AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં પતિ-પત્નીના ઝગડામાં એવું તો શું થયું કે, પત્નીએ જ કરી નાખી પતિની ઘાતકી રીતે હત્યા

Surat: એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ (Murder) ઉતારી દીધો છે. પત્નીએ કેમ કરવી પડી પોતાના જ પતિની હત્યા, એવુંતો શુ થયું હતું. જાણો શું છે સમગ્ર ઘટના.

સુરતમાં પતિ-પત્નીના ઝગડામાં એવું તો શું થયું કે, પત્નીએ જ કરી નાખી પતિની ઘાતકી રીતે હત્યા
ફોટો - આરોપી મહિલા
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 28, 2022 | 4:11 PM
Share

Surat: સુરતના સચિન GIDC વિસ્તારમાં લોકો પોતાના પરિવાર સાથે રોજગારી માટે આવતા હોય છે અને લોકો નાની નાની વાતોમાં આવેશમાં આવી જઈને મોટી ઘટનાઓને અંજામ આપી દેતા હોય છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ (Murder) ઉતારી દીધો છે. પત્નીએ કેમ કરવી પડી પોતાના જ પતિની હત્યા, એવુંતો શુ થયું હતું. પાલીગામ ખાતે રહી હમાલીનું કામ કરતાં બિહારી યુવકને લગ્નની શરૂઆતથી જ પત્ની પસંદ ન હતી જેથી વતનમાં રહેતા બહેન બનેવી દ્વારા અન્ય યુવતી સાથે લગ્ન કરવાની હિલચાલ ચાલતી હતી. જેના પગલે પત્નીને છુટા થવા માટે કહેતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો. ગતરાતે ફરિવાર ઝઘડો થથાં ઝપાઝપી દરમિયાન પત્નીએ પતિનું માથું જમીન પર પટકી દીધા બાદ સાડી વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સચીન જીઆઈડીસી પોલીસે (Surat Police) હત્યાનો ગુનો નોંધી હત્યારી પત્નીની અટકાયત કરી છે.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે મુળ બિહારના વતની અને હાલ પાલીગામ ખાતેના ડી.એમ. નગરની સામે આવેલી સાંઈકૃપા સોસાયટીના પ્લોટ નં- 55 થી 60માં કરમસિંહ ચાલના પહેલા માળે રૂમ નં- એ- 06 માં ભાડે રહેતા 32 વર્ષીય રાકેશ દશરથ મહંતોના લગ્નનીતુદેવી સાથે થયાહતા. તેમના લગ્ન જીવન થકી તેમને હાલ પાંચ વર્ષનો પુત્ર છે. હમાલીનું કામ કરતાં રાકેશ મહંતોને શરૂઆતથી જ નીતુદેવી પસંદ ન હતી. જેથી વતનમાં રહેતા બહેન બનેવી દ્વારા અન્ય યુવતી સાથે લગ્ન કરવાની હિલચાલ ચાલતી હતી. જેથી રાકેશે તેની પત્ની નીતુદેવીને છુટા થવા જણાવ્યું હતુ. જે બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો. દરમિયાન ગતરાતે ફરીવાર થયેલાં ઝઘડો થતાં ઝપાઝપી દરમિયાન પત્નીએ પતિના માથાના કપાળનો ભાગ જમીન પર જોરથી પટકી દીધો હતો અને સાડી વડે તેનું ગળું દબાવી રાકેશનું મોત નિપજાવ્યું હતુ.

સ્થાનિક હમવતની દ્વારા નજીકના અરહમ કોમ્પલેકસમાં રહેતા મૃતક રાકેશના ભાઈ ગોપાલ મહંતોને જાણ કરતાં દોડી આવેલા ભાઈ દ્વારા બનાવની જાણ સચીન જીઆઈડીસી પોલીસને કરવામાં આવી હતી. પુત્રીની નજર સામે પિતાની થયેલી હત્યા બાબતે યુક્તિપુર્વક પુછતાં પુત્રએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. સચીન જીઆઈડીસી પોલીસે મૃતક રાકેશની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. બનાવના પગલે સચીન જીઆઈડીસી પોલીસે મૃતકના ભાઈ ગોપાલ મહંતોની ફરીયાદ લઈ તેની હત્યારી ભાભી નીતુદેવી વિરુધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરીયાદ સંદર્ભે તપાસ કરી રહેલા પોલીસે આજરોજ હત્યારી નીતુદેવી મહંતોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">