AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ વેક્સિના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.

Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
Corona Vaccination (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 1:09 PM
Share

Corona vaccination : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya)રવિવારે જણાવ્યુ હતુ કે, દેશના 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ કોરોનાની વેક્સિનના (Corona Vaccine)  બંને ડોઝ લીધા છે. માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ‘સબકા સાથ સબકા પ્રયાસ’ના મંત્ર સાથે ભારતે તેની 75 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીના બંને ડોઝ આપ્યા છે. આપણે કોરોનાની લડાઈમાં વધુ મજબૂત બની રહ્યા છીએ.આપણે નિયમોનું પાલન કરવું પડશે અને શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી પડશે.

ઉપરાંત આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં 12.43 કરોડથી વધુ કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં

તમને જણાવી દઈએ કે, દેશવ્યાપી કોવિડ 19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયુ હતુ. જ્યારે કોવિડ 19 રસીકરણનો બીજો તબક્કો 21 જૂન 2021થી શરૂ થયો હતો. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ અભિયાનના નવા તબક્કામાં કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી કરીને રાજ્યો અને કેન્દ્રોને મફતમાં સપ્લાય કરશે.

PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

PM મોદીએ પણ ભારતની આ ઉપલબ્ધિ પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે, તમામ પુખ્ત વયના 75 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે દેશવાસીઓને અભિનંદન. સાથે જ તેમણે કહ્યુ કે, રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે.

24 કલાકમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 દર્દીઓના મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે 3,52,784 લોકો કરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસોની (Active Case) સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ભારતની પ્રથમ કોરોના દર્દી તેના ‘સ્વપ્ન’ પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">