સુરતના વરાછામાં યુવક હત્યા કેસનો ઉકેલાયો ભેદ, ચાર આરોપીની થઇ ધરપકડ
સુરતના વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી. અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ, અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન […]
સુરતના વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી. અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ, અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન ગૃહ ખાતે વિજયને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ગયા હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસે તપાસ તેજ કરી, અને જાણવા મળ્યું હતું કે, ફાયનાન્સર ધનરાજ વેનીલાલ કહાર અને તેના માણસોએ વિજયની હત્યા કરી હતી. ધનરાજે એપ્રિલ મહિનામાં વિજયને 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા. તે રૂપિયા વિજય પરત આપતો ન હતો. જેથી ધનરાજ અને તેના સાગરીતોએ વિજયને ઢોર માર માર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી ધનરાજ કહાર સહિત ચારની ધરપકડ કરી લીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો