LIVE VIDEO: અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ વચ્ચે મહિલાના મોતના ફેરવાતા કારણ, પતિએ પોલીસને આપ્યુ આ કારણ, ઘર કંકાસ વચ્ચે બાળકો હવે કોના ભરોસે?
આગની આ ઘટનામાં નવા ખુલાસા થયા છે. અમદાવાદમાં (Ahmedabad) પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ પોતાનું જ ઘર ઉજાડી દીધુ હોવાની માહિતી છે. ઝઘડાને કારણે બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી એક આગની ઘટનાએ ફિલ્મી રુપ ધારણ કરી લીધી છે અને આગની આ ઘટના હવે મર્ડરની ઘટનામાં બદલાઇ ગઇ છે. ફાયર વિભાગને વહેલી સવારે ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન V બ્લોકના ચોથા માળે ભીષણ આગ લાગવાનો કોલ મળ્યો હતો અને ફાયર વિભાગની 6 ગાડીઓ સાથેની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ દરમિયાન એક મહિલાનું મોત થયુ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે આગની આ સમગ્ર ઘટનાએ મર્ડરનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. અત્યાર સુધીમાં આગની આ ઘટનામાં અનેક નવા નવા ખુલાસા મળ્યા છે. જેમાં હત્યા કરવા અંગે શંકાની સોય મહિલાના પતિ પર જઇ રહી છે.
ગોદરેજ ગાર્ડન સીટીમાં મહિલાની હત્યા
ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન-V ફ્લેટમાં 4 માળે સવારે આગની ઘટના બની હતી. આગની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને એક કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. ફાયર અધિકારીનું કહેવું છે કે, ઇડન-Vના ચોથા માળે 405 નંબરના મકાનમાં આગ લાગી હતી. આ મકાનમાં અનિલ બઘેલ તેની પત્ની અનિતા બઘેલ અને પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે બાળકો સવારે સ્કૂલે ગયા હતા અને બાદમાં ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આગની ઘટના બની. ઘરકંકાસના પગલે આ આખી ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકો માની રહ્યાં છે.
ત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાડી
આગની આ ઘટનામાં નવા ખુલાસા થયા છે. અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ પોતાનું જ ઘર ઉજાડી દીધુ હોવાની માહિતી છે. ઝઘડાને કારણે બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. ઘરકંકાસમાં પતિએ જ પત્નીનું ગળુ કાપીને હત્યા કરી હોવાની માહિતી મળી છે. ઈડન V બ્લોકના ચોથા માળે રહેતા અનિલ અને પત્ની અનિતા બઘેલ વચ્ચે ઝઘડો થયો હતો. વારંવાર પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને કારણે પતિ ઉશ્કેરાયો હતો અને પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી. એટલું જ નહીં હત્યાને અગ્નિકાંડમાં ખપાવવા પતિએ કાવતરું ઘડ્યું હતું અને ત્યારબાદ પોતાના જ ઘરમાં આગ લગાવી હતી.
જો કે બીજી તરફ પતિએ નિવેદન આપ્યું છે કે પત્નીએ જ પોતાનું ગળું ખુદ કાપ્યું તેમજ પત્ની હાઇપર ટેનશનમાં હોવાનું અપાયું નિવેદન. તો સવારે નાસ્તા બનાવવા બાબતે ઝઘડો થતા પતિ પર પત્નીએ છરી વડે હુમલો કર્યો હોવાની કેફિયત પણ કહી. સાથે જ આગ પણ પત્નીએ લગાવી હોવાનું પતિનું પતિએ નિવેદન આપ્યું. જે આગ લાગતા બચાવ બચાવની બુમો પતિ અનિલ બધેલ પાડી હોવાનું નિવેદન આપ્યું. જોલે પોલીસે પતિ ના નિવેદનને લઈને વૈજ્ઞાનિક ટેકનોલોજી ના ઢબે તપાસ કરશે. પતિના નિવેદન લઈ પોલીસે ઉલટ તપાસ શરૂ કરી જેથી ઘટના પાછળ સાચું કારણ જાણી શકાય. જેમાં હાલ ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરશે. તો પત્નીના પેનલ ડોકટરથી પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ આવશે સામે જે બાદ અન્ય ગુનો નોંધાશે.
(વિથ ઇનપુટ- દર્શલ રાવલ, અમદાવાદ)