AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરીયાળીની ખેતી કરી ખેડૂતો મેળવી શકે છે સારો એવો નફો, જાણો તેની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

વરીયાળીમાં પાચક અને બળતરા વિરોધી બંને ગુણ હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન તેમજ ઇથેનોલ, લિમોઝીન, ફેકન વગેરે જેવા ઘટકો હોય છે.

વરીયાળીની ખેતી કરી ખેડૂતો મેળવી શકે છે સારો એવો નફો, જાણો તેની ખેતી વિશે સંપૂર્ણ માહિતી
Fennel Cultivation (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 2:33 PM
Share

ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે. મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી, વરીયાળી વગેરે મુખ્ય છે. તેમાંથી વરીયાળી (Fennel)એ ભારતનો મહત્વનો મસાલા પાક છે. રવી અને ખરીફ બંને સિઝનમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે, પરંતુ ખરીફ સિઝન (Kharif season)માં વધુ પડતા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા છે.

વરીયાળીની ખેતી માટે રવી સિઝન (Ravi season)શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સિઝનમાં જીવાતો અને રોગોનો ઉપદ્રવ ઓછો હોય છે અને વરસાદને કારણે પાક નિષ્ફળ જવાનો ભય રહેતો નથી અને ખરીફની સરખામણીમાં ઉત્પાદન પણ વધે છે.

વરીયાળીમાં પાચક અને બળતરા વિરોધી બંને ગુણ હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન તેમજ ઇથેનોલ, લિમોઝીન, ફેકાન વગેરે જેવા ઘટકો હોય છે. આ સિવાય વરીયાળીમાં એનાલજેસિક, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે.

આબોહવા: વરીયાળીના સારા ઉત્પાદન માટે શુષ્ક અને ઠંડુ વાતાવરણ શ્રેષ્ઠ છે. બીજના અંકુરણ માટે યોગ્ય તાપમાન 20-29 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને પાકના સારા વિકાસ માટે 15-20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન યોગ્ય છે.

જમીન: વરીયાળીની ખેતી(Fennel Cultivation), રેતાળ જમીન સિવાય, અન્ય તમામ પ્રકારની જમીન કે જેમાં કાર્બનિક પદાર્થો પૂરતા પ્રમાણમાં હાજર હોય અને જમીનમાં pH 6.6 થી 8.0 ની વચ્ચે હોય. જેમાં સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે.

જમીનની તૈયારી: જમીનની તૈયારી માટે સૌપ્રથમ એક કે બે ખેડાણ માટી ફેરવતા હળ વડે કરવું જોઈએ. આ પછી, જમીનને ભરભરી બનાવ્યા પછી અને ખેતરને સમતળ કર્યા પછી, અનુકૂળતા મુજબ ક્યારાઓ બનાવવા જોઈએ.

સુધારેલી જાતો:

RF-105, RF-125, PF-35, ગુજરાત સૌફ-1, ગુજરાત સૌફ-2, ગુજરાત સૌફ-11, CO-11, હિસાર સ્વરૂપ, NRCSSSAF-1

વાવણીનો સમય: વરીયાળી લાંબા સમયનો પાક છે, તેથી રવી સિઝનની શરૂઆતમાં તેની વાવણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વરીયાળીનું વાવેતર સીધું ખેતરમાં અથવા નર્સરીમાં રોપાઓ તૈયાર કરીને કરી શકાય છે. તેની વાવણી માટે ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહ શ્રેષ્ઠ છે. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં નર્સરીમાં વાવણી કરવામાં આવે છે અને 45-60 દિવસ પછી વાવેતર કરવામાં આવે છે.

બીજની માવજત: વાવણી પહેલાં, બીજને ફૂગનાશક બાવિસ્ટિન (દર કિલો બીજ દીઠ 2 ગ્રામ) વડે પટ આપો અથવા બીજને કાર્બનિક ફૂગનાશક ટ્રાઇકોડર્મા (8-10 ગ્રામ પ્રતિ કિલો બીજ) નો પટ આપી વાવેતર કરો.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે  નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેમાં 3D AMG ટેક્નોલોજીનો થશે ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે થશે ફાયદો

આ પણ વાંચો: Viral: આને કહેવાય નસીબ, ટ્રક અને કાર વચ્ચેથી બાઈક સવાર ગોળીની જેમ નીકળ્યો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">