School Reopening: 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી, 9 રાજ્યોમાં હાલ બંધ, શિક્ષણ મંત્રાલયે આપી માહિતી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી છે. તે જ સમયે, 16 રાજ્યોમાં ઉચ્ચ વર્ગો માટે શાળાઓ આંશિક રીતે ખુલ્લી છે અને 9 રાજ્યોમાં હજુ પણ બંધ છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખુલી (School Reopening) છે. તે જ સમયે, 16 રાજ્યોમાં ઉચ્ચ વર્ગો માટે શાળાઓ આંશિક રીતે ખુલ્લી છે અને 9 રાજ્યોમાં હજુ પણ બંધ છે. દેશભરની શાળાઓની સ્થિતિ શેર કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ રાજ્યોમાં ઓછામાં ઓછા 95 ટકા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે, જ્યારે કેટલાક રાજ્યોએ શાળાઓમાં તમામ સ્ટાફનું રસીકરણ પૂર્ણ કર્યું છે. શિક્ષણ મંત્રાલયે શાળાઓ ફરીથી ખોલવા માટે સુધારેલી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ, સ્વીટી ચાંગસને જણાવ્યું હતું કે, વ્યાપક રસીકરણને ધ્યાનમાં રાખીને, શિક્ષણ મંત્રાલયે રાજ્યોને સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી હતી અને માતા-પિતાની સંમતિ મેળવવાનો નિર્ણય રાજ્યો પર છોડી દેવામાં આવ્યો હતો.
શિક્ષણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી
સ્વીટી ચાંગસને કહ્યું, આ ઉપરાંત, સુધારેલી માર્ગદર્શિકામાં શાળાઓમાં અગાઉ પ્રતિબંધિત સભા અને કાર્યક્રમો વિશે વાત કરવામાં આવી હતી. નવી એડવાઈઝરી મુજબ, શાળાઓ સંબંધિત રાજ્ય દ્વારા જાહેર કરાયેલ SOPs અનુસાર સભા અને કાર્યક્રમોનું આયોજન કરી શકે છે.
ઓડિશામાં 7 ફેબ્રુઆરીએ શાળાઓ ખુલશે
કોવિડના કેસો ઘટવા માંડતા, ઓડિશા સરકારે 7 ફેબ્રુઆરીથી રાજ્યભરની શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત મુખ્ય સચિવ સુરેશ ચંદ્ર મહાપાત્રાએ 3 ફેબ્રુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે 7 ફેબ્રુઆરીથી ભૌતિક વર્ગો કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવામાં આવશે. મુખ્ય સચિવે કહ્યું કે, KG થી 7 સુધીના વિદ્યાર્થીઓ માટેના વર્ગો 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ થવા જઈ રહ્યા છે.
પંજાબમાં કોવિડના વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારે પંજાબની શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની તારીખ લંબાવી છે. શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, કોચિંગ ક્લાસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને 8 ફેબ્રુઆરી 2022 સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં ધોરણ 8 થી 12 સુધીની શાળાઓ ખુલી છે, પરંતુ હાલમાં પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ખુલશે નહીં. CM મમતા બેનર્જીએ ગુરુવારે વહીવટી બેઠકમાં આ જાહેરાત કરી હતી.
કેરળમાં સક્રિય કેસ વધ્યા
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,72,433 કેસ નોંધાયા છે. 8 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે, 12 રાજ્યોમાં 10થી 50 હજાર એક્ટિવ કેસ છે. એકમાત્ર કેરળ એવું રાજ્ય છે જ્યાં કોરોનાના સક્રિય કેસોમાં વધારો નોંધાયો છે. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રોજના સરેરાશ કેસની સંખ્યા 2.04 લાખ છે. દેશમાં સક્રિય કેસ 15,33,000 છે.
આ પણ વાંચો : Covid-19: ક્યારે આવશે કોરોનાનો અંત? શું ઓમિક્રોન છે છેલ્લો વેરીયન્ટ? જાણો શું કહે છે એક્સપર્ટ