AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં પતિ-પત્નીના ઝગડામાં એવું તો શું થયું કે, પત્નીએ જ કરી નાખી પતિની ઘાતકી રીતે હત્યા

Surat: એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ (Murder) ઉતારી દીધો છે. પત્નીએ કેમ કરવી પડી પોતાના જ પતિની હત્યા, એવુંતો શુ થયું હતું. જાણો શું છે સમગ્ર ઘટના.

સુરતમાં પતિ-પત્નીના ઝગડામાં એવું તો શું થયું કે, પત્નીએ જ કરી નાખી પતિની ઘાતકી રીતે હત્યા
ફોટો - આરોપી મહિલા
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 28, 2022 | 4:11 PM
Share

Surat: સુરતના સચિન GIDC વિસ્તારમાં લોકો પોતાના પરિવાર સાથે રોજગારી માટે આવતા હોય છે અને લોકો નાની નાની વાતોમાં આવેશમાં આવી જઈને મોટી ઘટનાઓને અંજામ આપી દેતા હોય છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ (Murder) ઉતારી દીધો છે. પત્નીએ કેમ કરવી પડી પોતાના જ પતિની હત્યા, એવુંતો શુ થયું હતું. પાલીગામ ખાતે રહી હમાલીનું કામ કરતાં બિહારી યુવકને લગ્નની શરૂઆતથી જ પત્ની પસંદ ન હતી જેથી વતનમાં રહેતા બહેન બનેવી દ્વારા અન્ય યુવતી સાથે લગ્ન કરવાની હિલચાલ ચાલતી હતી. જેના પગલે પત્નીને છુટા થવા માટે કહેતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો. ગતરાતે ફરિવાર ઝઘડો થથાં ઝપાઝપી દરમિયાન પત્નીએ પતિનું માથું જમીન પર પટકી દીધા બાદ સાડી વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સચીન જીઆઈડીસી પોલીસે (Surat Police) હત્યાનો ગુનો નોંધી હત્યારી પત્નીની અટકાયત કરી છે.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે મુળ બિહારના વતની અને હાલ પાલીગામ ખાતેના ડી.એમ. નગરની સામે આવેલી સાંઈકૃપા સોસાયટીના પ્લોટ નં- 55 થી 60માં કરમસિંહ ચાલના પહેલા માળે રૂમ નં- એ- 06 માં ભાડે રહેતા 32 વર્ષીય રાકેશ દશરથ મહંતોના લગ્નનીતુદેવી સાથે થયાહતા. તેમના લગ્ન જીવન થકી તેમને હાલ પાંચ વર્ષનો પુત્ર છે. હમાલીનું કામ કરતાં રાકેશ મહંતોને શરૂઆતથી જ નીતુદેવી પસંદ ન હતી. જેથી વતનમાં રહેતા બહેન બનેવી દ્વારા અન્ય યુવતી સાથે લગ્ન કરવાની હિલચાલ ચાલતી હતી. જેથી રાકેશે તેની પત્ની નીતુદેવીને છુટા થવા જણાવ્યું હતુ. જે બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો. દરમિયાન ગતરાતે ફરીવાર થયેલાં ઝઘડો થતાં ઝપાઝપી દરમિયાન પત્નીએ પતિના માથાના કપાળનો ભાગ જમીન પર જોરથી પટકી દીધો હતો અને સાડી વડે તેનું ગળું દબાવી રાકેશનું મોત નિપજાવ્યું હતુ.

સ્થાનિક હમવતની દ્વારા નજીકના અરહમ કોમ્પલેકસમાં રહેતા મૃતક રાકેશના ભાઈ ગોપાલ મહંતોને જાણ કરતાં દોડી આવેલા ભાઈ દ્વારા બનાવની જાણ સચીન જીઆઈડીસી પોલીસને કરવામાં આવી હતી. પુત્રીની નજર સામે પિતાની થયેલી હત્યા બાબતે યુક્તિપુર્વક પુછતાં પુત્રએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. સચીન જીઆઈડીસી પોલીસે મૃતક રાકેશની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. બનાવના પગલે સચીન જીઆઈડીસી પોલીસે મૃતકના ભાઈ ગોપાલ મહંતોની ફરીયાદ લઈ તેની હત્યારી ભાભી નીતુદેવી વિરુધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરીયાદ સંદર્ભે તપાસ કરી રહેલા પોલીસે આજરોજ હત્યારી નીતુદેવી મહંતોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">