકભાજી કેવી રીતે ઉગાડવામાં આવે છે.

સ્ટેકીંગ પદ્ધતિ શું છે? આ પદ્ધતિમાં વાંસની મદદથી વાયર અને દોરડાની જાળ બનાવવામાં આવે છે. તેના પર છોડના વેલા ફેલાયેલા રાખવામાં આવે છે. ખેડૂત રીંગણ, ટામેટા, મરચાં, કારેલા, કઠોળ સહિત અન્ય ઘણી શાકભાજીની ખેતી કરી શકે છે. ઘણા ગામોના ખેડૂતો સ્ટેકીંગ પદ્ધતિથી સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે, કારણ કે આ પદ્ધતિમાં પાક સંપૂર્ણપણે સલામત છે. આ રીતે બજારમાં પાકના ભાવ પણ સારા મળે છે.

સ્ટેકીંગ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો 1. જો કોઈ ખેડૂત આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવા માંગતા હોય તો સૌથી પહેલા લગભગ 10 ફૂટના અંતરે 10 ફૂટ ઉંચા વાંસના થાંભલા ઉભા કરવા જોઈએ. 2. ત્યારબાદ 2-2 ફૂટની ઉંચાઈ પર થાંભલાઓ પર લોખંડના તાર બાંધો. 3. હવે છોડને સૂતળીની મદદથી તાર પર બાંધવામાં આવે છે, જેથી છોડનો વિકાસ ઉપરની તરફ વધતો રહે. 4. આ રીતે છોડની ઉંચાઈ 8 ફૂટ સુધી થઈ જાય છે. તેનાથી છોડ મજબૂત બને છે અને વધુ સારા ફળો આપે છે.

સ્ટેકીંગ પદ્ધતિના ફાયદા 1. આ પદ્ધતિથી ટામેટા, રીંગણ, મરચા, કારેલા જેવા પાકને સડી જતા બચાવી શકાય છે, કારણ કે આ પાકને ટેકો આપવો જરૂરી છે. 2. મોટાભાગના વેલાવાળા છોડ ફળનું વજન સહન કરી શકતા નથી. આ સ્થિતિમાં સ્ટેકીંગ પદ્ધતિ છોડને ટેકો આપે છે. 3. જો ફળ ભેજવાળી સ્થિતિમાં જમીનની નજીક રહે તો તે સડી જશે. તેથી આ પદ્ધતિ ફળોને બગડતા અટકાવી શકાય છે. 4. આ પદ્ધતિથી છોડને તૂટતા પણ અટકાવી શકાય છે.

આ પણ વાંચો : Mandi ભાવનગર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 9500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">