જમીન વેચાણ મુદ્દે-વ્યાજખોરના ત્રાસથી સુરતમાં વધુ એક વ્યક્તિએ કરી આત્મહત્યા

સુરતમાં વધુ એક જમીન માલિકે, વ્યાજખોર અને બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી. રાદેરના દાંડીરોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા પૂર્વે કિરીટ પટેલે લખેલ સ્યુસાઈડ નોટમાં, બિલ્ડરે વેચલી જમીનના રૂપિયા નહી આપતા અને વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યુ છે. સુરતના ચર્ચાસ્પદ દુર્લભ પટેલ આત્મહત્યા કેસ બાદ, વધુ એક […]

જમીન વેચાણ મુદ્દે-વ્યાજખોરના ત્રાસથી સુરતમાં વધુ એક વ્યક્તિએ કરી આત્મહત્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 12:56 PM

સુરતમાં વધુ એક જમીન માલિકે, વ્યાજખોર અને બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી. રાદેરના દાંડીરોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા પૂર્વે કિરીટ પટેલે લખેલ સ્યુસાઈડ નોટમાં, બિલ્ડરે વેચલી જમીનના રૂપિયા નહી આપતા અને વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યુ છે.

સુરતના ચર્ચાસ્પદ દુર્લભ પટેલ આત્મહત્યા કેસ બાદ, વધુ એક જમીન માલિકે બિલ્ડરના ત્રાસને કારણે, આત્મકહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આત્મહત્યા કરનારા કિરીટ પટેલે, સ્યુસાઈડ નોટમાં લખી જણાવ્યુ છે કે, 2 વર્ષ પૂર્વે જેમને જમીન વેચી છે કે મગન દેસાઈ વેચેલી જમીનના નાણા આપતો નથી. બીજી બાજુ મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું, મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

વર્ષ 2018માં મોટી વેડ ગામની અંદાજે 2 કરોડની જમીન મૃતક ‌કિરીટ પટેલે, ‌બિલ્ડર મગન દેસાઇને વેચી હતી. આ જમીનની રકમ ‌કિરીટ ડી.પટેલે લેવાની બાકી ‌નિકળતી હતી. કિરીટ પટેલને જમીનના રૂપીયા ચુકવવા વાયદા કરવામાં આવી રહ્યા હતા. પણ રૂપિયા આપવામાં આવતા નહોતા. બીજી તરફ ‌કિરીટ પટેલને બે સંતાન સ‌હિતના પ‌રિવારનું ભરણપોષણ કરવાનું હોય તેમને માથે પણ દેવું થઇ ગયું હતું જેથી વ્યાજવાળા તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા હોય જમીનના રૂપીયા છુટા નહીં થતા ‌કિરીટ ડી.પટેલે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે સુસાઈ ડ નોટ સહિત મૃતકનો ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">