AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જયંતી ભાનુશાળીને રસ્તા પરથી હટાવવા કેમ મજબૂર થઈ ગયા છબીલ પટેલ ? કારણ જાણીને ચોંકી જશો આપ

ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના પ્રકરણમાં પોલીસને હત્યારાઓને ઝડપી લેવામાં સફળતા મળી છે, પરંતુ મુખ્ય કાવતરાખોર છબીલ પટેલ હજી સુધી પોલીસની પકડથી દૂર છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે છબીલ પટેલે જ જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હતી, પરંતુ શું આપ જાણો છો કે છબીલ પટેલ ભાનુશાળીની હત્યા કરાવવા […]

જયંતી ભાનુશાળીને રસ્તા પરથી હટાવવા કેમ મજબૂર થઈ ગયા છબીલ પટેલ ? કારણ જાણીને ચોંકી જશો આપ
| Updated on: Feb 11, 2019 | 6:15 AM
Share

ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના પ્રકરણમાં પોલીસને હત્યારાઓને ઝડપી લેવામાં સફળતા મળી છે, પરંતુ મુખ્ય કાવતરાખોર છબીલ પટેલ હજી સુધી પોલીસની પકડથી દૂર છે.

પોલીસની અત્યાર સુધીની તપાસમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે છબીલ પટેલે જ જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હતી, પરંતુ શું આપ જાણો છો કે છબીલ પટેલ ભાનુશાળીની હત્યા કરાવવા કેમ મજબૂર થઈ ગયો ? સૂત્રોના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળી છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદોની જાળ વણી રહ્યા હતાં અને એટલે જ છબીલ પટેલે જયંતીને રસ્તા પરથી હટાવી દેવા મજબૂર બનવું પડ્યું.

સૂત્રોએ જણાવ્યું કે છબીલ પટેલે દિલ્હીમાં તેની વિરુદ્ધ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં આગોતરા જામીન મેળવી લીધા હતા, પરંતુ આ દરમિયાન છબીલ પટેલને ખબર પડી કે જયંતી ભાનુશાળી અનેક મહિલાઓને છબીલ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે તૈયાર કરી રહ્યા છે. છબીલ આ વાતથી ડરી ગયો અને તેણે જયંતીને કાયમ માટે શાંત કરી દેવાની ઠાની લીધી.

આ તરફ જયંતી ભાનુશાળી પોતાની સામે સુરતની યુવતીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં છબીલ પટેલનો હાથ હોવાનું માની રહ્યા હતાં. જોકે ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયુ હતું, પરંતુ થોડાક જ દિવસ બાદ છબીલ પટેલ સામે દિલ્હીમાં ફરિયાદ થઈ. છબીલનો દાવો હતો કે દુષ્કર્મની જે તારીખ ફરિયાદમાં છે, તે દિવસે તે તેની દીકરીના જન્મ દિવસના કારણે ગુજરાતમાં હતો, દિલ્હી ગયો જ નહોતો. દિલ્હી કોર્ટે આ પુરાવાને ધ્યાનમાં લઈ છબીલને જામીન આપી દીધા હતાં.

દિલ્હીની કોર્ટમાંથી જામીન મળ્યા બાદ છબીલ હજી હાશકારો અનુભવે, તે પહેલા જ તેને ખબર પડી કે ફરીદાબાદની એક મહિલાને જયંતીએ પૈસા આપી દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા તૈયાર કરી છે. જયંતીએ ભુજની એક મહિલાને પણ તૈયાર કરી છે. છબીલ અને ભુજની આ મહિલા વચ્ચે બેઠક થઈ હતી કે જેમાં મહિલાએ જયંતીએ તૈયાર કરેલી ફરિયાદની નકલ પણ દાખવી હતી. જયંતીએ આ મહિલાને કહ્યુ હતું કે જો તે છબીલ સામે ફરિયાદ નોંધાવશે, તો તેઓ તેને સારી રકમ આપશે.

આ બધુ જોતા છબીલ પટેલને લાગવા લાગ્યુ હતું કે જયંતી તેનું જીવવું હરામ કરી દેશે અને એટલે જ તેણે જયંતી ભાનુશાળીની હત્યા કરાવવાનું નક્કી કરી લીધું.

[yop_poll id=1298]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">