Edible Oils Price: ઈમ્પોર્ટ ડ્યુટીમાં ભારે ઘટાડો છતાં શા માટે નથી ઘટતા ખાદ્યતેલોના ભાવ ?

|

Feb 16, 2022 | 8:27 AM

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ફૂડ ટ્રેડર્સે ખાદ્ય તેલના ભાવ પર નિયંત્રણ ન રાખવા પાછળ ત્રણ મુખ્ય કારણો આપ્યા છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આયાત થતા સોયાબીન તેલના ભાવમાં વધારો.

Edible Oils Price: ઈમ્પોર્ટ ડ્યુટીમાં ભારે ઘટાડો છતાં શા માટે નથી ઘટતા ખાદ્યતેલોના ભાવ ?
Edible Oils Price (File Photo)

Follow us on

આયાત ડ્યૂટીમાં ભારે ઘટાડા છતાં ખાદ્યતેલો (Edible Oils)ના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા એક વર્ષ દરમિયાન આયાત ડ્યૂટી અને કૃષિ કલ્યાણ સેસમાં 40 ટકાનો વિક્રમી ઘટાડો થયો છે, પરંતુ ખાદ્યતેલોના ભાવમાં વધારો કાબૂમાં નથી આવી રહ્યો. ઓલ ઈન્ડિયા ફૂડ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કર કહે છે કે ફેબ્રુઆરી 2021માં ખાદ્ય તેલની આયાત ડ્યૂટી (Import Duty)અને કૃષિ કલ્યાણ સેસ 45 ટકા હતો. જે હવે ઘટાડીને માત્ર 5 ટકા કરવામાં આવી છે. તેમ છતાં, તેલના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે યોગ્ય દિશામાં કામ કર્યું ન હોવાને કારણે ભાવ નીચે નથી આવી રહ્યા. આંતરરાષ્ટ્રીય વિકાસને કારણે સરકારની મહેનત પર પાણી ફળી રહ્યું છે.

ઠક્કરે જણાવ્યું હતું કે આપણે સૌથી વધુ સોયાબીન તેલ બ્રાઝિલ અને આર્જેન્ટીનામાંથી આયાત કરીએ છીએ. છેલ્લા ત્રણ મહિનાથી લા નીનોની અસરને કારણે બહુ ઓછું ઉત્પાદન થયું છે. લગભગ 40 ટકાની ઘટ છે. જેના કારણે સોયાતેલના ભાવમાં વધારો થયો હતો. બીજી તરફ ઈન્ડોનેશિયા જ્યાંથી આપણે મહત્તમ માત્રામાં પામોલીન આયાત કરીએ છીએ, ત્યાં 20 દિવસ પહેલા સરકારે તેમની નિકાસ નીતિમાં ફેરફાર કર્યો છે. જેમાં અગાઉ નિકાસ માટે લાયસન્સ નહોતું, પરંતુ હવે નવી નિકાસ નીતિમાં એવું નથી. ઇન્ડોનેશિયાના ઘરેલુ વપરાશ માટે ઓછામાં ઓછો 20 ટકા સામાન રાખવો જરૂરી છે. જ્યારે 80 ટકા માલની નિકાસ કરવા માટે લાઇસન્સ લેવું પડશે. જેથી નિકાસ અટકી પડી છે. જેના કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ.

આ કારણે પણ પુરવઠો ખોરવાઈ રહ્યો છે.

ભારત યુક્રેન અને રશિયા પાસેથી સૌથી વધુ સૂર્યમુખી તેલની આયાત કરે છે, ત્યાં હજુ પણ યુદ્ધની સ્થિતિ છે. જેના કારણે ભારતમાં આયાતને અસર થઈ રહી છે. આ ત્રણ કારણોને લીધે ભારતમાં ખાદ્યતેલોનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે. ભાવ વધી રહ્યો છે. બીજી તરફ, ભારત સરકાર આ 3 ફેબ્રુઆરીએ એક સ્થાનિક કાયદો લાવી છે, જે હેઠળ દેશભરમાં ખાદ્ય તેલ પર સ્ટોક લિમિટ લાદવામાં આવી છે. આ હેઠળ, જથ્થાબંધ વેપારીઓ માટે 500 ક્વિન્ટલ, છૂટક માટે 30 ક્વિન્ટલ અને સ્ટોર્સ માટે 1000 ક્વિન્ટલની સ્ટોક મર્યાદા છે. સપ્લાય ખોરવાવાનું આ પણ એક કારણ છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

આંતરરાષ્ટ્રીય બજારની અસર

ઠક્કર કહે છે કે ભારતની કુલ ખાદ્યતેલની માંગના લગભગ 65 ટકા આયાત થાય છે. સ્થાનિક ઉત્પાદન માત્ર 35 ટકા છે. તેથી, ભારતમાં ખાદ્યતેલોના ઉત્પાદનની કિંમત પર કોઈ ખાસ અસર થતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં દરેક હિલચાલ ભારતમાં ખાદ્ય તેલના ભાવને અસર કરે છે. ઠક્કરે જણાવ્યું કે તેમની સંસ્થાના લોકો ગયા અઠવાડિયે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને મળ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેલની કિંમતોના સંદર્ભમાં સંગ્રહના કારણે પુરવઠો ખોરવાશે.

સંગઠને ભાવ ઘટાડવા માટે સૂચનો આપ્યા હતા

સરકારે તેલ અને તેલીબિયાં પર 5% GST દૂર કરવો જોઈએ.

પીડીએસ દ્વારા લોકોને ઓછી કિંમતે ખાદ્યતેલ ઉપલબ્ધ કરાવવું જોઈએ.

પામ ઓઈલ મિશનને બદલે સરસવની ખેતી પર ભાર આપવો જોઈએ. આ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઈએ.

પામ તેલનું ઉત્પાદન 7 વર્ષ પછી થાય છે. જ્યારે સરસવનું ઉત્પાદન 6 મહિનામાં થાય છે.

સરકારે એક વર્ષનો તેલીબિયાંનો બફર સ્ટોક રાખવો જોઈએ. ભાવ જેવો વધે કે તરત બહાર કાઢવો જોઈએ.

આ પણ વાંચો: Tech News : ફેસબુકની ફેશ રેકગ્નિશન ટેક્નોલોજીને લઈ મેટા વિરૂદ્ધ કેસ દાખલ, જુઓ વધુ વિગત

આ પણ વાંચો: Share Market : મંગળવારે રોકાણકારોની સંપત્તિમાં 6.4 લાખ કરોડનો વધારો થયો, શું રહ્યા તેજીના કારણ?

Next Article