ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં દિવેલા અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

ખેડૂતો ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં દિવેલા અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
Castor Crop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 4:02 PM

ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયાર, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. હાલમાં પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. દિવેલા (Castor) અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

દિવેલાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. દિવેલામાં લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે નાની ઈયળો માટે ડીડીવીપી જયારે મોટી ઈયળો માટે કલોપાયરીફોસ નો છંટકાવ કરવો.

2. ઘોડીયા ઈયળ અને પણ ખાનારી ઇયર માટેબેસિલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાઉડર ૧ થી ૧.૫ કિ.ગ્રા./હે. જરૂરી પાકની અવસ્થા મુજબ પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા અને પણ ખાનારી ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો.

3. કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં ડાંગર અને મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

તલના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. તલમાં પાનવાળનારી ઇયળનાં નિયંત્રણ માટે કવીનાલફોસ અથવા ફ્લોરપાપરીફોસ અથવા એસીફેટનો છંટકાવ કરવો.

2. માથા બાંધનારી ઇયળ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીંબોળીનાં મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક ૧૦ લીટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો.

3. ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપારીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી વાવેતર પછી ૩૦,૪૫ અને ૬૦ દિવસે એમ ત્રણ છંટકાવ કરવા.

4. અર્ધ શિયાળુ તલ માટે પૂર્વા તલ –૧નું વાવેતર કરવું.

5. તલમાં પાન કોકડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી કિ.લો. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video