બોકારોના ખરના જંગલમાં નક્સલવાદીઓનું કાવતરું નિષ્ફળ, 20થી 25 કિલોનો IED બોમ્બ મળી આવ્યો, બોમ્બને કરાયો ડિફ્યુઝ
ઝારખંડના બોકારોના ખરના જંગલમાં સોમવારે સવારે નક્સલવાદીઓનું કાવતરું નિષ્ફળ ગયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન 20 થી 25 કિલોનો IED બોમ્બ મળી આવ્યા છે.
ઝારખંડના (Jharkhand) બોકારોના (Bokaro) ખરના જંગલમાં (Kharana Forest) સોમવારે સવારે નક્સલવાદીઓનું (Naxal) કાવતરું નિષ્ફળ ગયું હતું. આરપીએફ (RPF) અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે છત્ર છટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચુટ્ટે પંચાયતમાં આવેલા ખરના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ નક્સલવાદીની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ 20 થી 25 કિલોનો IED બોમ્બ મળી આવ્યા છે.
જિલ્લા પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, જંગલ વિસ્તારમાં નક્સલવાદી આંદોલન ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે CRPF 26 મી બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મુન્ના લાલ અને SATના SI અમિત કુમાર સિંહના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા ઝુમરા પર્વતની તળેટીમાં આવેલા ખરના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જંગલમાં બોમ્બથી ભરેલી સફેદ રંગની કોથળો મળ્યો
આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પડેલો સફેદ રંગની કોથળો જોવા મળ્યો હતો. જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં IED બોમ્બ મળી આવ્યો હતો. એવી આશંકા છે કે, માઈવાદીઓએ પોલીસ દળને નુકસાન પહોંચાડવા માટે આઈઈડી બોમ્બ છુપાવ્યો હતો. પરંતુ, સુરક્ષા દળોએ માઓવાદીઓની યોજનાઓને નાકામ બનાવી દીધી હતી.
IED બોમ્બ મળ્યા બાદ CRPFની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી, જેણે જંગલ વિસ્તારમાં જ બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો. જણાવી દઈએ કે, અગાઉ દુમકામાં IED બોમ્બ બ્લાસ્ટમાં એક જવાન ઘાયલ થયો હતો અને તેનો સ્નિફર કૂતરો માર્યો ગયો હતો, જ્યારે બીજા દિવસે એક ગ્રામજનોનું મોત થયું હતું.
જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે
સર્ચ ઓપરેશન સતત હાથ ધરવામાં આવશે, એસપી ચંદન કુમાર ઝાએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને 20 કિલોથી વધુનો IED બોમ્બ મળ્યો. જેને CRPFની બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ડિફ્યુઝ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અજ્ઞાત માઓવાદીઓ સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે, નક્સલવાદીઓની ધરપકડ માટે સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ નક્સલવાદીઓએ તેમની પ્રવૃત્તિઓમાં વધારો કર્યો છે. તેને જોતા પોલીસે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. પોલીસ સતત માઓવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. તાજેતરમાં, એક પુરસ્કારિત નક્સલીએ પણ શરણાગતિ સ્વીકારી હતી.