AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?

આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ વધવાને કારણે ખાતરની આયાત ઘટી છે. તાજેતરમાં સરકારે ડીએપી પર સબસિડી વધારીને ખેડૂતોને રાહત આપી છે.

subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:35 AM
Share

 ભારત (India) કૃષિપ્રધાન દેશ છે. ઘણા લોકો કૃષિ પર નિર્ભર છે.  તો બીજી  તરફ કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની (Farmers) આવક વધારવા અને સારી સુવિધા મળે તે માટે પ્રયાસ કરી રહી છે. 

ખરીફ પાકની કાપણી બાદ હવે રવિ પાકની વાવણી શરૂ થવાની છે. પાકની વાવણી વખતે ખેડૂતો બીજી ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે. જેમ કે ખેતરોમાં યોગ્ય રીતે સિંચાઈથી લઈને અનુકૂળ વાતાવરણનું ધ્યાન રાખવું પડે છે.તો ખેડૂતોની પરાધીનતા સારા અને ઉચ્ચ ગ્રેડના ઉત્પાદન માટે ખાતરો ઉપર પણ હોય છે. જો ખાતર સારી ગુણવત્તા અને યોગ્ય માત્રામાં વપરાય છે તો પાકની ઉપજમાં નોંધપાત્ર વધારો થાય છે.

આ સ્થિતિમાં ખેડૂતો ખાતરને લઈને ખૂબ ચિંતિત છે. દેશના ઘણા રાજ્યોમાંથી ખાતરની અછતના સમાચાર આવી રહ્યા છે. ખાતર વિતરણ કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. તાજેતરમાં સરકારે ડીએપી પર સબસિડી વધારીને ખેડૂતોને રાહત આપી છે. જો સરકારે સબસિડીમાં વધારો કર્યો ન હોત તો ખેડૂતોને ડીએપી માટે વધુ ખર્ચ કરવો પડત. 12 ઓક્ટોબરે કેન્દ્ર સરકારે ડીએપી પર સબસિડી 24,231 રૂપિયાથી વધારીને 33,000 રૂપિયા પ્રતિ ટન કરવાની મંજૂરી આપી હતી.

તમને જણાવી દઈએ કે પહેલા 50 કિલો ડીએપીના પેકેટની કિંમત 2411 રૂપિયા હતી. તેમાંથી સરકાર 1211 રૂપિયા સબસિડી તરીકે આપતી હતી અને ખેડૂતોને 1200 રૂપિયામાં ડીએપી મળશે. છેલ્લા દિવસો પર નજર કરીએ તો ડીએપીની કિંમત વધીને 2850 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જ્યારે ખેડૂતોના ખિસ્સા પર બોજ વધવા લાગ્યો ત્યારે આ જોતા સરકારે સબસિડીના નાણાં વધારવાનો નિર્ણય કર્યો.

સરકારે સબસિડીની રકમ 1211 રૂપિયાથી વધારીને 1650 રૂપિયા કરી દીધી છે. જે અંતર્ગત ખેડૂતોને ડીએપી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવા પડ્યા નથી. તેમને માત્ર 1200 રૂપિયામાં 50 કિલોનું પેકેટ સરળતાથી મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ વધવાને કારણે ખાતરની આયાત ઘટી છે. આ જ કારણ છે કે વર્તમાન સમયે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં આયાતી ડીએપીની કિંમત આ વખતે 675 થી 680 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગઈ છે. જ્યારે ગયા વર્ષે આ સમયે ખાતરનો ભાવ 370 ડોલર હતો.

આ પણ વાંચો : PM Modi: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે સરકાર ગંભીર, પીએમ મોદીએ તેલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી

આ પણ વાંચો  :Rajkot: રાહતના સમાચાર, ઘર, દુકાન અને ઓફિસની બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જ નહીં, જાણો પે એન્ડ પાર્કના ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">