AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેલંગાણામાં એક શાળામાં 42 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત, તમામને આઇસોલેશનમાં રખાયા

છેલ્લા 10 દિવસમાં તેલંગાણાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ હોવાની આ ત્રીજી ઘટના છે. ગત સપ્તાહમાં હૈદરાબાદ નજીકની મહિન્દ્રા યુનિવર્સિટીને 25 વિદ્યાર્થીઓ અને પાંચ સ્ટાફ સભ્યોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી.

તેલંગાણામાં એક શાળામાં 42 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષિકા કોરોનાથી સંક્રમિત, તમામને આઇસોલેશનમાં રખાયા
Symbolic Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 2:57 PM
Share

શાળાઓ(Schools) શરુ થવાની સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં શાળાઓમાં સંક્રમણ વધી રહ્યુ છે. તેલંગાણાની એક શાળામાં કોરોના(Corona )ના 40 થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના સાંગા રેડ્ડી જિલ્લામાં મહાત્મા જ્યોતિબા ફૂલે પછાત વર્ગ કલ્યાણ શાળાની 45 વિદ્યાર્થીનીઓ(Students) કોરોના પોઝિટિવ(Corona positive) મળી આવી છે. એક શિક્ષક(Teacher) પણ પોઝિટિવ છે.

તેલંગાણામાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા હોવાથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે, વિદ્યાર્થીઓને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તમામ પ્રકારના પ્રતિબંધો હોવા છતાં, વિદ્યાર્થીઓનો કોરોના ચેપ અટકતો નથી. હૈદરાબાદ નજીકના સંગારેડ્ડી જિલ્લાના મુથાંગી ખાતે તેલંગાણાની સરકારી રેસિડેન્શિયલ ગુરુકુલ સ્કૂલમાં 42 વિદ્યાર્થિનીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જ્યારે વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા જતા પ્રકોપ વચ્ચે તેમના નમૂનાઓ પરીક્ષણ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યા છે.

તમામને આઇસોલેશનમાં રખાયા

સંગારેડ્ડી જિલ્લાના ડીએમ અને એચઓ ડૉ. ગાયત્રી કેના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર સંગારેડ્ડી જિલ્લાના મુથાંગી ગામમાં મહાત્મા જ્યોતિબા ફૂલે ગુરુકુલ સ્કૂલમાં આ કેસ સામે આવ્યા છે.

શાળા સત્તાધીશોએ તમામ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કર્યો

એક વિદ્યાર્થિનીમાં હળવા લક્ષણો હોવાની શંકાના આધારે શાળામાં  તમામ વિદ્યાર્થિીનીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવારે 261 વિદ્યાર્થિનીઓ અને 27 સ્ટાફ સભ્યોના કોરોના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 42 વિદ્યાર્થિની અને એક શિક્ષિકા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ગાયત્રી દેવીની દેખરેખ હેઠળ સોમવારે બાકીની વિદ્યાર્થિનીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

શૈક્ષણિક સંસ્થામાં સંક્રમણની આ ત્રીજી ઘટના

છેલ્લા 10 દિવસમાં તેલંગાણાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ હોવાની આ ત્રીજી ઘટના છે. ગત સપ્તાહમાં હૈદરાબાદ નજીકની મહિન્દ્રા યુનિવર્સિટીને 25 વિદ્યાર્થીઓ અને પાંચ સ્ટાફ સભ્યોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે ઓક્ટોબરમાં ખોલવાની મંજૂરી આપી હતી

ગયા મહિને રાજ્યમાં રેસિડેન્શિયલ સ્કૂલો ફરી શરૂ થયા બાદ આ પહેલીવાર છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પોઝિટિવ મળી આવી હતી. તેલંગાણામાં શૈક્ષણિક સંસ્થાઓ 1 સપ્ટેમ્બરથી ફરી ખુલી. જો કે, શિક્ષણ વિભાગે તમામ નિવારક પગલાં લેવાની ખાતરી આપ્યા બાદ હાઈકોર્ટે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં રેસિડેન્શિયલ સ્કૂલો ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ ઉઘરાણીના 100 કરોડ જેટલા રૂપિયા ફસાઈ જતા સુરત, અમદાવાદના કાપડના વેપારીઓ મુશ્કેલીમાં

આ પણ વાંચોઃ Google Play Best Apps 2021: ગૂગલે કરી જાહેરાત, 2021ના વર્ષની આ શ્રેષ્ઠ ભારતીય એપ્લિકેશન હોવી જોઈએ, જાણો કઈ કઈ છે એપ્લિકેશન ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">