ફરુખાબાદમાં એક શખસે બંદૂકની અણીએ 15 જેટલાં બાળકોને બંધક બનાવ્યા
ઉત્તરપ્રદેશના ફરુખાબાદ ખાતેની એક ઘટના સામે આવી છે. સુભાષ બાથમ નામના એક શખસે જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકો અને મહિલાઓને બોલાવી હતી. બાદમાં આ તમામને બંધક બનાવી લીધા. જે ત્યાં જાય છે તેની સામે ગોળીબાર થાય છે. આમ બાળકોને છોડાવવા માટે એટીએસની ટીમને કામે લગાડવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
ઉત્તરપ્રદેશના ફરુખાબાદ ખાતેની એક ઘટના સામે આવી છે. સુભાષ બાથમ નામના એક શખસે જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકો અને મહિલાઓને બોલાવી હતી. બાદમાં આ તમામને બંધક બનાવી લીધા. જે ત્યાં જાય છે તેની સામે ગોળીબાર થાય છે. આમ બાળકોને છોડાવવા માટે એટીએસની ટીમને કામે લગાડવામાં આવી છે.
આ પણ વાંચો : જામિયામાં ગોળીબાર: જાણો અમિત શાહ સહિતના નેતાઓએ આ બાબતે શું કહ્યું?
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર અંદાજે 15થી 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે જે શખસ સુભાષ બાથમે બાળકોને અને મહિલાઓને બંધક બનાવી છે તેના પોતાના જ બાળકો તેમજ પરિવારજનો ઘરમાં છે. આ ઘટના સાંજના પાંચ વાગ્યાથી સામે આવી છે. બાળકોને બચાવવા જે પણ જાય છે તેની સામે ફાયરિંગ થઈ રહ્યું છે. એક સમજાવવા ગયેલા વ્યક્તિને પણ ફાયરિંગમાં ઈજા પહોંચી તો બે પોલીસજવાનો પણ ઘાયલ થયા છે. આ બાળકોને કેવી રીતે બહાર કાઢવા તે અંગે મીટિંગ CM યોગીએ બોલાવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુભાષ બાથમ જે શખસે બાળકોને બંધક બનાવ્યા છે તેની ઉંમર 40 વર્ષની છે. તેની સામે કુલ 4 કેસ ચાલી રહ્યાં છે. સુભાષે ઘણીવાર આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓના કહેવાથી તેના પરિવારનું ઉત્પીડન કરવામાં આવ્યું. જો કે આ વિસ્તારની એક મહિલાનું કહેવું છે કે અમુક મહિના પહેલાં ચોરીના આરોપસર તેની ધરપકડ લોકોએ કરાવી હતી. તે બાદ ગામલોકોની સાથે બદલો લેવા માટે સુભાષે આ કૃત્ય કર્યું હોઈ શકે. આમ પોલીસ હાલ બાળકોને કેવી રીતે સુરક્ષિત છોડાવી શકાય તે અંગે પ્રયત્નો કરી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]