AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરીયાળીની ખેતી કરી ખેડૂતો મેળવી શકે છે સારો એવો નફો, જાણો તેની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

વરીયાળીમાં પાચક અને બળતરા વિરોધી બંને ગુણ હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન તેમજ ઇથેનોલ, લિમોઝીન, ફેકન વગેરે જેવા ઘટકો હોય છે.

વરીયાળીની ખેતી કરી ખેડૂતો મેળવી શકે છે સારો એવો નફો, જાણો તેની ખેતી વિશે સંપૂર્ણ માહિતી
Fennel Cultivation (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 2:33 PM
Share

ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે. મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી, વરીયાળી વગેરે મુખ્ય છે. તેમાંથી વરીયાળી (Fennel)એ ભારતનો મહત્વનો મસાલા પાક છે. રવી અને ખરીફ બંને સિઝનમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે, પરંતુ ખરીફ સિઝન (Kharif season)માં વધુ પડતા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા છે.

વરીયાળીની ખેતી માટે રવી સિઝન (Ravi season)શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સિઝનમાં જીવાતો અને રોગોનો ઉપદ્રવ ઓછો હોય છે અને વરસાદને કારણે પાક નિષ્ફળ જવાનો ભય રહેતો નથી અને ખરીફની સરખામણીમાં ઉત્પાદન પણ વધે છે.

વરીયાળીમાં પાચક અને બળતરા વિરોધી બંને ગુણ હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન તેમજ ઇથેનોલ, લિમોઝીન, ફેકાન વગેરે જેવા ઘટકો હોય છે. આ સિવાય વરીયાળીમાં એનાલજેસિક, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે.

આબોહવા: વરીયાળીના સારા ઉત્પાદન માટે શુષ્ક અને ઠંડુ વાતાવરણ શ્રેષ્ઠ છે. બીજના અંકુરણ માટે યોગ્ય તાપમાન 20-29 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને પાકના સારા વિકાસ માટે 15-20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન યોગ્ય છે.

જમીન: વરીયાળીની ખેતી(Fennel Cultivation), રેતાળ જમીન સિવાય, અન્ય તમામ પ્રકારની જમીન કે જેમાં કાર્બનિક પદાર્થો પૂરતા પ્રમાણમાં હાજર હોય અને જમીનમાં pH 6.6 થી 8.0 ની વચ્ચે હોય. જેમાં સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે.

જમીનની તૈયારી: જમીનની તૈયારી માટે સૌપ્રથમ એક કે બે ખેડાણ માટી ફેરવતા હળ વડે કરવું જોઈએ. આ પછી, જમીનને ભરભરી બનાવ્યા પછી અને ખેતરને સમતળ કર્યા પછી, અનુકૂળતા મુજબ ક્યારાઓ બનાવવા જોઈએ.

સુધારેલી જાતો:

RF-105, RF-125, PF-35, ગુજરાત સૌફ-1, ગુજરાત સૌફ-2, ગુજરાત સૌફ-11, CO-11, હિસાર સ્વરૂપ, NRCSSSAF-1

વાવણીનો સમય: વરીયાળી લાંબા સમયનો પાક છે, તેથી રવી સિઝનની શરૂઆતમાં તેની વાવણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વરીયાળીનું વાવેતર સીધું ખેતરમાં અથવા નર્સરીમાં રોપાઓ તૈયાર કરીને કરી શકાય છે. તેની વાવણી માટે ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહ શ્રેષ્ઠ છે. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં નર્સરીમાં વાવણી કરવામાં આવે છે અને 45-60 દિવસ પછી વાવેતર કરવામાં આવે છે.

બીજની માવજત: વાવણી પહેલાં, બીજને ફૂગનાશક બાવિસ્ટિન (દર કિલો બીજ દીઠ 2 ગ્રામ) વડે પટ આપો અથવા બીજને કાર્બનિક ફૂગનાશક ટ્રાઇકોડર્મા (8-10 ગ્રામ પ્રતિ કિલો બીજ) નો પટ આપી વાવેતર કરો.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે  નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેમાં 3D AMG ટેક્નોલોજીનો થશે ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે થશે ફાયદો

આ પણ વાંચો: Viral: આને કહેવાય નસીબ, ટ્રક અને કાર વચ્ચેથી બાઈક સવાર ગોળીની જેમ નીકળ્યો

Follow Us
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">